Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 39:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓએ પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનાં ઝીણાં વસ્‍ત્ર બનાવ્યાં. તેમ હારુનને માટે પણ તેઓએ પવિત્ર વસ્‍ત્ર બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યજ્ઞકારોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી બનાવ્યાં. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે આરોન યજ્ઞકાર માટે પણ પવિત્ર વસ્ત્રો બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઝીણાં વસ્ત્રો બનાવ્યાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માટે પવિત્ર વસ્ત્રો બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યાજકોએ પહેરવાના દબદબાભર્યા પોષાક, લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના કાપડમાંથી બનાવ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માંટેનાં વસ્ત્રો બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 39:1
14 Iomraidhean Croise  

તમારાં સાક્ષ્યો અતિ ખાતરીપૂર્વક છે; હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.


અને નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગો, ને શણ ને બકરાંના વાળ;


વળી તું દશ પડદાનો મંડપ બનાવ. ઝીણા કાંતેલા શણના, ને નીલ જાબુંડા તથા કિરમજી રંગના, નિપુણ વણકરની કારીગરીના કરૂબોવાળા પડદા બનાવ.


અને [તેને માટે] તેઓ સોનું તથા નીલ તથા જાબુડાં તથા કિરમજી રંગનું તથા ઝીણા શણનું લૂગડું લે.


તથા ઝીણાં વણેલાં લૂંગડાં, તથા યાજકપદ બજાવવાને માટે હારુન યાજકને માટે પવિત્ર વસ્‍ત્ર, તથા તેના દીકરાઓનાં વસ્‍ત્રો,


પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે ઝીણાં વણેલાં લૂંગડાં એટલે યાજકપદ બજાવવાને માટે હારુન યાજકનાં પવિત્ર વસ્‍ત્રો ને તેના દીકરાઓનાં વસ્‍ત્રો.”


અને પ્રત્યેક માણસ જેની પાસે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણું શણ તથા બકરાંના વાળ તથા મેઢાંનાં રાતાં રંગેલાં ચામડાં તથા સીલ [માછલાં] નાં ચામડાં મળી આવ્યાં તે તે લાવ્યો.


તથા આસપાસના આંગણાની કૂંભીઓ, તથા મંડપની સર્વ ખીલીઓ, તથા આસપાસના આંગણાની સર્વ ખીલિઓ બનાવ્યાં.


પવિત્રસ્થાનમાં સેવા કરવાને ઝીણાં વણેલાં વસ્‍ત્રો, તથા યાજકપદ બજાવવા માટે હારુન યાજકને માટે પવિત્ર વસ્‍ત્રો, તથા તેના દીકરાઓને માટે વસ્‍ત્રો [તે બધું તેઓ લાવ્યા].


અંદર ગયા પછી યાજકોએ એ પવિત્રસ્થાનમાંથી બહારના ચોકમાં ન નીકળવું, પણ સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખી મૂકવાં; કેમ કે તેઓ પવિત્ર છે; અને બીજાં વસ્ત્ર પહેરીને તેઓએ લોકોના [ચોક] માં આવવું.”


મંદિરનો નિયમ એ છે કે, પર્વતનાં શિખર પરની આખી સપાટી ચોતરફ પરમપવિત્ર ગણાય. જો મંદિરનો નિયમ એ છે.


બકરાના તથા વાછરડાના રક્તથી નહિ, પણ પોતાના જ રક્તથી [માણસોને માટે] સનાતન ઉદ્ધાર મેળવીને પરમપવિત્ર સ્થાનમાં એક જ વખત ગયા હતા.


વળી જેમ આગળ પ્રમુખયાજક બીજાનું રક્ત લઈને પરમપવિત્રસ્થાનમાં વર્ષોવર્ષ પ્રવેશ કરતો, તેમ અમને વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર રહી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan