Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 38:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 મંડપનો એટલે કરારમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકર ઇથામારની હસ્તક કરવામાં અવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ જ્યાં રાખવામાં આવી હતી તે મુલાકાતમંડપમાં વપરાયેલ ધાતુઓના પ્રમાણની આ નોંધ છે. એ તૈયાર કરવા માટે મોશેએ આજ્ઞા આપી હતી. આરોન યજ્ઞકારના પુત્ર ઈથામારની દોરવણી નીચે લેવી પુત્રોએ આ નોંધ તૈયાર કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 મંડપનો એટલે કે સાક્ષ્યમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકરા ઈથામારની હસ્તક કરવામાં આવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પવિત્ર તંબુ એટલે કે કરારકોશના તંબુના બાંધકામમાં વપરાયેલ વિવિધ ધાતુનો હિસાબ આ મુજબ છે. મૂસાએ એ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, અને તે યાજક હારુનના પુત્ર ઈથામાંરના નિરીક્ષણ હેઠળ તૈયાર કરેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 38:21
31 Iomraidhean Croise  

આમ્રામનાં સંતાન:હારુન, મૂસા તથા મરિયમ, હારુનના પુત્રો:નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.


તેથી રાજાએ યહોયાદા યાજકને તેડાવીને તેને કહ્યું, “સાક્ષ્યમંડપને માટે યહોવાના સેવક મૂસએ તથા ઇઝરાયલી લોકોએ ઠરાવેલો કર યહૂદિયામાંથી તથા યરુશાલેમમાંથી ઉઘરાવવાને તે લેવીઓને કેમ ફરમાવ્યું નથી?”


કેમ કે તું કહે છે કે, મારો મત ખરો છે, અને હું તારી દ્દષ્ટિમાં ચોખ્ખો છું.


જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવશે, તો તું સ્થિર થશે; અને જો તું તારા તંબુઓમાંથી અન્યાય દૂર કરશે [તો તું સ્થિર થશે].


ત્યારે અયૂબે ઉત્તર આપ્યો,


હે યહોવા, તમારા મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ વસશે?


અને હું જે કરારલેખ તને આપીશ, તે તું કોશમાં મૂકજે.


અને તું ચાપડા નીચે પડદો લટકાવ, ને કરારકોશને ત્યાં એટલે પડદાની અંદરની બાજુએ લાવ; અને પડદો તમારે માટે પવિત્રસ્થાનથી પરમપવિત્રસ્થાણે જુદું કરે.


અને મંડપની તથા ચોતરફના આંગણાની બધી ખીલીઓ પિત્તળની હતી.


અને જે વિષે યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે સર્વ યહૂદાના કુળના હૂરના દીકરા ઊરીના દીકરા બસાલેલે બનાવ્યું.


અને તેની અંદર કરારકોશ મૂક, ને કોશને પડદાનો ઓથો કર.


અને હારુન આમ્મિનાદાબની પુત્રી નાહશોનની બહેન અલીશેબા સાથે પરણ્યો; અને તેને પેટે નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર થયા.


પણ તું લેવીઓને કરારના મંડપ પર તથા તેના બધા સરસામાન પર, તથા તેને લગતી સર્વ બાબતો પર ઠરાવ. તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે, ને મંડપની આસપાસ છાવણી કરે.


પણ લેવીઓ કરારના મંડપની આસપાસ છાવણી કરે, કે ઇઝરાયલી પ્રજા પર કંઈ કોપ ન આવે. અને લેવીઓ કરારના મંડપની સંભાળ રાખે.”


અને બીજા વર્ષના બીજા માસને વીસમે દિવસે એમ થયું કે, કરારના મંડપ ઉપરથી મેઘ ઊપડયો.


અને લેવીના કુળના તારા ભાઈઓને, એટલે તારા પિતાના કુળને, તું તારી સાથે લાવીને પાસે [રાખ] કે, તેઓ તારી સાથે જોડાય ને તારી સેવા કરે; પણ તું ને તારી સાથે તારા દિકરા કરારના મંડપની આગળ રહો.


હે યાકૂબ, તારા તંબુઓ, હે ઇઝરાયલ, તારા માંડવા કેવા સારા છે!


અને મંડપ ઊભો કરવામાં આવ્યો તે દિવસે મેઘે મંડપ પર, એટલે કરારમંડપ પર, આચ્છાદન કર્યું, અને સાંજથી તે સવાર સુધી મંડપ ઉપર તે જાણે કે અગ્નિરૂપે આવી રહેતો.


અને પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે, જો તમારી મરજી હોય તો હું અહીં ત્રણ માંડવા બાંધું. એક તમારે માટે, ને એક મૂસાને માટે, ને એક એલિયાને માટે.”


જેણે મૂસાને કહ્યું, ‘જે નમૂનો તેં જોયો છે તે પ્રમાણે તારે સાક્ષ્યમંડપ બનાવવો, તેમના ઠરાવ મુજબ અરણ્યમાં આપણા પૂર્વજોની પાસે [તે સાક્ષ્યમંડપ] હતો.


કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય, તો આકાશમાં ઈશ્વરે રચેલું, હાથે બાંધેલું નહિ, એવું અમારું સનાતન ઘર છે.


અને પવિત્રસ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહિ પણ પ્રભુએ ઊભો કરેલો છે, તેના તે સેવક છે.


પણ ખ્રિસ્ત, હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખયાજક થઈને, હાથથી બનાવેલો નહિ, એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહિ, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને,


જ્યાં સુધી હું આ માંડવામાં છું, ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે.


[ત્યાર પછી] આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું, અને તેમના મંદિરમાં તેમના કરારનો કોશ જોવામાં આવ્યો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ઘરતીકંપ થયાં તથા પુષ્કળ કરા પડયા.


ત્યાર પછી મેં જોયું, તો આકાશમાં સાક્ષ્યમંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું;


વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, “જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, [ઈશ્વર] તેઓની સાથે વાસો કરશે, તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે.


Lean sinn:

Sanasan


Sanasan