Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને હારુને તે જોયું, ત્યારે તેણે તેની આગળ વેદી બાંધી; અને હારુને ઢંઢેરો પિટાવ્યો, “કાલે યહોવાને માટે પર્વ પાળવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પછી આરોને સોનાના વાછરડાની આગળ વેદી બનાવીને જાહેર કર્યું, “આવતી કાલે પ્રભુના માનમાં પર્વ પાળવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હારુને જોયું કે લોકો બહુ આનંદમાં આવી ગયા છે, તેથી તેની આગળ હારુને વેદી બાંધી અને એવી જાહેરાત કરી કે, “આવતી કાલે યહોવાહના માનમાં ઉત્સવ પાળવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હારુને જોયું કે લોકો બહુ આનંદમાં આવી ગયા છે, તેથી તેની આગળ હારુને વેદી બાંધી અને એવી જાહેરાત કરી કે, “આવતી કાલે યહોવાના માંનમાં ઉત્સવ થશે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:5
18 Iomraidhean Croise  

તેણે તે પત્રોમાં એવું લખ્યું હતું, “ઉપવાસનો ઢંઢેરો પિટાવીને નાબોથને લોકોની આગળ પ્રમુખસ્થાને બેસાડજો.


યેહૂએ કહ્યું, “બાલને માટે એક પવિત્ર મેળો ઠરાવો. અને તેઓએ તેનો ઢંઢેરો પિટાવ્યો.


આહાઝ રાજાએ જે બધું દમસ્કસમાંથી મોકલ્યું હતું તે પ્રમાણે ઊરિયા યાજકે વેદી બાંધી. દમસ્કસથી આહાઝ રાજાના આવતાં સુધીમાં ઊરિયા યાજકે તે કામ પૂરું કર્યું.


માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ આવવું એવી જાહેરાત બેર-શેબાથી તે દાન સુધી આખા ઇઝરાયલમાં કરવાનો ઠરાવ તેઓએ કર્યો. કેમ કે [નિયમશાસ્ત્રમાં] ફરમાવેલી રીત પ્રમાણે તેઓએ લાંબી મુદતથી તે પાછું વાળ્યુ નહોતું.


અને મૂસાએ કહ્યું, “અમે અમારાં નાનાંમોટાંને લઈને, અમારા પુત્રો તથા પુત્રીઓને લઈને, અમારાં ઘેટાંબકરાં તથા અમારાં ઢોરઢાંક લઈને જઈશું; કેમ કે યહોવાને માટે અમારે પર્વ પાળવું પડશે.”


અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશપરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું.


અને મૂસાએ એક વેદી બંધાવી, ને તેનું નામ યહોવા-નિસ્સી પાડયું.


અને તેણે તેઓના હાથમાંથી તે લીધું, ને કોતરણીથી ઘાટ બનાવીને તેનું ઢાળેલું વાછરડું બનાવ્યું; અને તેઓએ કહ્યું, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”


અને તેઓએ સવારે વહેલા ઊઠીને દહનીયાર્પણ કર્યાં, ને શાંત્યર્પણો રજૂ કર્યાં; અને લોકો ખાવાપીવા બેઠા, ને રમવા ઊઠયા.


એફ્રાઈમે વેદીઓ વધારીને પાપ વધાર્યા છે, કેમ કે તેને પાપ કરવાને માટે વેદીઓ છે.


કેમ કે ઇઝરાયલ લોકો પોતાના ઉત્પન્નકર્તાને ભૂલી ગયા છે, ને તેઓએ મહેલો બાંધ્યા છે; યહૂદિયાએ કોટબંધ નગરો વધાર્યાં છે; પણ હું તેનાં નગરો પર અગ્નિ મોકલીશ, ને તે તેઓના કિલ્લા ભસ્મ કરશે.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, યહોવાનાં જે મુક્કર પર્વોએ પવિત્ર મેળાવડા કરવાની જાહેરાત તમારે કરવી તે મારાં મુક્‍કર પર્વો આ છે.


અને એ જ દિવસે તમારે જાહેરાત કરવી. તમારે પવિત્ર મેળાવડો કરવો, તમારે કોઈ સંસારી કામ ન કરવું; તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ છે.


એ યહોવાનાં મુકરર પર્વો છે, તેઓ વિષે તમારે એવી જાહેરાત કરવી કે, તેઓ પવિત્ર મેળાવડા છે કે જેમાં તેઓ યહોવાને માટે હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ, યજ્ઞ તથા પેયાર્પણો પ્રત્યેકને માટે ઠરાવેલા દિવસે ચઢાવે.


યહોવાનાં મુક્કર પર્વો, એટલે પવિત્ર મેળાવડા કે જે વિષે ઠરાવેલે સમયે તમારે જાહેરાત કરવી તે આ છે.


એ કારણથી આપણે એ પર્વ જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહિ, પણ નિખાલસપણાની તથા સત્યની બેખમીર રોટલીથી પાળીએ.


પછી શાઉલે યહોવાને માટે વેદી બાંધી. યહોવાને માટે તેણે જે પહેલી વેદી બાંધી હતી તે એ જ હતી.”


Lean sinn:

Sanasan


Sanasan