Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 31:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તે હમેશને માટે મારી તથા ઇઝરાયલી લોકોની વચ્ચે ચિહ્નરૂપ છે; કેમ કે યહોવાએ છ દિવસમાં આકાશ તથા પૃથ્વી બનાવ્યાં, ને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 એ સાબ્બાથદિન ઇઝરાયલી લોકો અને મારી વચ્ચેનું કાયમનું ચિહ્ન છે. કારણ, મેં પ્રભુએ છ દિવસમાં આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું અને સાતમે દિવસે મેં કંઈ કાર્ય ન કરતાં આરામ કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 સાબ્બાથ યહોવાહ અને ઇઝરાયલી લોકોની વચ્ચે હંમેશના ચિહ્નરૂપ છે, કેમ કે યહોવાહે છ દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 સાબ્બાથ માંરી અને ઇસ્રાએલી લોકોની વચ્ચે હમેશની નિશાની રહેશે,’” કેમકે મેં, યહોવાએ છ દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે મેં કામ બંધ કર્યુ અને વિશ્રામ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 31:17
13 Iomraidhean Croise  

અને ઈશ્વરે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેમણે જોયું; અને, જુઓ, તે ઉત્તમોત્તમ. અને સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.


અને સર્વ ઈશ્વરદૂતો હર્ષનાદ કરતા હતા, તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડયો?


યહોવાનું ગૌરવ સર્વકાળ રહો; પોતાનાં સર્વ કામોથી યહોવા આનંદ પામો.


કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્‍ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો.


“વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, તમે જરૂર મારા વિશ્રામવારો પાળો; કેમ કે તમારી પેઢી દરપેઢી મારી ને તમારી વચ્ચે તે‍ ચિહ્નરૂપ છે; એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.


માટે સદાના કરાર તરીકે પેઢી દરપેઢી વિશ્રામ લેવાને માટે ઇઝરાયલી લોકો વિશ્રામવાર પાળે.


જો તું સાબ્બાથ [ને દિવસે] , મારા પવિત્ર દિવસે, પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ, અને સાબ્બાથને આનંદદાયક, યહોવાના પવિત્ર [દિવસ] ને માનનીય ગણીશ, અને પોતાના માર્ગોમાં નહિ ચાલતાં તથા પોતાનો ધંધોરોજગાર નહિ કરતાં, તથા કૂથલી નહિ કરતાં, તેને માન આપીશ;


હા, હું તેઓનું હિત કરવામાં આનંદ માનીશ, ને હું મારા પૂર્ણ હ્રદયથી તથા ખરા જિગરથી તેઓને આ દેશમાં ખરેખર રોપીશ.


તે ઉપરાંત મારી ને તેઓની વચમાં ચિહ્‍ન તરીકે મેં મારા સબ્બાથો પણ તેઓને આપ્યા, એ માટે કે તેઓ જાણે કે તેમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.


મારા સાબ્બાથોને પવિત્ર માનો. અને તેઓ મારી ને તમારી વચમાં ચિહ્‍નરૂપ થશે, જેથી તમે જાણશો કે હું યહોવા તમારો ઈશ્વર છું.


કેમ કે જેમ ઈશ્વરે પોતાનાં [કામો] થી [વિશ્રામ લીધો] , તેમ [ઈશ્વસ્ના] તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે.


Lean sinn:

Sanasan


Sanasan