Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 “વળી હાથપગ ધોવાને માટે તું પિત્તળનો હોજ બનાવ, ને તેનું તળિયું પિત્તળનું થાય; અને તું તેને મુલાકાતમંડપ તથા વેદીની વચ્ચે મૂક, ને તેમાં પાણી રેડ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 “તારે તાંબાની બેઠકવાળો તાંબાનો જળકુંડ બનાવવો. તેને મુલાકાતમંડપ અને યજ્ઞવેદીની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 “હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “હાથપગ ધોવા તારે કાંસાની ઘોડીવાળી એક કાંસાની કૂડી બનાવવી, અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકી તેમાં પાણી ભરવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:18
15 Iomraidhean Croise  

વળી તેણે ભરતરનો સમુદ્ર બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુથી દશ હાથ હતો. તે ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.


તેણે પિત્તળનાં દશ કૂડાં બનાવ્યાં. દરેક કૂંડામાં ચાળીસ બાથ માતાં હતાં. દરેક કૂંડું ચાર હાથનું હતું. પેલા દશ ચોતરામાંના દરેક પર એકેક કૂંડું [મૂકવામાં આવ્યું]


વળી તેણે ઢાળેલો સમુદ્ર બનાવ્યો. તે ગોળ હતો; તેનો વ્યાસ દશ હાથ, અને ઘેરાવો વીસ હાથ હતો, ને તેની ઊંચાઈ પાંચ હાથ હતી.


વળી તેણે ધોવા માટે દશ કૂડાં બનાવ્યાં, પાંચ જમણે હાથે તથા પાંચ ડાબે હાથે મૂક્યાં. તેઓમાં દહનીયાર્પણને લગતા પદાર્થો ધોતા હતા. સમુદ્ર તો યાજકોને નાહવાધોવા માટે હતો.


અને યહોવાએ મૂસાને કહ્યું,


તથા તેની સર્વ સામગ્રી સહિત યજ્ઞવેદી, તથા હોજ ને તેનું તળિયું,


અને તેણે મુલાકાતમંડપના દ્વાર આગળ સેવા કરનારી સ્‍ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.


અને તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂક, ને તેમાં પાણી ભર.


ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ; કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી; તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે.


અને તેમાંનું તેણે વેદી પર સાત વાર છાંટ્યું, ને વેદીને તથા તેનાં સર્વ વાસણોને અને હોજને તથા તેના તળિયાને પાવન કરવા માટે તેઓનો અભિષેક કર્યો.


સૈન્યોના ઈશ્વર પ્રભુ કહે છે: “તે દિવસે દાઉદના વંશજોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં પાપ તથા અશુદ્ધતા [દૂર કરવા] ને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે.


ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણામાંનાં કૃત્યોથી નહિ, પણ તેમની દયાથી, નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી [થયેલા] નવીનીકરણથી તેમણે આપણને તાર્યા.


પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan