Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 “ઇઝરાયલી લોકોની સંખ્યા કેટલી છે તે જોવા જ્યારે તું ગણતરી કરે ત્યારે તેમની ગણતરી થતી વખતે તેઓમાંનો દરેક પુરુષ પોતાના જીવના બદલામાં યહોવાને ખંડણી આપે; એ માટે કે જ્યારે તેમની ગણતરી થાય ત્યારે તેઓ મધ્યે કંઈ મરકી ન આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 “જ્યારે તું ઇઝરાયલી લોકોની વસ્તી ગણતરી કરે ત્યારે દરેક પુરુષ પોતાના જીવને માટે મને કિંમત ચૂકવે; જેથી વસ્તી ગણતરી દરમ્યાન તેના પર કોઈ આફત આવી પડે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 “તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “તું જ્યારે ઇસ્રાએલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવન માંટે યહોવા સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:12
21 Iomraidhean Croise  

ઇઝરાયલની વિરુદ્ધ શેતાને ઊભા થઈને દાઉદને ઇઝરાયલની ગણતરી કરવાને ઉશ્કેર્યો.


ત્રણ વર્ષ દુકાલ પડે; અથવા તારા શત્રુઓની તરવાર તારા પર આવી પડવાથી તેઓના હાથે ત્રણ મહિના સુધી તારા લોકોનો ક્ષય થાય; અથવા તો ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર, એટલે દેશમાં મરકી ચાલે, તથા ઇઝરાયલના આખા પ્રદેશમાં યહોવાનો દૂત વિનાશ કરતો ફરે. માટે હવે મારા મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તમે વિચાર કરો.”


આથી યહોવાએ ઇઝરાયલ દેશમાં મરકી મોકલી, અને તેમના સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.


યોઆબે કહ્યું, “યહોવા પોતાના લોક જેટલા છે તેના કરતાં તેઓને સોગણા વધારો. પણ હે મા ધણી રાજા, તેઓ સર્વ મારા ધણીના સેવકો નથી શું? મારો ધણી આ કામ કેમ કરાવવા માગે છે? તે ઇઝરાયલ પર દોષ લાવવા શા માટે ઈચ્છે છે?”


સરુયાના પુત્ર યોઆબે ગણતરી કરવા માંડી, પણ તે પૂરેપૂરી કરી નહિ, [ગણતરી કરવા] ને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃતાંતની તવારીખમાં એ ગણતરી નોંધવામાં આવી નથી


તેથી રાજાએ યહોયાદા યાજકને તેડાવીને તેને કહ્યું, “સાક્ષ્યમંડપને માટે યહોવાના સેવક મૂસએ તથા ઇઝરાયલી લોકોએ ઠરાવેલો કર યહૂદિયામાંથી તથા યરુશાલેમમાંથી ઉઘરાવવાને તે લેવીઓને કેમ ફરમાવ્યું નથી?”


ઈશ્વરના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયલ પર જે કર નાખ્યો હતો તે યહોવાને માટે ભરી જવાને તેઓએ આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં જાહેરાત કરી.


તો એ તેના પર કૃપાવાન થઈને કહે છે કે, ‘તેને કબરમાં જતાં બચાવો; કેમ કે તેના છૂટકાની કિંમત મને મળી છે.’


સાવધ રહે; રખેને ક્રોધ તને આડે માર્ગે દોરીને તને મજાક કરવાને લલચાવે, અને તારાં દુ:ખો ભારે હોવાથી તું આડે માર્ગે વળી જાય.


[તેઓમાંનો] કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે છોડાવી શકતો નથી, અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી;


અને યહોવાએ મૂસાને કહ્યું,


અને તેઓએ મૂસાને કહ્યું, “સૈન્યના જે માણસો અમારા તાબામાં છે તેઓની ગણતરી તારા દાસોએ કરી છે, ને અમારામાંનું એકે માણસ ખૂટતું નથી.


અને અમારા પ્રાણોને લીધે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરવાને માટે અમ પ્રત્યેકને જે મળ્યું તે અમે યહોવાને માટે અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળાં, તથા બંગડીઓ, વીંટીઓ, વાળીઓ, તથા માદળિયાં [લાવ્યા છીએ].”


જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”


કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, ને ઘણાંની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે.”


જેમણે સર્વ માણસોના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું. એમની સાક્ષી નિર્માણ થયેલે સમયે [આપવામાં આવી હતી].


Lean sinn:

Sanasan


Sanasan