Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને અભિષિકતનું તેલ લઈને તે તું તેના માથા પર રેડ, ને તેને અભિષિકત કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પછી અભિષેક કરવાનું તેલ લઈને તેના માથા પર રેડીને તેનો અભિષેક કરવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી અભિષેકનું તેલ લઈ તે તું તેના માથા પર રેડી, તેનો અભિષેક કરજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી અભિષેકનું તેલ લઈ તે તું તેના માંથા પર રેડી, તેનો અભિષેક કરજે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:7
15 Iomraidhean Croise  

તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, અને તેના વસ્‍ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલ જેવું છે;


મારો સેવક દાઉદ મને મળ્યો છે; મારા પવિત્ર તેલથી મેં તેને અભિષિક્ત કર્યો છે.


અને તું તે તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને પહેરાવ. અને તું તેઓનો અભિષેક કર, ને તેઓને પ્રતિષ્ડિત તથા પવિત્ર કર, એ માટે કે તેઓ મારી આગળ યાજકપદ બજાવે.


અને તું હારુનને પવિત્ર વસ્‍ત્રો પહેરાવીને તેનો અભિષેક કરીને તેને પવિત્ર કર કે, તે યાજકપદમાં મારી સેવા બજાવે.


પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;


અને તમારે મુલાકાતમંડપના બારણાની બહાર ન જવું, રખેને તમે માર્યા જાઓ, કેમ કે તમારે શિર યહોવાનું અભિષેકનું તેલ છે.” અને તેઓએ મૂસાના કહેવા પ્રમાણે કર્યું.


અને જે પોતાના ભાઈઓ મધ્યે પ્રમુખયાજક હોય, ને જેના ઉપર અભિષેકનું તેલ રેડાયું હોય, ને તે પોષાક પહેરવા માટે જેનું શુદ્ધિકરણ કરાયું હોય, તે પોતાના વળ છોડી નાખે નહિ, ને પોતાનો પોષાક ફાડે નહિ;


તેમ જ તે પવિત્રસ્થાનની બહાર જાય નહિ, ને પોતાના ઇશ્વરના પવિત્રસ્થાનને અભડાવે નહિ; કેમ કે પોતાના ઈશ્વરના અભિષેકના તેલનો મુગટ તેને માથે છે; હું યહોવા છું.


યહોવાની સેવા કરવાને હારુનને તથા તેના પુત્રોને યાજક તરીકે તેણે રજૂ કર્યા તે જ દિવસે યહોવાના હોમયજ્ઞમાંથી તેનો અભિષેકનો હિસ્સો તે આ પ્રમાણે છે:


ત્યારે તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા રહેનાર બે અભિષેક પામેલા છે.”


અને પ્રજા મનુષ્યઘાતકને લોહીનું વેર લેનારના હાથમાંથી છોડાવે, ને જમાત જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય તેમાં તેને પાછો પહોંચાડે. અને પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજકના મરણ સુધી તે ત્યાં જ રહે.


કેમ કે જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે; કેમ કે [ઈશ્વર] માપથી આત્મા નથી આપતા.


વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી; પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ બાબતો વિષે શીખવે છે ને તે સત્ય છે, જૂઠા નથી; ને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનામાં રહો.


Lean sinn:

Sanasan


Sanasan