Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને એક હલવાનની સાથે પા હીન પીલેલા તેલમાં મોહેલો [એફાહનો] એક દશાંશ મેંદો લેવામાં આવે; અને પેયાર્પણને માટે પા હીન દ્રાક્ષારસ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 પ્રથમ હલવાન સાથે એક લીટર શુદ્ધ ઓલિવ તેલમાં મોહેલો ઘઉંનો ઝીણો લોટ ચડાવવો અને પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષાસવ રેડવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પ્રથમ ઘેટાં સાથે તમારે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો મેંદાનો ઝીણો લોટ તેમ જ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પ્રથમ ઘેટા સાથે તમાંરે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો ઝીણો ઘઉંનો લોટ તેમજ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:40
34 Iomraidhean Croise  

અને જ્યાં તે તેની સાથે બોલ્યા, તે સ્થળે યાકૂબે એક સ્તંભ, એટલે પથ્થરનો એક સ્તંભ, ઊભો કર્યો; અને તેના પર પેયાર્પણ તથા તેલ રેડયું.


સવારે સુમારે અર્પણ ચઢાવવાના સમયે એમ થયું કે, જુઓ, અદોમ તરફથી પાણી આવ્યું, ને દેશમાં બધે પાણી પાણી થઈ રહ્યું.


ઓમેર એ તો એક એફાહનો દશાંશ છે.


એક હલવાન તું સવારે ચઢાવ, ને બીજો હલવાન સાંજે ચઢાવ.


અને બીજો હલવાન તું સાંજે ચઢાવ, ને સવારના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પ્રમાણે તું તેને કર, કેમ તે સુવાસને અર્થે, યહોવાને માટે હોમયજ્ઞ થાય.


ને પાંચસો શેકેલ દાલચીની, એ પ્રમાણે તું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લે. વળી તું એક હીન જૈતૂનફળનું તેલ લે;


નાળામાંના લીસા [પથ્થરો] માં તારો ભાગ છે. તેઓ જ તારો હિસ્સો છે. વળી તેઓને તેં પેયાર્પણ રેડયું છે ને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. આવી બાબતો બનવા છતાં હું મૂંગો રહું?


જે દેશ તેઓને આપવાને મેં સમ ખાધા હતા તે દેશમાં જ્યારે હું તેઓને લાવ્યો, ત્યારે તેઓએ દરેક ઊંચા ડુંગરને તથા દરેક ઘટાદાર વૃક્ષને જોઈને ત્યાં પોતાનાં બલિદાનો ચઢાવ્યાં, ને ક્રોધ ઉત્પન્ન કરે એવાં અર્પણો તેઓએ અર્પ્યા, વળી ત્યાં તેઓએ પોતાના સુવાસિત [ધૂપ] પણ બાળ્યા, ને ત્યાં તેઓએ પોતાનાં પેયાર્પણો રેડ્યાં.


પાણી પર તારે માપીને એટલે એક હિનના છઠ્ઠા ભાગ (એટલે અઢી શેર) જેટલું પીવું. નિયમિત સમયે તારે પીવું.


વળી પર્વોમાં, ચંદ્રદર્શનોમાં તથા સાબ્બાથોમાં, ઇઝરાયલ લોકોનાં સર્વ ઠરાવેલાં પર્વોમાં, દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણો કરવાં એ સરદારની ફરજ છે. ઇઝરાયલ લોકોને માટે પ્રાયશ્ચિત કરવા સારુ પાપાર્થાર્પણ, ખાદ્યાર્પણ, દહનિયાર્પણ તથા શાંત્યાર્પણો તેણે તૈયાર કરી રાખવા.”


તે નીચે પ્રમાણે ખાદ્યાર્પણ રજૂ કરે, એટલે ગોધા દીઠ એક એફાહ તથા મેંઢા દીઠ એક એફાહ. ને દર એફાએ એક હીન તેલ.


ઉજાણીઓમાં તથા ઠરાવેલાં પર્વોમાં ખાદ્યાર્પણ દર ગોધા દીઠ એક એફાહ, તથા દર મેંઢા દીઠ એક એફાહ, તથા હલવાનો સાથે તેની શક્તિ પ્રમાણે, તથા દર એફાહ દીઠ એક હીન તેલ, એટલું હોય.


તારે દર સવારે તેની સાથે નીચે પ્રમાણે ખાદ્યાર્પણ રજૂ કરવું; એટલે એક એફાહનો છઠ્ઠો ભાગ, ને મેંદાને મોણ દેવાને એક હીન તેલનો ત્રીજો ભાગ. એ કાયમ વિધિ પ્રમાણે યહોવાને માટે હંમેશનું ખાદ્યાર્પણ છે.


તે મેંઢાને માટે ખાદ્યાર્પણ એક એફાહ, ને હલવાનોની સાથે ખાદ્યાર્પણ તેની શક્તિ પ્રમાણે, ને દર એફાહ દીઠ એક હીન તેલ આપે.


અને તે નીચે પ્રમાણે ખાદ્યાર્પણ તૈયાર કરે, એટલે તે ગોધાની સાથે એક એફાહ તથા તે મેંઢાની સાથે તેની શક્તિ પ્રમાણે, ને દર એફાહ દીઠ એક હીન તેલ.


તેઓ યહોવાને દ્રાક્ષારસ [નાં પેયાર્પણો] રેડશે નહિ, ને તેઓ [નાં અર્પણો] પ્રભુને સંતોષકારક લાગશે નહિ; તેઓનાં બલિદાનો તેમને શોક કરનારાઓના અન્ન જેવાં થઈ પડશે, જેઓ તે ખાશે તેઓ બધા અપવિત્ર થશે, કેમ કે તેમનું અન્ન તેમની ભૂખ [ભાંગવા] ના કામમાં આવશે. તે યહોવાના મંદિરમાં દાખલ થશે નહિ.


હે યાજકો, તમારી કમરે [ટાટ] વીંટીને વિલાપ કરો. હે વેદીના સેવકો, તમે પોક મૂકો. હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, ટાટ પહેરીને આખી રાત સૂઈ રહો, કેમ કે ખાદ્યાર્પણો તથા પેયાર્પણો તમારા ઈશ્વરનાં મંદિરમાં આવતાં બંધ થઈ ગયાં છે.


ખાદ્યાર્પણો તથા પેયાર્પણો યહોવાના મંદિરમાં બંધ પડી ગયાં છે; યહોવાના સેવક યાજકો શોક કરે છે.


કોણ જાણે, કદાચ તે પશ્ચાતાપ કરીને પાછા આવે, ને તે પોતાની પાછળ આશીર્વાદ, એટલે તમારા ઈશ્વર યહોવાને માટે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ, રહેવા દે.


અને તેને માટે તેલમાં મોહેલા બે દશાંશ [એફાહ] મેંદાના ખાદ્યાર્પણનો સુવાસિત હોમયજ્ઞ યહોવાને ચઢાવવોલ અને તેની સાથે પા હિન દ્રાક્ષારસનું પેયાર્પણ કરવું.


અગ્નિને વેદી પર અખંડ સળગતો રાખવો, તેને હોલવાઈ જવા ન દેવો.


ત્યારે, જો અજાણતાં તથા પ્રજાના જાણ્યા વિના તે થયું હોય, તો આખી પ્રજા યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ તરીકે એક વાછરડો તેના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ સાથે વિધિ પ્રમાણે ચઢાવે, ને પાપાર્થાર્પણ તરીકે એક બકરો પણ.


અને એક તૃતીયાંશ હિન દ્રાક્ષારસનું સુવાસિત પેયાર્પણ યહોવાને માટે ચઢાવ.


દરેક સાબ્બાથનું દહનીયાર્પણ, નિત્યના દહનીયાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત, એ છે.


એ રીતે સાત દિવસ સુધી દરરોજ યહોવાને સુવાસિત હોમયજ્ઞ નું અન્‍ન તમે ચઢાવો; નિત્યના દહનીયાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત તે ચઢાવવામાં આવે.


અને ખાદ્યર્પણને માટે એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલા તેલથી મોહેલો.


અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો].


અને હારુન યાજકના પુત્ર એલાઝારનુમ કામ આ છે: એટલે રોશનીને માટે તેલ, તતા સુવાસિત સુગંધી, તથા નિત્યનું ખાદ્યાર્પણ, તથા અભિષેકને માટે તેલ, ને મંડપ તથા તેમાંનું બધું, પવિત્રસ્થાન તથા તેના સરસામાનની સંભાળ રાખવાનુ.”


જેઓએ તેઓના યજ્ઞની ચરબી ખાધી, [અને] તેઓનાં પેયાર્પણનો દ્રાક્ષારસ પીધો તેઓ ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!


પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પેયાર્પણ તરીકે રેડાઉં છું, તો હું આનંદ પામું છું, ને તમ સર્વની સાથે પણ હરખાઉં છું.


Lean sinn:

Sanasan


Sanasan