Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને જો પ્રતિષ્ઠાના માંસમાંથી અથવા રોટલીમાંથી સવાર સુધી કંઈ બાકી રહે, તો તું તે બાકી રહેલાને અગ્નિથી બાળી નાખ. તે ન ખવાય, કેમ કે તે પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 દીક્ષાબલિના માંસમાંથી અથવા રોટલીઓમાંથી સવાર સુધી કંઈપણ બાકી રહે તો તેને બાળી નાખવું, તેને ખાવું નહિ, કારણ કે તે પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 સવાર સુધી જો માંસ કે રોટલીમાંથી કાંઈ વધે તો તેને અગ્નિમાં બાળી મૂકવું પણ ખાવું નહિ, કારણ એ પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 સવાર સુધી જો માંસ કે રોટલીમાંથી કાંઈ વધે તો તેને અગ્નિમાં બાળી મૂકવું, ખાવું નહિ, કારણ એ પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:34
10 Iomraidhean Croise  

સવાર સુધી તેમાંનું કંઈ રાખવું નહિ; પણ તેમાંનું જે કંઈ સવાર સુધી રહે તે તમારે આગમાં બાળી દેવું.


અને મૂસાએ કહ્યું, “તેમાંથી કોઈએ સવાર સુધી કંઈ રહેવા દેવું નહિ.


મારા યજ્ઞનું રક્ત તું ખમીરી રોટલી સહિત અર્પણ કરીશ નહિ; તેમ જ મારા પર્વનો મેદ તું આખી રાત સવાર સુધી રહેવા ન દઈશ.


વળી તું ઘેટાની ચરબી તથા પૂછડી તથા આંતરડાં પરની ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા બે ગુરદા તથા તેમના પરની ચરબી તથા જમણો ખભો લે; કેમ કે તે પ્રતિષ્ઠાનો ઘેટો છે.


અને હારુનની પ્રતિષ્ઠાના ઘેટાની છાતી લઈને તું યહોવાની આગળ આરત્યર્પણને માટે આરતી કર; અને તે તારો હિસ્‍સો થાય.


અને તે હારુનનો તથા તેના દીકરાઓનો ઇઝરાયલીઓ પાસેથી સદાનો હક થશે; કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે. અને તે ઇઝરાયલી લોકો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાને માટે તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.


ખમીર સાથે તું મારા યજ્ઞનું રક્ત ન ચઢાવીશ; તેમ જ પાસ્ખા પર્વનો યજ્ઞ સવાર સુધી પડયો ન રહે.


અને મુસાએ પાપાર્થાર્પણના બકરા વિષે ધ્યાન દિઈને તપાસ કરી, તો જુઓ, તે તો બળી ગયો હતો. અને તેણે હારુનના બાકીના પુત્રો એલાઝાર તથા ઈથામાર પર ક્રોધાયમાન થઈને કહ્યું,


અને તે માંસમાંથી તથા રોટલીમાંથી જે બાકી રહે, તે આગમાં બાળી નાખો.


Lean sinn:

Sanasan


Sanasan