Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ વાછરાનું માંસ તથા તેનું ચામડું તથા તેનું છાણ તું છાવણી બહાર અગ્નિથી બાળી નાખ; તે પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પરંતુ વાછરડાનું માંસ, ચામડું અને તેનાં આંતરડાંને છાવણી બહાર અગ્નિમાં બાળી નાખવાં. એ તો યજ્ઞકારો માટેનો પ્રાયશ્ર્વિત બલિ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પરંતુ વાછરડાના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પરંતુ બળદના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:14
22 Iomraidhean Croise  

રાજાએ એવી આજ્ઞા આપી હતી કે, સર્વ ઇઝરાયલીઓને માટે દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ [કરવું જોઈએ]. તેથી યાજકોએ તેમને કાપીને તેઓના રક્ત વડે સર્વ ઇઝરાયલીઓને માટે પ્રાયશ્ચિત કરવા માટે વેદી ઉપર તેમનું પાપાર્થાર્પણ કર્યું.


બંદીવાસમાંથી જે લોક પાછા આવ્યા હતા, તેઓએ ઇઝરાયલના ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવ્યાં, એટકે સર્વ ઇઝરાયલીઓને માટે બાર ગોધા, છન્નુ મેંઢા, સિત્તોતેર હલવાન, અને પાપાર્થાર્પણને માટે બાર બકરા; એ સર્વ યહોવાને માટે દહનીયાર્પણ હતું.


અને વર્ષમાં એક વાર હારુન તેના શિંગ પર પ્રાયશ્ચિત કરે; તમારી પેઢી દરપેઢી વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના પાપાર્થાર્પણના રક્તથી તેને માટે તે પ્રાયશ્ચિત કરે; તે યહોવાને માટે પરમપવિત્ર છે.”


વળી તારે પાપાર્થાર્પાણનો ગોધો પણ લેવો, ને તે તેને પવિત્રસ્થાનની બહાર, મંદિરની નીમેલી જગાએ, બાળે.


અને પાપાર્થાર્પણનો બળદ પોતાને માટે હોય તેને હારુન રજૂ કરે, ને પોતાને માટે તથા પોતના ઘરનાંને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને પાપાર્થાર્પણનો જે બળદ પોતાને માટે હોય તેને તે કાપે.


અને પાપાર્થાર્પણનો બળદ તથા પાપાર્થાર્પણનો બકરો, જેઓનું રક્ત પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત્ત કરવા માટે અંદર લઈ જવામાં આવ્યું હતું, તેઓને છાવણી બહાર લઈ જવા; અને તેમનું ચામડું તથા માંસ તથા છાણ આગમાં નાખવાં.


હારુન આ વસ્તુઓ લઈને પવિત્રસ્થાનમાં આવે:એટલે પાપાર્થાર્પણને માટે એક વાછરડો, તથા દહનીયાર્પણને માટે એક ઘેટો લઈને તે આવે.


અને તે વાછરડાને છાવણીની બહાર લઈ જાય, ને જેમ પહેલા વાછરડાને તેણે બાળી નાખ્યો હતો તેમ એને પણ બાળી દે. તે આખી પ્રજાને માટે પાપાર્થાર્પણ છે.


અને યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લે, ને યજ્ઞ વેદીમાં શિંગ પર તે લગાડે, ને યજ્ઞ વેદીના થડમાં તેનું રક્ત ઢોળી દે.


અને તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે, ને દહનીયાર્પણની જગામાં પાપાર્થાર્પણ કાપે.


જો અભિષિક્ત યાજક પાપ કરીને લોકો પર દોષ લાવે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે તે યહોવા પ્રત્યે એક ખોડખાંપણ વગરનો જુવાન વાછરડો ચઢાવે.


અને જો તે પાપાર્થર્પણને માટે હલવાનનું અર્પણ લાવે તો તે ખોડખાંપણ વગરની નારી લાવે.


અને જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાને માટે તે પોતાનું દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને માટે ટોળામાંથી નારી જાતિનું એક હલવાન કે બકરી; અને યાજક તેના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત્ત કરે.


અને તે તેઓને યાજક પાસે લાવે, ને પાપાર્થર્પણને માટે જે હોય તેને તે પ્રથમ ચઢાવે, ને તે તેની ગરદન પરથી તેનું માથું મરડી નાખે, પણ તેના બે ભાગ પાડી ન દે.


“હારુનને તથા તેના પુત્રોને એમ કહે કે, પાપાર્થાર્પણનો નિયમ આ છે: જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં યહોવાની આગળ પાપાર્થાર્પણ પણ કપાય; તે પરમપવિત્ર છે.


પણ બળદ [નું બાકીનું શરીર] તથા તેનું ચામડું તથા તેનું માંસ તથા તેનું છાણ તેણે છાવણી બહાર અગ્નિથી બાળી નાખ્યાં, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.


અને તેણે હારુનને કહ્યું, પાપાર્થાર્પણને માટે ખોડખાંપણ વગરનો એક વાછરડો તથા દહનીયાર્પણને માટે એલ ઘેટો લઈને યહોવાની સમક્ષ તેઓને ચઢાવ.


જુઓ, હું તમારે લીધે તમારા હાથને નિર્બળ કરીશ, ને તમારાં મુખો પર છાણ, એટલે તમારા ય [નાં પશુઓ] નું છાણ, ચોપડીશ. અને તમને તેની સાથે બહાર કાઢી મૂકવામાં આવશે.


અને તેના જોતાં વાછરડીનું દહન કોઈ કરે. તેના ચામડાનું, તથા તેના માંસનું, તથા તેના રક્તનું તેના છાણ સહિત, તે દહન કરે.


પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર.


Lean sinn:

Sanasan


Sanasan