Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 અને હારુન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં જાય, અથવા પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય; રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તે તેને માટે તથા તેના પછીના તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 આરોન તથા તેના પુત્રો મુલાકાતમંડપમાં જાય અથવા પવિત્રસ્થાનમાં યજ્ઞકારો તરીકે સેવા કરવા વેદી પાસે આવે ત્યારે તેઓ હમેશાં જાંઘિયા પહેરે; જેથી તેમની નગ્નતા ન દેખાય અને તેઓ માર્યા ન જાય. આરોન તથા તેના વંશજો માટે આ કાયમી નિયમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાતમંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા અંતઃવસ્ત્ર પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માટે આ કાયમી કાનૂન સદાને માટે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાત મંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા જાંધિયા પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માંટે આ કાયમી કાનૂન સદાને માંટે છે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:43
18 Iomraidhean Croise  

તેમ જ તારે મારી વેદી ઉપર સીડીથી ન ચઢવું, રખેને તે ઉપર તારી નગ્નતા દેખાય’


મુલાકાતમંડપમાં કરારકોશ આગળના પડદાની બહારની બાજુએ હારુન તથા તેના દીકરાઓ સાંજથી તે સવાર સુધી યહોવા આગળ તેની વ્યવસ્થા કરે. ઇઝરાયલીઓને માટે પેઢી દરપેઢી તે સદાનો વિધિ થાય.


એમ જ તેઓ હાથપગ ધુએ, એ માટે કે તેઓ મરે નહિ. અને તે તેઓને માટે એટલે પેઢી દરપેઢી તેને માટે તથા તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.”


તેઓ શણનાં વસ્ત્ર પહેરિને અંદરના ચોકના દરવાજાઓમાં થઈને અંદર પ્રવેશ કરે. અને અંદરના ચોકના દરવાજાઓમાં તથા અંદર સેવા કરતી વખતે તેમના અંગ પર બિલકુલ ઊનના વસ્ત્ર ન હોય.


અને તે ધૂપને યહોવાની સમક્ષ પેલા અગ્નિ પર તે નાખે. ને તેથી કરારકોશ ઉપરના દયાસનને ધુમાડો ઢાંકી નાખે, એ માટે કે તે માર્યો ન જાય.


અને જે વનદેવતાઓની પાછળ તેઓ વંઠી ગયા હતા. તેઓ પ્રત્યે હવે પછી તેઓ અર્પણ ન ચઢાવે. વંશપરંપરા તેઓને માટે હમેશનો એ વિધિ થાય.


અને ઇઝરાયલી લોકોની પવિત્ર વસ્તુઓ કે જે તેઓ યહોવાને અર્પણ કરે છે, તેમને તેઓ વટાળે નહિ,


માટે તેઓ મારું ફરમાન માને, રખેને તેને લીધે તેઓને માથે દોષ આવે, ને તેને વટાળીને તેઓ મરે; તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું.


તમારી વંશપરંપરા તમારાં વિધિ થાય, એટલે કે ચરબી કે રક્ત તમારે ખાવું જ નહિ.”


અને જો કોઈ જન સાક્ષી હોવા છતાં તેને શપથ આપવામાં આવે ત્યારે તેણે જે જોયું હોય કે જાણતો હોય, તે જાહેર ન કરીને પાપમાં પડે તો તેનો અન્યાય તેને માથે છે.


અને જો કોઈ માણસ જે કામો કરવાની યહોવાએ મના કરેલી છે તેઓમાંનું કોઈ પણ કરીને પાપ કરે, તો જો તેણે અજાણતાં કર્યું હોય તોપણ તે દોષિત છે, ને તેનો અન્યાય તેને માથે.


તમો જે મંડળીના છો તે તમારે માટે તથા પ્રવાસી પરદેશીને માટે એક જ વિધિ તમારી પેઢી દરપેઢી સદાને માટે થાય. યહોવાની આગળ જેમ તમે છો, તેમ પરદેશી પણ હોય.


અને હવેથી ઇઝરાયલી લોકો મુલાકાતમંડપની પાસે ન આવે, રખેને તેમને માથે દોષ બેસે, ને તેઓ માર્યા જાય.


અને તમે તેમાંથી તેના ઉત્તમ ભાગનું ઉચ્છાલીયાર્પણ કરો, ત્યાર પછી તેના કારણથી તમને દોષ નહિ લાગે. અને તમે ઇઝરાયલી લોકોની પવિત્ર વસ્તુઓને ન વટાળો, રખેને તમે માર્યા જાઓ.”


અને યહોવાએ હારુનને કહ્યું, “અને મેં, જુઓ, મેં ઉચ્છાલીયાર્પણોની સેવા તને આપી છે, એટલે ઇઝરાયલી લોકોની અર્પિત વસ્તુઓ [તમારા] અભિષેકના કારણથી મેં તને તથા તારા દિકરાઓને સદાના હક તરીકે આપી છે.


પણ જે માણસ શુદ્ધ હોવા છતાં, ને મુસાફરીમાં ન હોવા છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે, તે પોતાના લોકોમાંથી અલગ કરાય; કેમ કે તેણે યહોવાનું અર્પણ તેને માટે ઠરાવેલે સમયે કર્યું નહિ, તે માણસનું પાપ તેને માથે.


Lean sinn:

Sanasan


Sanasan