Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 25:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જે સર્વ હું તને બતાવું છું, એટલે મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો, તે પ્રમાણે તમે તે બનાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હું તને જે નમૂનો દેખાડું તે જ પ્રમાણે તારે મંડપ તથા તેની સર્વ સાધનસામગ્રી બનાવવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો બતાવું તે પ્રમાણે તમારે તે બનાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાંનનો નમૂનો બતાવું તે પ્રમાંણે તમાંરે તે બનાવવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 25:9
13 Iomraidhean Croise  

અને જોજે, તેઓનો જે નમૂનો તને પર્વત પર બતાવવામાં આવ્યો છે, તે પ્રમાણે તું તેઓને બનાવ.


અને પર્વત પર મંડપનો જે નમૂનો તને દેખાડવામાં આવ્યો છે. તે પ્રમાણે તું મંડપ ઊભો કર.


મુલાકાતમંડપના માંડવાનું બધું કામ એ પ્રમાણે પૂરું થયું; અને યહોવાએ મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું.


જે આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી, તે સર્વ પ્રમાણે ઇઝરાયલી લોકોએ સર્વ કામ કર્યું.


અને મૂસાએ બધું કામ જોયું, તો જુઓ, તેઓએ તે પૂરું કર્યું હતું; જેમ યહોવાએ આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે તેઓએ તે કર્યું હતું; અને મૂસાએ તેમને આશીર્વાદ આપ્યો.


અને તેઓ સેવાની સર્વ સામગ્રી જે વડે તેઓ પવિત્રસ્થાનમાં સેવા કરે છે તે લે, ને નીલ રંગના કપડામાં તે મૂકે, ને સીલના ચામડાના આચ્છાદનથી તે ઢાંકી દિઇને ભૂંગળ પર તે મૂકે.


અને દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેની બેસણીથી તેનાં ફૂલો સુધી તે ઘડતર કામનું હતું : જે નમૂનો યહોવાએ મૂસાને બતાવ્યો હતો, તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યું.


જેણે મૂસાને કહ્યું, ‘જે નમૂનો તેં જોયો છે તે પ્રમાણે તારે સાક્ષ્યમંડપ બનાવવો, તેમના ઠરાવ મુજબ અરણ્યમાં આપણા પૂર્વજોની પાસે [તે સાક્ષ્યમંડપ] હતો.


અને પવિત્રસ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહિ પણ પ્રભુએ ઊભો કરેલો છે, તેના તે સેવક છે.


તેઓ આકાશમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, જેમ મૂસાને જ્યારે તે મંડપ ઊભો કરવાનો હતો, ત્યારે ઈશ્વર તરફથી સૂચના મળી હતી તેમ. કેમ કે તેમણે કહ્યું, “જો જે નમૂનો પહાડ પર તને દેખાડવામાં આવ્યો હતો, તે પ્રમાણે બધી વસ્તુઓ કાળજી રાખીને બનાવ.”


કેમ કે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો, એટલે પહેલા [ભાગ] માં દીવી, મેજ તથા અર્પિત રોટલી હતી; તેને પવિત્રસ્થાન કહેતા હતા.


વર્તમાનકાળને માટે તે [મંડપ] નમૂનારૂપ હતો. તે પ્રમાણે જે અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યાં હતાં, તેઓ ભજન કરનારનું અંત:કરણ સંપૂર્ણ [પવિત્ર] કરવાને સમર્થ નહોતાં.


Lean sinn:

Sanasan


Sanasan