Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 24:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેણે કરારનું પુસ્તક લઈને લોકોના સાંભળતાં વાંચ્યું; અને લઈને લોકોના સાંભળતા વાંચ્યું; અને તેઓએ કહ્યું, “યહોવાએ જે કહ્યું છે તે બધું અમે કરીશું ને પાળીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પછી તેણે કરારનું પુસ્તક, જેમાં તેણે પ્રભુની આજ્ઞાઓ લખી હતી તે લીધું અને લોકો સમક્ષ મોટે અવાજે વાંચી સંભળાવ્યું. તેમણે કહ્યું, “અમે પ્રભુને આધીન રહીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાહે જે જે કહ્યું છે તે બધું અમે માથે ચઢાવીશું અને તે પ્રમાણે કરીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાએ જે જે કહ્યું છે તે બધું અમે માંથે ચઢાવીશું અને તે પ્રમાંણે કરીશું.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 24:7
17 Iomraidhean Croise  

ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે વખતે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે પથ્થરપાટી કોશમાં મૂકી હતી, તે સિવાય તેમાં બીજું કંઈ નહોતું.


તેઓએ યહોવાની આગળ મોટે સાદે પોકારીને તથા રણશિંગડાં ને તુરાઈઓ વગાડીને સોગન ખાધા.


“જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યો છે એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”


પરંતુ તેઓએ પોતાને મુખે તેમની ખુશામત કરી, અને પોતાની જીભે તેમની આગળ જૂઠું બોલ્યા.


અને સર્વ લોકોએ એક મતે ઉત્તર આપીને કહ્યું કે, યહોવાએ જે ફરમાવ્યું તે બધું અમે કરીશું. અને લોકો જે બોલ્યા તે મૂસાએ યહોવાની આગળ જાહેર કર્યું.


યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જ્યારે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી, એટલે દાસત્વના ઘરમાંથી કાઢી લાવ્યો, તે દિવસે મેં તેઓની સાથે કરાર કરીને કહ્યું હતું કે,


અમારા ઈશ્વર યહોવાની પાસે અમે તને મોકલીએ છીએ, તેમનું કહ્યું અમે માનીશું, પછી તે સારું હોય કે માઠું હોય; અને એ પ્રમાણે અમારા ઈશ્વર યહોવાનું કહ્યું માનવાથી અમારું હિત થાય.”


તારી પાસે થઈને જતા મેં તારા પર નજર નાખી ત્યારે, જો, તારી ઉંમર પ્રમ કરવા યોગ્ય ઉંમર હતી! અને મેં મારી ચાળ તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. હા, પ્રભુ યહોવા કહે છે કે, મેં તારી અગળ સોગન ખાધા ને તારી સાથે કરાર કર્યો, ને તું મારી થઈ.


શું આપણ સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યાં નથી? તો શા માટે આપણે સર્વ આપણા ભાઈઓ સાથે કપટથી વર્તીને આપણા પૂર્વજોના કરારનો ભંગ કરીએ છીએ?


નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો [નાં વચનો] નું વાચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહાવી મોકલ્યું, “ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.”


તમે આ પત્ર વાંચ્યા પછી લાઓદિકિયાની મંડળીમાં પણ વંચાવજો. અને લાઓદિકિયાથી જે પત્ર આવે તે તમે વાંચજો.


હું તમને પ્રભુના સમ દઈને કહું છું કે, આ પત્ર સર્વ ભાઈઓને વાંચી સંભળાવજો.


અને લોકોએ યહોશુઆને કહ્યું, “આપણા ઈશ્વર યહોવાની જ સેવા અમે કરીશું, ને તેમની જ વાણી અમે સાંભળીશું.”


Lean sinn:

Sanasan


Sanasan