Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 22:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જો તું કદી તારા પડોશીનું વસ્‍ત્ર ગીરો રાખે, તો સૂર્યાસ્ત થયા અગાઉ તે તેને પાછું આપવું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 જો તમે કોઈનું વસ્ત્ર ગીરવે રાખો તો સૂર્યાસ્ત પહેલાં તે તેને પાછું આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જો તમે તમારા પડોશીનું વસ્ત્ર ગીરે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમારે તે તેને પાછું આપવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 જો તમે તમાંરા પડોશીનું વસ્ત્ર ગીરવે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમાંરે તે તેને પાછું આપવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 22:26
16 Iomraidhean Croise  

કેમ કે તેં પોતાના ભાઈની [ઘરેણે મૂકેલી] થાપણ મફત લઈ લીધી છે. અને [તારા દેણદારોનાં] વસ્ત્રો કાઢી લઈને તેઓને નગ્ન કરી દીધા છે.


તેઓ અનાથનું ગધેડું હાંકી જાય છે, તેઓ વિધવાના બળદને ગીરો મૂકવા માટે લઈ જાય છે.


તેઓ આખી રાત વસ્ત્ર વિના નગ્ન સૂઈ રહે છે, અને ટાઢમાં ઓઢવાને તેમની પાસે કંઈ નથી.


અનાથ બાળકોને ધાવતાં ખેંચી લેનારા, તથા ગરીબોનાં અંગ પરનાં [વસ્ત્રો] ગીરોમાં લેનારા પણ છે;


આમ તેઓએ ગરીબની બૂમ તેમની પાસે પહોંચાડી, અને તેમણે દુ:ખીઓની બૂમ સાંભળી.


તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ [કરનારા] તથા ઈર્ષા [ખોરો] ને નજરમાં રાખો છો; નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથના બેલી થયા છો.


યહોવાના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે.


પરદેશીની જામીની કરનારનું વસ્‍ત્ર લઈ લે; અને પારકાનો જામીન થનારને જવાબદાર ગણ.


[કેમ કે] જો તારી પાસે દેવું વાળી આપવાને માટે કંઈ ન હોય, તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે લઈ જાય?


તેમ કોઈને નાહક રંજાડ્યું ન હોય, કંઈ ચીજ ગીરો લીધી ન હોય, તેમ જુલમ કરીને લૂંટફાટ કરી ન હોય પણ ભૂખ્યાને અન્ન આપ્યું ન હોય, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હોય,


અને કોઈને નાહક નુકસાન કર્યુ નહિ હોય, પણ દેવાદારે ગીરો [મૂકેલી વસ્તુ] તેને પાછી અપી હશે, જુલમ કરીને કોઈને લૂંટ્યો નહિ હોય, પોતાનું અન્ન ભૂખ્યાને આપ્યું હશે,, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હશે;


જો તે દુષ્ટ માણસ ગીરો મૂકેલી વસ્તુ પાછી આપે, પોતે જે લૂંટી લીધું હોય તે પાછું આપે, ને કંઈ પાપ ન કરતાં જીવનના વિધિઓ પ્રમાણે ચાલે, તો તે નક્કી જીવતો રહેશે, તે માર્યો જશે નહિ.


તેઓ પ્રત્યેક વેદીની બાજુએ ધરેણે લીધેલાં લૂગડાં પર સૂએ છે, ને જેઓને દંડ થયેલો હોય તેવાઓનો દ્રાક્ષારસ તેઓ પોતાના ઈશ્વરના મંદિરમાં પીએ છે.


પરદેશીનો કે નબાપાનો ન્યાય તું ન મરડ. તેમ જ વિધવાનું વસ્‍ત્ર ઘરેણે ન રાખ.


કોઈ માણસ ઘંટી કે ઘંટીનું ઉપલું પડ ઘરેણે ન લે; કેમ કે તે માણસની ઉપજીવિકા ઘરેણે લે છે.


Lean sinn:

Sanasan


Sanasan