Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 22:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને જો કોઈ માણસ પોતાના પડોશીની પાસેથી કંઈ માગી લે, ને તેનો માલિક તેની સાથે ન હોય એટલામાં તેને નુકસાન થાય અથવા તે મરી જાય, તો તે નક્કી નુકસાની ભરી આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 “જો કોઈ માણસ બીજા પાસેથી ઢોર ઉછીનું લે અને ઢોરને તેના માલિકની ગેરહાજરીમાં ઇજા થાય અથવા તે મરી જાય તો તેને ઉછીનું લેનાર માણસ તેની નુક્સાની ભરી આપે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને જો કોઈ માણસ પોતાના પડોશી પાસેથી કોઈ પશુ ઉછીનું માગી લે અને તેનો માલિક તેની સાથે ના હોય એવા સંજોગોમાં તેને કશી ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પૂરેપૂરો બદલો ભરપાઈ કરી આપવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “અને જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પાસેથી કોઈ પ્રાણી ઉછીનું માંગી લે, અને તેનો ધણી તેની સાથે ના હોય તે સ્થિતીમાં તેને કંઈ ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પુરેપુરો બદલો આપવો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 22:14
11 Iomraidhean Croise  

કેટલાકે એમ કહ્યું, “રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે.


દુષ્ટ ઉછીનું લે છે, અને પાછું આપતો નથી; પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને [દાન] આપે છે.


તો ખાડાનો માલિક તે [નું મૂલ્ય] ભરી આપે; તે તેમના માલિકને પૈસા આપે, ને મૂએલું [જાનવર] તેનું થાય.


તો તે બન્‍ને માણસ યહોવાના સમ ખાય, કે મેં મારા પડોશીની વસ્‍તુને હાથ અડકાડયો નથી; એટલે તેનો માલિક તે કબૂલ રાખે, ને પડોશી નુકસાની ભરી આપે નહિ.


જો તેને ફાડી ખાવામાં આવ્યું હોય તો તે તેને પુરાવા તરીકે રજૂ કરે; ફાડી નંખાયેલાને માટે તે નુકસાની ભરી આપે નહિ.


જો તેનો માલિક તેની સાથે હોય, તો તે નુકસાની ભરી આપે નહિ. જો તે ભાડે લાવવામાં આવ્યું હોય, તો ભાડામાં તે વળી ગયું [સમજવું].


અને જે જન પશુને એવું મારે કે તે મરી જાય, તે તેનો બદલો ભરી આપે:જીવને બદલે જીવ.


જે કોઈ તારી પાસે માગે છે તેને તું આપ, ને તારી પાસે જે ઉછીનું લેવા ઇચ્છે છે, તેનાથી મોં ન ફેરવ.


પણ તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો; કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે.


અને છૂટકો કરવાની રીત આ છે: પ્રત્યેક લેણદાર પોતાના પડોશીને પોતે જે ધીર્યું હોય તે જવા દે; તે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી બળજબરીથી તે પાછું લે નહિ, કેમ કે યહોવાના માનાર્થે છુટકારાનો ઢંઢેરો પિટાવવામાં આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan