Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 21:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જે માણસે તેને રાખી હોય તેને જો તે ન ગમે, તો તે તેનું મૂલ્ય લઈને તેને છૂટી થવા દે. પારકા લોકોને ત્યાં તેને વેચવાની સત્તા તેને નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 માલિકે તેને પોતાની પત્ની થવા માટે રાખી હોય અને પછી તે તેને પસંદ ન પડે તો તે સ્ત્રીના પિતા પાસેથી મૂલ્ય લઈને તેને મુક્ત કરવી. માલિક તેને કોઈ પારકાને વેચી શકે નહિ, કારણ, તેણે તેની સાથે બેવફાઈ કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જેણે તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે, જો માલિકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોય, તો પારકા લોકોને તેને વેચવાની તેની સત્તા રહેતી નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જે વ્યક્તિએ તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે છે, જો ધણીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યુ હોય, તો તે તેણે બીજા લોકોને વેચવાનો હક્ક ગુમાંવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 21:8
13 Iomraidhean Croise  

અને એસાવે જોયું કે મારા પિતા ઇસહાકને કનાન દેશની દીકરીઓ ગમતી નથી;


મારા ભાઈઓ નાળાની માફક ઠગાઈથી વર્ત્યા છે, એટલે લોપ થઈ જતા વહેળા કે,


અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા માટે વેચે, તો દાસોની પેઠે તે ન છૂટે.


અને જો તે તેના દીકરાને માટે તેને રાખે, તો તે તેની પ્રત્યે પોતાની પુત્રીઓની જેમ વર્તે.


અને મૂસાએ કહ્યું, “જુઓ, હું હવે તમારી પાસેથી બહાર જાઉં છું, અને હું યહોવાને વિનંતી કરીશ કે ફારુન પાસેથી તથા તેમના સેવકો પાસેથી તથા તેમની પ્રજા પાસેથી કાલે માખીઓ દૂર થાય. કેવળ ફારુને ફરીથી કપટ કરીને યહોવાની આગળ યજ્ઞ કરવા માટે લોકોને જવા દેવાની મના કરવી નહિ.”


તેઓએ અપરાધ કર્યો છે માટે હું દેશને ઉજ્જડ કરીશ” એમ પ્રભુ યહોવા કહે છે.


અને જે કોઈ સ્‍ત્રીની સાથે સગાઈ કરીને તેને તેડી લાવ્યો ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજો તે સ્‍ત્રીને લે.


ત્યારે તેનાં માતાપિતાએ તેને કહ્યું, “તારા ભાઈઓની દીકરીઓમાં અથવા મારા સર્વ લોકોમાં શું કોઈ સ્‍ત્રી નથી કે, તું બેસુન્‍નત પલિસ્તીઓમાં સ્‍ત્રી લેવા જાય છે?” સામસૂને પોતાના પિતાને કહ્યું, “મારા માટે તેને લાવો કેમ કે તે મને બહુ ગમે છે.”


ત્યારે જો આજે તમે યરુબાલની તથા તેના ઘરનાંની સાથે વાસ્તવિક રીતે તથા પ્રામાણિકપણે વર્ત્યા હો, તો તમે અબીમેલેખને વિષે આનંદ કરો, ને તે પણ તમારે વિષે આનંદ કરે.


એથી શાઉલને ઘણો ક્રોધ ચઢ્યો, ને આ રાસડાથી તેને ખોટું લાગ્યું. અને તેણે કહ્યું, “દાઉદને તેઓએ દશ સહસ્રનું માન આપ્યું છે, ને મને તો તેઓએ માત્ર સહસ્રનુમ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?”


પણ ‘અમારો ન્યાય કરવા માટે અમને રાજા આપો.’ એમ તેઓએ કહ્યું ત્યારે તે વાતથી શમુએલને માઠું લાગ્યું. પછી શમુએલે યહોવાની પ્રાર્થના કરી.


Lean sinn:

Sanasan


Sanasan