Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 1:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 એ માટે ઈશ્વરે દાયણોનું ભલું કર્યું, અને લોક વધીને ઘણા સમર્થ થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20-21 તેથી ઈશ્વરે દાયણોનું ભલું કર્યું. વળી, દાયણો ઈશ્વરનો ડર રાખનારી હોવાથી ઈશ્વરે તેમનાં કુટુંબોને પણ સ્થાપિત કર્યાં. ઇઝરાયલીઓ વસ્તી અને શક્તિમાં વધતા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેથી ઈશ્વરે એ દાયણો પર કૃપા દર્શાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તેથી દેવે એ દાયણોનું ભલું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 1:20
17 Iomraidhean Croise  

કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમના ભક્તો પર તેમની કૃપા વિશાળ છે.


જેઓ તેમના ભક્તો છે તેમને તેમણે ખોરાક આપ્યો છે. તે પોતાના કરારનું સદાકાળ સ્મરણ રાખશે.


તેમના ભક્તોની ઇચ્છાને તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે.


કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; તમારા ભક્તોને તમે વારસો આપ્યો છે.


નિશ્ચે તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે; જેથી અમારા દેશમાં ગૌરવ રહે.


પણ જેમ જેમ તેઓ તેમને દુ:ખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા ને વિશાળ વિસ્તાર પામતા ગયા. અને ઇઝરાયલી લોકોથી તેઓ ત્રાસ પામ્યા.


ત્યારે તે દાયણોએ ફારુનને કહ્યું, “કારણ એટલું જ છે કે હિબ્રૂ સ્‍ત્રીઓ મિસરી સ્‍ત્રીઓ જેવી નથી; કેમ કે તેઓ એવી ચાલાક છે કે તેઓની પાસે દાયણો પહોંચે તે પહેલાં તો તેઓ જન્મ આપી દે છે.”


અને ઇઝરાયલપુત્રો સફળ થઈને ઘણાં જ વધ્યા, ને વિસ્તાર પામીને અતિ સમર્થ થયા; અને તેઓથી દેશ ભરપૂર થઈ ગયો.


દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો [મળે છે].


ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.


જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે, તોપણ હું જાણું છું કે સાચે જ જેઓ ઈશ્વરનો ડર રાખે છે તથા તેમની સમક્ષ બીહે છે તેમનું ભલું થશે જ;


ન્યાયીને ધન્ય છે, તેનું કલ્યાણ થશે; તેઓ પોતાની કરણીનું ફળ ભોગવશે.


અને હું તમને ખચીત કહું છું કે શિષ્ય તરીકે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપે, તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહિ.”


ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, હું તમને ખચીત કહું છું, આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’


જેઓ તેમનું ભય રાખે છે તેઓ પર પેઢી દરપેઢી તેમની દયા રહે છે.


કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.


Lean sinn:

Sanasan


Sanasan