Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 1:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ જેમ જેમ તેઓ તેમને દુ:ખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા ને વિશાળ વિસ્તાર પામતા ગયા. અને ઇઝરાયલી લોકોથી તેઓ ત્રાસ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પણ જેમ જેમ તેમના પર જુલમ વધતો ગયો તેમ તેમ તેમની વસ્તી વધતી ગઈ અને દેશમાં વિશેષ પ્રમાણમાં ફેલાતા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ જેમ જેમ તેઓ ઇઝરાયલીઓને પીડા આપતા ગયા તેમ તેમ તેઓ સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા. તેથી મિસરના લોકો ઇઝરાયલના લોકોથી ઘણા ભયભીત થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પણ જેમ જેમ તેમના પર ત્રાસ વધતો ગયો તેમ તેમ તેમની વૃદ્ધિ થતી ગઈ. વિસ્તાર વધતો ગયો અને મિસરના લોકો ઇસ્રાએલી લોકોથી વધારેને વધારે ભયભીત થવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 1:12
17 Iomraidhean Croise  

અને ઈશ્વરે કહ્યું, “હું ઈશ્વર, તારા પિતાનો ઈશ્વર છું; મિસરમાં જતાં બીશ નહિ; કેમ કે ત્યાં હું તારાથી એક મોટી પ્રજા ઉત્પન્‍ન કરીશ.


વળી તમે તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃધ્ધી કરી, અને જે દેશ વિષે તમે તેઓના પૂર્વજોને કહ્યું હતું, ‘તેઓ તેમાં પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરશે, ’ તેમાં તમે તેઓને લાવ્યા.


કેમ કે બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે, અને ઈર્ષા મૂઢનો જીવ લે છે.


તેમણે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા, અને તેમના દુશ્મનો કરતાં તેઓને બળવાન કર્યા.


તે તેઓને આશીર્વાદ આપે છે, અને તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે; વળી તે તેઓનાં ઢોરઢાંકને ઘટી જવા દેતા નથી.


એ માટે ઈશ્વરે દાયણોનું ભલું કર્યું, અને લોક વધીને ઘણા સમર્થ થયા.


અને ઇઝરાયલપુત્રો સફળ થઈને ઘણાં જ વધ્યા, ને વિસ્તાર પામીને અતિ સમર્થ થયા; અને તેઓથી દેશ ભરપૂર થઈ ગયો.


તેણે પોતાના લોકોને કહ્યું, “જુઓ, ઇઝરાયલી લોકો આપણા કરતાં ઘણા તથા બળવાન છે;


યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી.


ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?


અને મોઆબ તે લોકોથી બહુ બીધો, કેમ કે તેઓ ઘણા હતા. અને ઇઝરાયલીઓના કારણથી મોઆબ ત્રાસ પામ્યો.


તે માટે ફરોશીઓએ અંદરોઅંદર કહ્યું, “જુઓ, તમારું તો કંઈ વળતું નથી; જુઓ આખું જગત તેમની પાછળ ગયું છે.”


વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ એમ કહેવું, ‘મારો પિતા મરવાની તૈયારીમાં આવેલો એક અરામી હતો, ને તે મિસરમાં ગયો ને ત્યાં રહ્યો, ને તેના [લોકની] સંખ્યા થોડી હતી. અને ત્યાં એક મોટી, બળવાન તથા વિસ્તીર્ણ પ્રજા થઈ ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan