Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 7:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યાર એસ્તેર રાણીએ ઉત્તર આપ્યો, “હે રાજા, જો મારા પર આપની કૃપાર્દષ્ટિ હોય, અને જો આપની મરજી હોય, તો મને જીવતદાન આપો, એ મારી અરજ છે, અને મારા લોક મને આપો, એ મારી વિનંતી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 એસ્તેર રાણીએ જવાબ આપ્યો, “હે રાજા, આપ મારા પર પ્રસન્‍ન હો અને આપની મરજી હોય તો મારી આટલી વિનંતી માન્ય રાખો: મને અને મારા લોકને જીવતદાન આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે એસ્તેર રાણીએ કહ્યું, “હે રાજા જો મારા પર આપની કૃપાદ્રષ્ટિ હોય અને જો આપની મરજી હોય, તો મને જીવતદાન આપો એ મારી અરજ છે અને મને મારા લોક આપો તેઓને જીવતા રહેવા દો. એટલી મારી વિનંતી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 રાણી એસ્તેરે કહ્યું, “જો આપ મારા પર પ્રસન્ન થયા હોય, અને જો આપને આ યોગ્ય લાગતું હોય, તો મારી એટલી વિનંતી છે કે, મને અને મારા લોકોને જીવવા દો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 7:3
9 Iomraidhean Croise  

તેના ચાકરોએ તેને કહ્યું, “હવે જુઓ, અમે સાંભળ્યું છે કે ઇઝરાયલના રાજાઓ દયાળુ છે; તો કૃપા કરીને અમને અમારી કમરે ટાટ તથા અમારા માથા પર દોરડાં વીંટાળીને ઇઝરાયલના રાજા પાસે જવા દો. કદાચ તે તમારો જીવ બચાવે.”


ફરીથી અહાઝ્યાએ ત્રીજા પચાસ [સિપાઈઓ] ના જમાદારને તેના પચાસ [સિપાઈઓ] સાથે મોકલ્યો. એ ત્રીજો પચાસ [સિપાઈઓ] નો જમાદાર ઉપર ચઢ્યો, ને જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેના કાલાવાલા કરીને તેને કહ્યું, “હે ઈશ્વરભક્ત, કૃપા કરીને મારો જીવ તથા તમારા આ પચાસ દાસોના જીવ તમારી ર્દષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.


વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ મોર્દખાયે તેને આપી કે, હથાક એસ્તેરને તે દેખાડે, અને તેને કહી બતાવે. અને એસ્તેરને વીનવે કે રાજાની હજૂરમાં જઈને તે પોતાના લોકને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે.


જો આપની મારા પર કૃપાર્દષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઈચ્છા હોય, તો રાજા ને હામાન જે મિજબાની હું તેઓને માટે તૈયાર કરું, તેમાં આવે, એટલે રાજાના કહેવા પ્રમાણે હું કાલે કરીશ.”


રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને મહેલના બાગમાં ગયો; હામાન પોતાનો જીવ બચાવવાને માટે એસ્તેર રાણીને વિનંતી કરવાને ઊભો થયો; કેમ કે તે સમજી ગયો કે, “મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે.”


તેણે કહ્યું, “જો આપની મરજી હોય, અને જો મારા પર આપની કૃપાદષ્ટિ હોય, અને આ વાત આપને યોગ્ય લાગતી હોય, અને આપની આંખોને હું ગમતી હોઉં, તો રાજાના સર્વ પ્રાંતોના યહૂદીઓનો નાશ કરવાના ઇરાદાથી અગાગી હામ્માદાથાના પુત્ર હામાને જે પત્રો લખ્યા હતા, તે રદ કરવાનો [હુકમ] આપવો જોઈએ;


શેતાને યહોવાને ઉત્તર આપ્યો, “ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.


ત્યારે તું તેઓને કહેજે કે, રાજા મને યહોનાથાણા ઘરમાં મરવાને પાછો ન મોકલે એવી દીન વિનંતી મેં તેને કરી.”


Lean sinn:

Sanasan


Sanasan