Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ મોર્દખાયે તેને આપી કે, હથાક એસ્તેરને તે દેખાડે, અને તેને કહી બતાવે. અને એસ્તેરને વીનવે કે રાજાની હજૂરમાં જઈને તે પોતાના લોકને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 યહૂદીઓનો નાશ કરવા માટે સૂસામાં બહાર પાડવામાં આવેલ હુકમની નકલ પણ તેણે હથાકને આપી; જેથી તે એસ્તેરને બતાવીને તેની જાણ કરે, જેથી એસ્તેર રાજાની પાસે જઈને પોતાના લોક માટે આગ્રહપૂર્વક દયાની યાચના કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ મોર્દખાયે તેને આપી કે, હથાક એસ્તેરને તે બતાવે. અને તેને કહી સંભળાવે. અને એસ્તેરને વીનવે કે રાજાની સમક્ષ જઈને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 વળી તેઓનો નાશ કરવાનો હૂકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ તેણે તેને આપી કે, તે એસ્તેરને તે દેખાડે, અને તેને વિનંતી કરે કે રાજાની હજૂરમાં જઇને તે પોતાના લોકોને માટે કાલાવાલા કરીને તેમને બચાવવા અરજ કરે.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 4:8
14 Iomraidhean Croise  

મોર્દખાયના ફરમાવ્યા‍ પ્રમાણે હજુ સુધી એસ્તેરે પોતાની જાત ગોત્ર વિષે ખબર પડવા દીધી ન હતી. એસ્તેર મોર્દખાયને ઘેર રહેતી હતી, ત્યારની જેમ હાલ પણ તે તેની આજ્ઞા પાળતી હતી.


હથાકે પાછા આવીને મોર્દખાયનું કહેલું એસ્તેરને કહ્યું,


કેમ કે મારા લોક પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી શી રીતે જોઈ શકાય? અથવા મારાં સગાંનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય?”


જો હું ન્યાયી હોત, તોપણ હું તેમને ઉત્તર ન આપત; હું મારા ન્યાયધીશને કાલાવાલા કરત.


યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; તારા પર પ્રેમ રાખનારાં ક્ષેમકુશળ રહો.


પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


જો અધિકારીનો મિજાજ તારા પર તપી જાય, તોપણ તારી જગા છોડી ન દે; કેમ કે નમી જવાથી ભારે ગુસ્સો સમી જાય છે.


હવે તૂરના તથા સિદોનના લોકો પર [હેરોદ] ઘણો કોપાયમાન થયો હતો. પણ તેઓ સર્વ સંપ કરીને તેની પાસે આવ્યા, અને રાજાના મુખ્ય ખવાસ બ્લાસ્તસને પોતાના પક્ષમાં લઈને સલાહની માગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દેશ પર હતો.


જે ઈશ્વર સર્વને સજીવન કરે છે તેમની આગળ તથા ઈસુ ખ્રિસ્ત, જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે,


આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.


Lean sinn:

Sanasan


Sanasan