Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 3:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અહાશ્વેરોશ રાજાના બારમાં વર્ષના પહેલા માસમાં, એટલે નીસાન માસમાં દિવસ અને મહિનો નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ [એટલે ‘પૂર’] નાખવામાં આવી, અને બારમા માસના, એટલે અદાર માસના તેરમા દિવસ પર ચિઠ્ઠી પડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 અહાશ્વેરોશ રાજાના અમલના બારમા વર્ષે પ્રથમ એટલે નિસાન માસમાં હામાને એની યોજના માટેનો મહિનો અને દિવસ નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ (એટલે પૂરીમ) નાખવાનો આદેશ કર્યો. ચિઠ્ઠીઓ નાખતાં બારમા એટલે અદાર માસનો તેરમો દિવસ નક્કી થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અહાશ્વેરોશ રાજાના બારમા વર્ષના પહેલા મહિનામાં એટલે કે નીસાન મહિનામાં પ્રતિદિન અને પ્રતિમહિનાને માટે હામાનની હાજરીમાં ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમા દિવસ પર ચિઠ્ઠી પડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 રાજા અહાશ્વેરોશના અમલના બારમા વર્ષ પહેલા એટલે કે નીસાન મહિનામાં હામાને ફાંસીનો દિવસ નક્કી કરવા ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમો દિવસ પસંદ થયો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 3:7
13 Iomraidhean Croise  

અહાશ્વેરોશના રાજ્યના પ્રારંભમાં, તેઓએ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓ ઉપર તહોમત મૂકીને તેઓની વિરુદ્ધ એક કાગળ લખ્યો.


દાર્યાવેશ રાજાના રાજ્યના છઠ્ઠા વર્ષમાં, અદાર માસને ત્રીજે દિવસે, એ મંદિર પૂરેપૂરું બંધાઈ રહ્યું.


આર્તાહશાસ્તા રાજાને વીસમે વર્ષે નીસાન માસમાં તેમની આગળ દ્રાક્ષારસ હતો, તે સમયે મેં તે દ્રાક્ષારસ લઈને રાજાને આપ્યો. હું કદી એ પહેલાં તેમની હજૂરમાં ઉદાસ થયો નહતો.


તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે પોતાના સર્વ સરદારોને તથા પોતાના હજૂરિયાને મિજબાની આપી. ત્યારે ઈરાન તથા માદાયના અમલદારો, પ્રાંતોના અમીરો તથા સરદારો તેની હજૂરમાં હાજર થયા હતા.


એસ્તેર અહાશ્વેરોશ રાજાની કારકિર્દીના સાતમા વર્ષના દશમા માસમાં, એટલે ટેબેથ માસમાં, તેની હજૂરમાં તેના રાજમહેલમાં દાખલ થઈ.


હવે બારમા માસને, એટલે અદાર માસને, તેરમે દિવસે રાજાની આજ્ઞાનો તથા તેના હુકમનો અમલ કરવાનો વખત નજીક આવ્યો, તે દિવસે તો યહૂદીઓના શત્રુઓએ તેઓ ઉપર સત્તા મેળવવાની આશા રાખી હતી; પરંતું તેથી ઊલટું એમ બન્યું કે, યહૂદીઓએ જે પોતાના વેરીઓ ઉપર સત્તા મેળવી.


લેખીત હુકમ મોકલ્યો, “અદાર માસને ચૌદમે તથા પંદરમે દિવસે તમારે વરસોવરસ [તહેવાર] પાળવા.


યહૂદીઓએ પોતાના સર્વ સત્રુઓનો તરવારથી સંહાર કરીને તેમનો નાશ કર્યો, અને પોતાના દ્વેષીઓ સાથે પોતાની મરજીમાં આવે તેમ વર્તન ચલાવ્યું.


ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાંનો નિર્ણય યહોવાના હાથમાં છે.


અને તેમને વધસ્તભે જડ્યા પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમનાં વસ્‍ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં.


Lean sinn:

Sanasan


Sanasan