Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 2:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 મોર્દખાય રાજાના દરવાજામાં બેઠેલો હતો તે દરમિયાન રાજાના દરવાનોમાંના બિગ્થાન તથા તેરેશ નામના બે ખવાસોએ ગુસ્સે થઈને અહાશ્વેરોશ રાજા પર હાથ નાખવાની કોશિશ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 મોર્દખાય રાજદ્વારી નિમણૂક ધરાવતો હતો ત્યારે બિગ્થાન તથા તેરેશ રાજાના અંગરક્ષકો હતા. તેઓ બન્‍નેને રાજા પર ગુસ્સો આવ્યો અને તેમણે રાજાને મારી નાખવાનું કાવતરું ઘડયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 મોર્દખાય રાજાના પ્રવેશદ્વારની બાજુમાં બેઠો હતો. તે દરમિયાન રાજાના દ્વારપાળોમાંના બે અધિકારીઓ બિગ્થાન અને તેરેશ ગુસ્સે થઈને અહાશ્વેરોશ રાજાની હત્યા કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 જ્યારે મોર્દખાય રાજાના દરવાજાની બાજુમાં બેઠો હતો તે દરમ્યાન રાજાના દરવાજાના માર્ગે ચોકી કરતા બે અધિકારીઓ બિગ્થાન અને તેરેશ જે રાજાથી ગુસ્સે થયા હતા અને તેમણે અહાશ્વેરોશનું ખૂન કરવાનું કાવત્રું રચ્યું.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 2:21
13 Iomraidhean Croise  

દાઉદે અબિશાયને તથા પોતાના બધા ચાકરોને કહ્યું, “જુઓ, મારા પેટનો દીકરો મારો પ્રાણ લેવા માગે છે, તો આ બિન્યામીની એ પ્રમાણે કરે એમાં શી નવાઈ? તેને રહેવા દો, તે ભલે શાપ આપે, કેમ કે યહોવાએ તેને ફરમાવ્યું છે.


તેનો ચાકર ઝિમ્રી, જે તેના રથોના અર્ધા ભાગ પર નાયક હતો, તેણે એલાની વિરુદ્ધ બંડ કર્યું. હવે તે તિર્સામાં હતો, ને તિર્સામાંના તેના ઘરનો કારભારી આર્સા નામે એક જણ હતો; તેના ઘરમાં પીને રાજા ચકચૂર થયો હતો.


અને તેના ચાકરોએ ઊઠીને કાવતરું કર્યું, ને યોઆશને મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર મારી નાખ્યો.


અને આમોનના ચાકરોએ રાજા સામે બંડ કર્યું, ને તેને તેના પોતાના મહેલમાં મારી નાખ્યો.


અહાશ્વેરોશના રાજ્યના પ્રારંભમાં, તેઓએ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓ ઉપર તહોમત મૂકીને તેઓની વિરુદ્ધ એક કાગળ લખ્યો.


બીજી વખત કુમારિકાઓ એકઠી કરવામાં આવી ત્યારે મોર્દખાય રાજાના દરવાજામાં બેઠો હતો.


તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે કાળવૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી, ને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું.


તેમાં એવું લખેલું માલૂમ પડ્યું, “રાજાના દરવાનોમાંના બે ખવાસો, નામે બિગ્થાના તથા તેરેશ, જેઓ અહાશ્વેરોશ રાજાના જાન ઉપર હાથ નાખવાની કોશિશ કરતા હતા, તે વિષે મોર્દખાયે ખબર આપી હતી.”


તે રાજાઓને તારણ આપનાર છે; તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.


દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી તે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાબિલ પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા; પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan