Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 1:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જો રાજાની ઇચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પાડવું જોઈએ, ને તે ફરે નહિ માટે ઈરાનના તથા માદાયના કાયદાઓમાં તે નોંધાવું જોઈએ કે, ‘વાશ્તી હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવે; અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી હોય તેને આપવું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તેથી હે રાજા, આપને યોગ્ય લાગે તો એક રાજવી વટહુકમ બહાર પાડો કે વાશ્તી રાણી રાજાની સમક્ષ કદી હાજર થાય નહિ. તેની નોંધ ઇરાન અને માદાયના કાયદાઓમાં કરો જેથી તે કદી બદલી શકાય નહિ. વળી, તેનું રાણીપદ બીજી કોઈ યોગ્ય સ્ત્રીને આપો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જો રાજાની સંમતિ હોય તો એક કડક બાદશાહી ફરમાન બહાર પાડવામાં આવે અને તે બદલાય નહિ માટે ઇરાન તથા માદીના કાયદાઓમાં તે નોધાવું જોઈએ કે, ‘વાશ્તીએ હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવવું.’ અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી રાણીને આપવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “જો રાજાને પસંદ પડે તો અમારીં સલાહ આ છે: જેને ઇરાન અને માદાયના કાનૂનોમાં લખવામાં આવશે અને તેને બદલી શકાશે નહિ, શાહી ફરમાન બહાર પાડો: ‘વાશ્તી રાણીએ અહાશ્વેરોશ રાજાની હાજરીમાં ક્યારેય ન આવવું.’ પછી આપ બીજી કોઇ વધુ પાત્રતાવાળી સ્ત્રીને રાણી બનાવો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 1:19
10 Iomraidhean Croise  

રજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.


ઈરાન તથા માદાયના સરદારોની સ્ત્રીઓએ રાણીના એ કૃત્ય વિષે સાંભળ્યું હશે, તેઓ પણ આજે રાજાના સર્વ સરદારોને [એમ જ] ગણશે. અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ [ઉત્પન્‍ન થશે].


એ સૂચના રાજાને તથા સરદારોને સારી લાગી, તેથી રાજે મમૂખાનના કહેવા પ્રમણે કર્યું.


અહાશ્વેરોશ રાજાનો ક્રોધ શમ્યો, ત્યાર પછી વાશ્તી રાણીએ જે કર્યું હતું તે, તથા તેની વિરુદ્ધ જે હુકમ કાઢવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યાં.


જો રાજાની મરજી હોય તો તેઓનો નાશ કરવાનું ફરમાન બહાર પાડવું જોઈએ. અને રાજાના ખજાનચીઓના હાથમાં હું દશ હજાર તાલંત રૂપું રાજાના ભંડારમાં લઈ જવા માટે આપીશ.”


તેણે કહ્યું, “જો આપની મરજી હોય, અને જો મારા પર આપની કૃપાદષ્ટિ હોય, અને આ વાત આપને યોગ્ય લાગતી હોય, અને આપની આંખોને હું ગમતી હોઉં, તો રાજાના સર્વ પ્રાંતોના યહૂદીઓનો નાશ કરવાના ઇરાદાથી અગાગી હામ્માદાથાના પુત્ર હામાને જે પત્રો લખ્યા હતા, તે રદ કરવાનો [હુકમ] આપવો જોઈએ;


તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ ઉપર રાજાના નામથી લખાણ કરો, અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો; કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી.”


પછી એક પથ્થર લાવીને બિલના મોં ઉપર મૂકવામાં આવ્યો; અને રાજાએ તેના પર પોતાની મુદ્રિકાથી તથા પોતાના અમીરોની મુદ્રિકાથી સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરબદલ થાય નહિ.


શમુએલે તેને કહ્યું, “યહોવાએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે, ને તારો જે પડોશી તારા કરતાં સારો છે તેને તે આપ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan