Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 7:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે, પણ મૂર્ખોનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 બુદ્ધિમાનનું ચિત્ત શોકપીડિત ઘરમાં હોય છે પરંતુ મૂર્ખનું મન આનંદપ્રમોદના ઘરમાં હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે પણ મૂર્ખનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જ્ઞાની મનુષ્ય પોતાના મૃત્યુ વિષે વધારે વિચારે છે. મૂર્ખ પોતાના વર્તમાનને સારી રીતે માણવામાં મગ્ન રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 7:4
21 Iomraidhean Croise  

આબ્શાલોમે પોતાનઅ ચાકરોને આજ્ઞા કરી, કે આમ્નોનનું મન દ્રાક્ષારસથી મગ્ન થઈ જાય, તે ધ્યાનમાં રાખજો. અને હું તમને કહું, ‘આમ્નોનને મારો, ’ ત્યારે તેને મારી નાખજો, બીશો નહિ; શું મેં તમને આજ્ઞા આપી નથી? હિમ્‍મતવાન અને શૂરવીર થજો.”


અને તેઓ બપોરે રવાના થયા. પણ બેન-હદાદ પોતે ને રાજાઓ એટલે તેને સહાય કરનાર બત્રીસ રાજાઓ તંબુઓમાં પીને મસ્ત થતા હતા.


મેં મારા મનમાં કહ્યું, “ચાલ ત્યારે, મોજથી હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે.” આ પણ વ્યર્થતા હતી.


હાસ્ય કરતાં ખેદ સારો છે, કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે.,


કોઈ માણસે મૂર્ખોનું ગીત સાંભળવું તે કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો સારો છે.


મારું હ્રદય વ્યાકુળ થયું છે, ભયથી હું ત્રાસ પામ્યો છું; સાંજનો આનંદનો વખત મારે માટે તો ધ્રુજારીનો વખત થયો છે.


તેઓ તપી જશે ત્યારે હું તેઓને માટે મિજબાની કરીશ, જેમાં તેઓ મોજ ઉડાવે ને સદાની ઊંઘમાં પડે ને ફરીથી જાગે નહિ, માટે હું તેઓને ચકચૂર કરીશ, એવું યહોવા કહે છે.


હું તેના સરદારોને, તેના જ્ઞાનીઓને, તેના અધિકારીઓને, તેના નાયબ અધિકારીઓને તથા શૂરવીરોને ચકચૂર કરીશ; અને તેઓ સદા ઊંઘમાં પડી રહેશે, ને કદી જાગશે નહિ, જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે તે એવું કહે છે.


તે જે રાત્રે ખાલદીઓનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.


અમારા રાજાના જન્મ દિવસે અમલદારો મદ્યની ગરમીથી માંદા પડ્યા છે. રાજાએ નિંદાખોરોની સાથે સહવાસ રાખ્યો.


કેમ કે જો કે તેઓ ગૂંથાઈ ગયેલા કાંટાઓ જેવા હશે, ને જાણે કે પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે તોપણ સૂકા કચરાની જેમ તેઓને ભસ્મ કરવામાં આવશે.


પછી અબિગાઇલ નાબાલ પાસે આવી, તો જુઓ, તેણે પોતાને ઘેર બાદશાહી જમણ જેવું એક જમણ કર્યું હતું. અને નાબાલનું દિલ ઘણું જ ખુશ થયું, કેમ કે તે ઘણો પીધેલો હતો; માટે સવારનું અજવાળું થતાં સુધી તેણે તેને ઓછુંવત્તું કંઈ કહ્યું નહિ.


અને તે દાઉદને ત્યાં લઈ ગયો ત્યારે, જુઓ, તે લોક આખા મેદાન પર આમતેમ પડેલા હતા, ને ખાતાપીતા તથા મિજબાની કરતા હતા, કેમ કે પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી તેઓએ પુષ્કરળ લૂટ મેળવી હતી.


Lean sinn:

Sanasan


Sanasan