Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 10:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે; અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક ગાંડપણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 મૂર્ખ મૂર્ખાઈથી બોલવાનો આરંભ કરે છે અને નર્યા પાગલપણામાં તેની વાતનો અંત આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે, અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેનાં મૂખના શબ્દોનો આરંભ મૂર્ખાઇ છે; અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક ગાંડપણ છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 10:13
25 Iomraidhean Croise  

અને જુઓ, ઇઝરાયલના સર્વ માણસોએ રાજા પાસે આવીને રાજાને કહ્યું “અમારા ભાઈઓએ, એટલે યહૂદિયાના માણસોએ, તમને કેમ ચોરી લીધા છે, અને રાજાને, તેમના પરિવારને, તથા દાઉદના સર્વ માણસોને તેમની સાથે યર્દન પાર કેમ લઈ ગયા છે?”


તેણે કહ્યું, “જો યહોવા તને સહાય ન કરે, તો હું ક્યાંથી તને સહાય કરું? ખળીમાંથી કે, દ્રાક્ષાકુંડમાંથી?”


પછી તેણે કહ્યું, “જો શાફાટના દીકરા એલિશાનું માથું તેના [ધડ] પર આજે રહે, તો યહોવા મને એવું ને એ કરતાં પણ વધારે વિતાડો.”


પ્રત્યેક ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે; પણ મૂર્ખ [પોતાની] મૂર્ખાઈ ફેલાવે છે.


જો ડાહ્યો માણસ મૂર્ખ માણસ સાથે વાદવિવાદમાં ઊતરે, ગમે તો તે ગુસ્‍સે થાય કે ગમે તો હસે, પણ તેને કંઈ નિરાંત વળવાની નથી.


વળી મૂર્ખ ઘણું બોલે છે; પણ માણસ જાણતું નથી કે શું થવાનું છે; અને તેની પાછળ શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?


તારે મુખેથી અવિચારી [વાત] ન કર, અને ઈશ્વરની હજૂરમાં કંઈ પણ બોલવાને તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કેમ કે ઈશ્વર આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે! માટે તારા શબ્દો થોડા જ હોય.


હું ફર્યો, અને જ્ઞાન મેળવવાને, તેને ખોળી કાઢવાને તથા તેના મૂળ કારણની શોધ કરવાને અને દુષ્ટતા તે જ મૂર્ખાઈ છે, તથા મૂર્ખાઈ તે જ ગાંડપણ છે, એ જાણવા માટે મેં મારું મન [લગાડયું] ;


જ્યારે હેરોદને માલૂમ પડયું કે માગીઓએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો, ને [માણસો] મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી‍ ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં જેટલાં બાળકો બેથલેહેમમાં તથા તેની બધી સીમમાં હતાં, તેઓ સર્વને તેણે મારી નંખાવ્‍યાં.


જમતા પહેલાં તે નાહ્યા નહિ, તે જોઈને ફરોશી નવાઈ પામ્યો.


પણ તેઓ બાવરા બની ગયા; અને એકબીજાને કહેવા લાગ્યા, “ઈસુ વિષે આપણે શું કરીએ?”


પણ ફરોશીઓમાંના કેટલાંકે પૂછ્યું, “વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમે કેમ કરો છો?”


પણ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી,


સાતમે દિવસે એમ થયું કે, તેઓએ સામસૂનની પત્નીને કહ્યું, “તારા પતિને ફોસલાવ, એ માટે કે તે અમને ઉખાણાનો અર્થ બતાવે નહિ તો અમે તને તથા તારા પિતાના ઘરનાં સર્વને અગ્નિથી બાળી નાખીશું. તમે અમને લૂટી લેવા બોલાવ્યા છે, ખરું કે નહિ?”


Lean sinn:

Sanasan


Sanasan