Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 9:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેં અરણ્યમાં કેવી રીતે યહોવા તારા ઈશ્વરને કોપ ચઢાવ્યો, તે તું યાદ રાખ, ભૂલી જઈશ નહિ. મિસર દેશમાંથી તું નીકળ્યો તે દિવસથી, તે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી, તમે યહોવાની વિરુદ્ધ બંડ કર્યા કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 “રણપ્રદેશમાં તમે તમારા ઈશ્વર પ્રભુને કેવી રીતે કોપાયમાન કર્યા તે યાદ રાખો અને ભૂલશો નહિ. તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા તે દિવસથી આ સ્થળે આવ્યા ત્યાં સુધી તમે પ્રભુની વિરુધ સતત વિદ્રોહ કર્યા કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમે અરણ્યમાં કેવી રીતે યહોવાહ તમારા ઈશ્વરને કોપ ચઢાવ્યો તે તું યાદ રાખ, ભૂલી જઈશ મા; મિસર દેશમાંથી તમે બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “યાદ રાખજો, એ વાત કદી ભૂલશો નહિ કે તમે તમાંરા દેવ યહોવાના રોષ રણમાં વહોરી લીધો હતો. તમે મિસરમાંથી બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 9:7
33 Iomraidhean Croise  

અને ફારુન નજીક આવ્યો, ત્યારે ઇઝરાયલીઓએ નજર કરી તો, જુઓ, મિસરીઓ તેમની પાછળ ધસી આવતા હતા; અને તેઓ બહુ બીધા. અને ઇઝરાયલી લોકોએ પહોવા પ્રત્યે પોકાર કર્યો.


અને તેઓએ મૂસાને કહ્યું, “શું મિસરમાં કબરો નહોતી કે તું અમને મિસરમાંથી કાઢી લાવીને તું આ પ્રમાણે અમારી સાથે કેમ વર્ત્યો?


અને સર્વ ઇઝરાયલીઓએ આખા અરણ્યમાં મૂસા તથા હારુનની વિરુદ્ધ કચકચ કરી.


માટે લોકોએ મૂસાની સાથે તકરાર કરીને કહ્યુમં, “અમને પીવાને પાણી આપ.” અને મૂસાએ તેઓને કહ્યું, “તમે મારી સાથે શા માટે તકરાર કરો છો? તમે યહોવાની પરીક્ષા કેમ કરો છો?”


તેની વાતને ધ્યાન દેજે, ને તેની વાણી સાંભળજે, તેને ક્રોધ ચઢાવીશ નહિ. કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ. કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ; કારણ કે મારું નામ તેનામાં છે.


વળી તેં સાભળ્યું નહિ; વળી તેં જાણ્યું નહિ; વળી તારા કાન અગાઉથી ઊઘડયા નહિ; કેમ કે હું જાણતો હતો કે, તું તદ્દન કપટી છે, ને ગર્ભસ્થાનથી માંડીને તું બંડખોર કહેવાતો આવ્યો છે.


તેમના જે પૂર્વજોએ મારાં વચન સાંભળવાની ના પાડી, તે પૂર્વજોનાં પાપની તરફ તેઓ ફર્યા છે; અને અન્ય દેવોની સેવા કરવા માટે તેમની પાછળ ગયા છે. ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ તેઓના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.”


કેમ કે ઇઝરાયલના તથા યહૂદિયાના પુત્રો તેઓની તરુણાવસ્થાથી મારી સમક્ષ માત્ર દુષ્કર્મો કરતા આવ્યા છે; એટલે ઇઝરાયલના પુત્રો પોતાના હાથોની કૃતી વડે મને ફક્ત રોષ ચઢાવતા આવ્યા છે, એવું યહોવા કહે છે.


શું તમારા પૂર્વજોના, યહૂદિયાના રાજાઓનાં, તેઓની રાણીઓનાં, તમારાં પોતાનાં તથા તમારી સ્ત્રીઓનાં દુષ્ટ કર્મો, જે યહૂદિયા દેશમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં કરવામાં આવ્યાં, તે તમે ભૂલી ગયા છો?


પણ ઇઝરાયલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ બંડ કર્યું; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો. [એ વિધિઓ] એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા જ ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ.


ત્યાં તમને તમારાં આચરણ તથા તમારાં સર્વ કૃત્યો, જેઓથી તમે પોતાને ભ્રષ્ટ કર્યા છે તે યાદ આવશે, ત્યારે જે સર્વ દુષ્કર્મો તમે કર્યા છે તેમને લીધે તમે તમારી પોતાની નજરમાં પોતાની જાતને ધિક્કારશો.


પણ તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું, ને મારું [વચન] સાંભળવા ચાહ્યું નહિ.તેઓ દરેકે પોતની ર્દષ્ટિને પ્રિય, પણ ધિક્કારપાત્ર વસ્તુઓને ફેંકી દીધી નહિ.તેમ જ તેઓએ મિસરની મૂર્તિઓનો પણ ત્યાગ કર્યો નહિ. ત્યારે મેં કહ્યું કે, હું મારો ક્રોધ તેમના પર રેડીને મિસર દેશમાં તેમના પર મારો રોષ પૂરો કરીશ.


ત્યારે તમને તમારાં દુરાચરણ તથા તમારાં અશુભ કૃત્યો યાદ આવશે; અને તમારાં દુષ્કર્મોને લીધે તથા તમારાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે તમે તમારા પોતાના મનમાં પોતાને ધિક્કારશો.


અને તેઓની સાથેનો મિશ્ચિત લોકનો જથો અયોગ્ય વાસના કરવા લાગ્યો. અને ઇઝરાયલીઓએ પણ ફરીથી રડીને કહ્યું, “અમને ખાવાને માંસ કોણ આપશે?


જે બધા માણસોએ મારું ગૌરવ ને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતા દશ વખત મારી પરીક્ષા કરી છે, ને મારી વાણી સાંભળી નથી,


અને યહોવાએ મૂસાને કહ્યું, “કરારની સામે હારુનની લાકડી પાછી મૂક કે, દંગો કરનારાઓની વિરુદ્ધ ચિહ્નને માટે તે રાખી મુકાય. અને મારી વિરુદ્ધની તેઓની કચકચ નિવારવામાં આવે કે તેઓ મરે નહિ.”


અને લોકો ઈશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા, “તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છે? કેમ કે અન્‍ન નથી, ને પાણી પણ નથી. અને અમારા જીવ આ હલકા અન્‍નથી કંટાળે છે.”


કેમ કે તેઓ પોતાના દેવોન ય ને પ્રસંગે લોકોને નોતરતા હતા; અને લોકો ખાતા ને તેઓના દેવોનું ભજન કરતા.


કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું, અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી.


એ માટે યાદ રાખો કે, તમે પહેલાં દેહ સંબંધી વિદેશી હતાં, અને દેહ સંબંધી હાથે કરેલી સુન્‍નતવાળા તમને બેસુન્‍નતી કહેતા હતાં.


કેમ કે હું તારું બંડ તથા તારી હઠીલાઈ જાણું છું. જેઓ, હું આજે હજી તો જીવતો તથા તમારી મધ્યે હયાત છું, તેમ છતાં તમે યહોવાની સામે બંડખોર થયા છો, તો મારા મરણ પછી કેલા વિશે થશો!


અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઇચ્છા છે કે નહિ તે જાણવા માટે તારું પારખું કરવાને યહોવા તારા ઈશ્વરે આ ચાળીસ વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ.


જ્યારથી મારે તમારી સાથે ઓળખાણ થઈ ત્યારથી યહોવાની સામે તમે બંડખોર ઠરી ચૂક્યા છો.


યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે, ત્યાર પછી તું તારા મનમાં એમ ન કહેતો, ‘મારા ન્યાયીપણાને લીધે યહોવાએ મને અહીં લાવીને આ દેશનો વારસો મને અપાવ્યો છે.’ ખરું જોતાં, એ દેશજાતિઓની દુષ્ટતાને લીધે યહોવા તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.


Lean sinn:

Sanasan


Sanasan