Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 5:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તમે કહ્યું, ‘જો, યહોવા આપણા ઈશ્વરે આપણને પોતાનું ગૌરવ તથા પોતાનું માહાત્મ્ય બતાવ્યું છે, ને અગ્નિજ્વાળા મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે. આપણે આજે જોયું છે કે ઈશ્વર મનુષ્યની સાથે બોલે છે, ને તેમ છતાંય એ [મનુષ્ય] જીવતો રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ‘આપણા ઈશ્વર પ્રભુએ અમને પોતાનાં ગૌરવ અને મહત્તા દર્શાવ્યાં છે અને અમે અગ્નિજ્વાળા મધ્યેથી તેમની વાણી સાંભળી છે; ઈશ્વર કોઈ માણસની સાથે બોલે તે પછી પણ તે માણસ જીવતો રહે એ અમે આજે જોયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તમે કહ્યું કે, જો ઈશ્વર આપણા યહોવાહે આપણને પોતાનું ગૌરવ તથા માહાત્મ્ય બતાવ્યું છે. અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે; આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ‘આપણા દેવ યહોવાએ અમને પોતાના ગૌરવ અને માંહાત્મ્ય દર્શન કરાવ્યાં છે, અને અમે અગ્નિમાંથી તેમનો અવાજ સાંભળ્યો છે; આજે અમે જોયું અને જાણ્યું છે કે દેવ માંણસ સાથે બોલે છતાં માંણસ જીવતો રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 5:24
12 Iomraidhean Croise  

અને યાકૂબે તે જગાનું નામ પનીએલ પાડયું; કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મોઢેમોઢ દીઠા છે, તોપણ મારો જીવ બચ્ચો છે.”


અને પનીએલની પાર જતાં તેના પર સૂર્ય ઊગ્યો, ને તે જાંઘે લંગડાતો લંગડાતો ચાલ્યો.


અને જ્યારે રણશિંગડાનો અવાજ વધારે ને વધારે મોટો થતો ગયો, ત્યારે મૂસા બોલ્યો ને ઈશ્વરે તેને વાણી દ્વારા ઉત્તર આપ્યો.


અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોને એમ કહે કેમ ‘તમે પોતે જોયું છે કે મેં આકાશમાંથી તમારી સાથે વાત કરી છે.


વળી યહોવાએ કહ્યું, “તું મારું મુખ જોઈ શકતો નથી; કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહિ.”


અને તેઓ આ દેશના રહેવાસીઓને તે કહેશે. તેઓએ સાંભળ્યું છે કે તમે યહોવા આ લોક મધ્યે છો; કેમ કે તમે યહોવા તેઓને મોઢામોઢ દેખાવ છો, ને તમારો મેઘ તેઓના ઉપર થોભે છે, ને દિવસે મેઘસ્તંભમાં તથા રાત્રે અગ્નિસ્તંભમાં તેઓની આગળ તમે ચાલો છો.


કેમ કે હું યહોવાનું નામ પ્રગટ કરીશ. આપણા ઈશ્વરના મહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો.


જેમ તેં ઈશ્વરની વાણી સાંભળી છે એમ અગ્નિ મધ્યેથી બોલતી સાંભળીને કદી કોઈ લોક જીવતા રહ્યા છે શું?


અને પર્વતોમાંથી ભડકા નીકળતા હતા, ને તેની સાથે અંધકારની મધ્યેથી [નીકળતી] વાણી તમે સાંભળી, ત્યારે એમ થયું કે, તમે, એટલે તમારાં કુળોના સર્વ આગેવાનો તથા તમારા વડીલો, મારી પાસે આવ્યા.


તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મોટો અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે. જો યહોવા અમારા ઈશ્વરની વાણી હવે અમે જરા પણ વધારે વાર સાંભળીશું તો અમે માર્યા જઈશું.


પછી માનોઆએ પોતાની પત્નીને કહ્યું, “આપણે ઈશ્વરને જોયા છે તેથી આપણે નિશ્વય મરી જઈશું.”


Lean sinn:

Sanasan


Sanasan