Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 [તે નગરો આ:] અરણ્યના સપાટ પ્રદેશમાં બેસેર, એ રુબેનીઓને માટે, અને ગિલ્યાદમાં રામોથ, એ ગાદીઓને માટે, અને બાશાનમાં ગોલાન, એ મનાશ્શીઓને માટે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 એ નગરો આ પ્રમાણે હતાં: રૂબેનના કુળ માટે રણપ્રદેશના સમતલ પ્રદેશમાં બેસેર નગર, ગાદના કુળ માટે ગિલ્યાદની હદમાં રામોથ નગર અને મન્‍નાશાના કુળ માટે બાશાનની હદમાં ગોલાન નગર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તે નગરો આ હતાં: રુબેનીઓ માટે અરણ્યના સપાટ પ્રદેશમાંનું બેસેર; ગાદીઓ માટે ગિલ્યાદમાંનું રામોથ અને મનાશ્શીઓ માટે બાશાનમાંનું ગોલાન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 એ ત્રણ નગરો આ પ્રમાંણે હતા: રૂબેનીઓના વંશજોને માંટે રણના સપાટ પ્રદેશમાં આવેલું “બેસેર” ગાદના વંશજો માંટે ગિલયાદમાં આવેલું રામોથ અને મનાશ્શાના વંશજો માંટે બાશાનમાં આવેલું ગોલાન.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:43
12 Iomraidhean Croise  

રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર; વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાનાં નગરો પણ હતાં; એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રાંત, જેમાં કોટવાળાં તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરો હતાં, તે હતો;


મરારીના પુત્રોને, તેઓના કુટુંબો પ્રમાણે, રુબેનનાં કુળમાંથી તથા ઝબુલોનના કુળમાંથી‍ ચિઠ્ઠીઓ નાખવાથી બાર નગરો [મળ્યાં].


કહાથના પુત્રોનાં કુટુંબોમાંથી કેટલાંકને પોતાની સરહદનાં નગરો એફ્રાઈમના કુળમાંથી મળ્યાં હતાં.


જેર્શોમનાં પુત્રોને માનશ્શાના અર્ધકુળનાં કુટુંબમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં પાદરો સહિત, તથા આશ્તારોથ તેનાં પાદરો સહિત [મળ્યાં]


ગાદના કુળમાંથી ગિલ્યાદમાંનું રામોથ તેનાં પાદરો સહિત, માહનાઈમ તેનાં પાદરો સહિત,


એ માટે કે જે મનુષ્યઘાતકે, પોતાના પડોશીની સાથે અગાઉથી વેર ન હોય તેમ છતાં, તેને અજાણે મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય અને એ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય અને એ નગરોમાંના કોઈ એકમાં નાસી જઈને તે બચી જાય.


અને જે નિયમ મૂસાએ ઇઝરાયલી પ્રજા આગળ મૂક્યો તે આ છે:


અને પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશમાંના અરણ્યમાંનું બેશેર, ને ગાદ કુળમાંથી ગિલ્યાદમાંનું રામોથ, ને મનાશ્શાના કુળમાંથી બાશનમાંનું ગોલાન ઠરાવ્યાં.


અને મનાશ્શાના અર્ધકુળમાંથી મનુષ્યઘાતકનું આશ્રયનગર બાશાનમાંનુમ ગોલાન ને તેનાં ગૌચર, તથા બેશ્તરા ને તેનાં ગૌચર, એ બે નગરો લેવીઓનાં કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને [આપવામાં આવ્યાં].


અને રુબેનના કુળમાંથી બેસેર ને તેનાં ગૌચર, તથા યાહાસ ને તેનાં ગૌચર,


અને ગાદના કુળમાંથી મનુષ્યઘાતકનુમ આશ્રયનગર એટલે ગિલ્યાદમાંનું રામોથ ને તેનાં ગૌચર, તથા માહનાઈમ ને તેનાં ગૌચર:


Lean sinn:

Sanasan


Sanasan