Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ તમે જે યહોવા તમારા ઈશ્વરને વળગી રહ્યા તે સર્વ આજે જીવતા રહ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પરંતુ તમારા ઈશ્વર પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેનાર તમે બધા આજ સુધી જીવતા રહ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ તમે જેઓ ઈશ્વર તમારા યહોવાહને આધીન રહ્યા તેઓ આજે જીવતા રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પરંતુ તમે કે જેઓ તમાંરા દેવ યહોવાને દૃઢતાથી વફાદાર રહ્યા તે આજે જીવતા રહ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:4
17 Iomraidhean Croise  

મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.


ચાલ, મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં પેસ, ને પોતે અંદર રહીને બારણાં બંધ કર; કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે.


યહોવાએ તેને કહ્યું, “નગરમાં એટલે યરુશાલેમમાં, સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખતા હોય તથા રડતા હોય તેઓનાં કપાળ પર ચિહ્‍ન કર.”


તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો. અને તેણે તેઓ સર્વને દઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો.


[તમારો] પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.


તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખ, તેમની જ સેવા તું કર, અને તેમને જ તું વળગી રહે, ને તેમને જ નામે તું પ્રતિજ્ઞા લે.


તમે યહોવા તમારા ઈશ્વરની પાછળ ચાલો, ને તેમનો ડર રાખો, ને તેની આજ્ઞાઓ પાળો, ને તેમનું કહ્યું કરો ને તમે તેમની સેવા કરો, ને તેમને વળગી રહો.


યહોવા તારાં ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું, ને તેમને વળગી રહેવાનું [પસંદ કર] ; કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ માટે કે જે દેશ તારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી, તેમાં તું વાસો કરે.”


બાલ-પેઓરને લીધે યહોવાએ જે કર્યું તે તમારી નજરે તમે જોયું છે. કેમ કે જે માણસો બાલ-પેઓરના ઉપાસકો હતા તે સર્વનો યહોવા તમારા ઈશ્વરે મારી મધ્યેથી વિનાશ કર્યો છે.


જુઓ, મેં તમને યહોવા મારા ઈશ્વરના ફરમાન પ્રમાણે વિધિઓ તથા કાનૂનો શીખવ્યા છે, એ માટે કે જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે વર્તો.


ફક્ત જે આ તથા નિયમ યહોવાના સેવક મૂસાએ તમને ફરમાવ્યાં, એટલે કે પોતાના ઈશ્વર યહોવા ઉપર પ્રેમ રાખવો, ને તેમના સર્વ માર્ગોમાં ચાલવું, ને તેમના સર્વ માર્ગોમાં ચાલવું, ને તેમની આ ઓ પાળવી, ને તેમને વળગી રહેવું, ને તમારા ખરા મનથી ને તમારા ખરા જીવથી તેમની સેવા કરવી, તે સર્વ તમે ઘણી ખંતથી પાળજો.”


પણ આજ સુધી તમે કરતા આવ્યા તેમ તમારા ઈશ્વર યહોવાને જ વળગી રહો.


સ્‍ત્રીઓ [ના સંસર્ગ] થી જેઓ અપવિત્ર થયા નથી તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે. અને હલવાન જયાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. તેઓને ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા.


પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા, તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરનાં વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો, તથા જેઓએ શ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી, અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને [મેં જોયા]. તેઓ જીવતા થયા, ને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan