Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 24:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જ્યારે કોઈ પુરુષ સ્‍ત્રી પરણી લાવે ત્યારે એમ થાય કે જો તેને તેનામાં કંઈ નાલાયક વાત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે તો તે તેને છૂટાછેડા લખી આપે, ને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “જો કોઈ માણસ સ્ત્રી પરણી લાવે અને તે સ્ત્રીમાં કોઈ નિર્લજ્જ બાબત હોવાને લીધે તે તેને પસંદ ન પડે તો તે તેને ફારગતી પત્ર લખી તેના હાથમાં આપી તેને પોતાના ઘરમાંથી વિદાય કરી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જો કોઈ પુરુષે સ્ત્રીની સાથે લગ્ન કર્યા હોય અને તેનામાં કંઈ શરમજનક બાબત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે, તો તેને છૂટાછેડા ના પ્રમાણ પત્ર લખી આપે અને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “જો કોઈ પુરુષ સ્ત્રીને પરણ્યો હોય, અને તેની સાથે થોડા સમય સંસાર માંડયા બાદ તેનામાં કંઈં શરમજનક હોવાને કારણે તેને તે પસંદ ના હોય તો તેને છૂટાછેડા લખી આપી ઘરમાંથી કાઢી મૂકી શકે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 24:1
19 Iomraidhean Croise  

જો તે બીજીને રાખે, તો તે તેની ખોરાકીપોષાકી તથા લગ્નહકમાંથી કંઈ ઘટડો ન કરે.


યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.


તેઓ કહે છે, ‘જો પુરુષ પોતાની સ્ત્રીને કાઢી મૂકે, અને તે [સ્ત્રી] તેની પાસેથી જઈને બીજા પુરુષની [સ્ત્રી] થાય, તો શું તે તેની પાસે પાછો જાય? [જો એવું થાય] તો તે દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’ પણ તેં ઘણા આશકોની સાથે વ્યભિચાર કર્યો છે! તથાપિ મારી પાસે પાછી આવ, ” એવું યહોવા કહે છે.


મેં જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને કાઢી મૂકી હતી, ને તેને છૂટાછેડા આપ્યા હતા, તોપણ તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા બીધી નહિ; તેણે પણ વ્યભિચાર કર્યો.


કેમ કે “ [તમારો] પત્ની ત્યાગ હું ધિક્કારું છું, ” એવું ઈઝરાયલના ઈશ્વર યહોવા કહે છે. અને સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “પોતાની પત્ની પર જુલમ કરનારને પણ હું [ધિક્કારું છું].” એ માટે તમારા મન વિષે સાવધાન રહીને કપટથી ન વર્તો.


“ઇઝરાયલ પ્રજા સાથે વાત કરીને કહે કે, જો કોઈ પુરુષની સ્‍ત્રી પતિવ્રત ચૂકીને તેનો અપરાધ કરે,


પણ જો તે સ્‍ત્રી અશુદ્ધ થઈ નહિ હોય, પણ શુદ્ધ હશે; તો તે મુક્ત થશે, ને તેને પેટે સંતાન થશે.


અને તેનો પતિ યૂસફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતાં, તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું.


જે કોઈ પોતાની સ્‍ત્રીને છોડીને બીજીને પરણે છે, તે વ્યભિચાર કરે છે; અને પતિએ છોડેલી સ્‍ત્રીને જે પરણે તે પણ વ્યભિચાર કરે છે.


જો કોઈ માણસને બે પત્ની હોય, એક માનીતી ને બીજી અણમાનીતી, અને માનીતી તથા અણમાનીતી બન્‍નેને તેના પેટનાં છોકરાં થયાં હોય, અને જ્યેષ્ઠ પુત્ર અણમાનીતીનો હોય;


જો કોઈ પુરુષ સ્‍ત્રી પરણી લાવે, ને તે તેની પાસે જાય ને તેના પર નારાજ થાય,


અને તેઓ તેને સો [શેકેલ] રૂપાનો દંડ કરીને તે તે કન્યાના પિતાને આપે, કારણ કે તેણે ઇઝરાયલની એક કન્યાને વગોવી છે. અને તે તેની પત્ની કાયમ રહે. તેના આખા આયુષ્યભર તેનાથી તેના છૂટેછેડા કરી શકાય નહિ.


તો તે કન્યાની સાથે વ્યભિચાર કરનાર માણસ તે કન્યાના પિતાને પચાસ [શેકેલ] રૂપું આપે, ને તે તેની પત્ની થાય. કેમ કે તેણે તેની આબરૂ લીધી છે. તેની આખી જિંદગીભર તેનાથી તેના છૂટાછેડા કરી શકાય નહિ.


અને જ્યારે તે તેના ઘરમાંથી નીકળી જાય ત્યારે બીજા પુરુષને વરવાની તેને છૂટ છે.


અને જો તેના બીજા પતિની તેના પર નાખુશી થાય, અને તે પણ તેને છૂટાછેડા લખી આપે, ને તે તેના હાથમાં મૂકીને પોતાના ઘરમાંથી તેને કાઢી મૂકે, અથવા જે બીજા પતિએ તેને પોતાની સ્‍ત્રી કરી લીધી હતી, તે જો મરણ પામે,


Lean sinn:

Sanasan


Sanasan