Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 21:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, ને તેને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવ્યાથી તું તેને ઝાડ પર લટકાવે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 “જો કોઈ માણસે મૃત્યુદંડ યોગ્ય પાપ કર્યું હોય અને તેને કોઈ વૃક્ષ પર ફાંસીએ ચડાવી દેવામાં આવે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, જો તેને મૃત્યુદંડ આપ્યો હોય તો તમે તેને ઝાડ પર લટકાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “જો કોઈ વ્યકિત અપરાધ કરે જે તેના પર મૃત્યુ દંડ લાવે અને તે મરી જાય ત્યારે તમાંરે તેના શરીરને કોઈ વૃક્ષની ડાળીએ લટકાવવું.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 21:22
20 Iomraidhean Croise  

અને ત્રણ દિવસમાં ફારુન તમારું માથું તમારા પરથી ઊંચકી લેશે, ને તમને ઝાડ પર ટાંગશે, અને પક્ષીઓ તમારા પરથી તમારું માંસ ચૂંટી ખાશે.”


આયાની દીકરી રિસ્પાએ તાટ લઈને, કાપણીના આરંભથી તેઓ પર આકાશથી પાણી પડ્યું ત્યાં સુધી, પોતાને માટે ખડક પર તે પાથર્યું. અને તેણે દિવસે વાયુચર પક્ષીઓને કે, રાત્રે વનચર પશુઓને તેઓ [નાં મુડદાં] પર આવવા દીધાં નહિ.


તેના દિકરાઓમાંથી સાત માણસોને અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે યહોવાથી પસંદ કરાયેલા શાઉલના ગિબયામાં અમે તેઓને યહોવા આગળ ફાંસી આપીશું.” રાજાએ કહ્યું, “હું તેઓને તમારે સ્વાધીન કરીશ.”


તેઓને રાજાએ લઈને ગિબ્યોનીઓના હાથમાં સોંપ્યા. તેમને તેઓએ પર્વત પર યહોવા આગળ ફાંસીએ ચઢાવ્યા, તે સાતે જણ સાથે માર્યા ગયા. કાપણીની ઋતુના પહેલા દિવસોમાં, એટલે જવની કાપણીના આરંભના તેઓને મારી નાખવામાં આવ્યા.


અને દાઉદે પોતાના જુવાન પુરુષોને આજ્ઞા કરી, એટલે તેઓએ તેમને મારી નાખ્યા, ને તેઓના હાથપગ કાપી નાખીને તેઓને હેબ્રોનના તળાવની પાળે ઊંચે લટકાવ્યા. પણ તેઓએ ઈશ-બોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં તે દાટ્યું.


અને યહોવાએ મૂસાને કહ્યું, “લોકોના સર્વ આગેબાનોને લે, ને યહોવાને માટે સૂર્યની સામે તેઓને ફાંસી આપ, કે યહોવાનો પ્રચંડ કોપ ઇઝરાયલ પરથી દૂર કરાય.”


તમે શું ધારો છો?” અને તેઓએ ઉત્તર આપ્યો, “એ મરણજોગ છે.”


તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે; તમને શું લાગે છે?” સર્વએ તેમને મરણદંડને યોગ્ય ઠરાવ્યા.


ખોપરી નામની જગાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યા.


ત્યારે મને માલૂમ પડ્યું કે તેઓના નિયમશાસ્‍ત્રની બાબતો સંબંધી તેઓ એના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેના પર મૂકતા નથી.


જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના પાડતો નથી. પણ જે વિષે તેઓ મારા પર તહોમત મૂકે છે તેમાંની જો એકે વાત ખરી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે ન્યાય માગું છું.


પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણદંડને યોગ્ય કંઈ કર્યું નથી. વળી તેણે પોતે સમ્રાટની પાસે ઇન્સાફ માગ્યો, તેથી મેં તેને [રોમ] મોકલી દેવાનો નિશ્ચય કર્યો છે.


તેઓએ એકાંતમાં જઈને અંદરઅંદર વિચાર કરીને કહ્યું, “એ માણસે મરણદંડ અથવા બેડીઓ [પહેરાવવા] યોગ્ય કંઈ કર્યું નથી.”


રખેને ખૂનનો બદલો લેનારનો મિજાજ તપી જાય ને મનુષ્યઘાતકની પાછળ લાગીને રસ્‍તો લાંબો હોવાના કારણથી તે તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે. જો કે અગાઉથી તે [મનુષ્યઘાતક] તેના પર દ્વેષ કરતો ન હોવાને લીધે તે મરણયોગ્ય ન હોય તો પણ.


પણ તે કન્યાને તું કંઈ ન કરતો. કન્યાને મરણયોગ્ય કંઈ પાપ કર્યું નથી; કેમ કે જેમ કોઈ માણસ તેના પડોશીની સામો ઊઠીને તેને મારી નાખે તે જ પ્રમાણે એ વાત છે:


અને ત્યાર પછી યહોશુઆએ તેઓને ઠાર મારી નાખ્યા, ને તેઓને પાંચ ઝાડ પર લટકાયેલા રહ્યા.


અને સૂર્યાસ્ત થવાને સમયે એમ થયું કે, યહોશુઆએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓએ તેઓને ઝાડ ઉપરથી ઉતારીને જે ગુફામાં તેઓ સંતાયા હતા તેમાં તેઓએ તેઓને નાખ્યા, ને ગુફાના મોં પર મોટા પથ્થરો મૂક્યા, જે આજ સુધી છે.


અને તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર ટાંગી રાખ્યો. અને સૂર્યાસ્ત થતી વખતે યહોશુઆની આજ્ઞા પ્રમાણે તેઓએ તેની લાસ ઝાડ પરથી ઉતારીને નગરના દરવાજા આગળ નાખી, ને તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો, જે આજ સુધી છે.


આ જે તેં કર્યું છે તે ઠીક નથી. જીવતા યહોવાના સમ, તમે મરવા યોગ્ય છો, કેમ કે તમે તમારા મુરબ્બીનો એટલે યહોવાના અભિષિક્તનો જાપતો રાખ્યો નથી. હવે રાજાનો ભાલો તથા તેમના માથા પાસેનો પાણીનો ચંબુ ક્યાં છે તે જુઓ.”


Lean sinn:

Sanasan


Sanasan