Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને સરદારો લોકોને કહે કે, જેણે નવું ઘર બાંધીને તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય. રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજા પરુષને તેની પ્રતિષ્ઠા કરવી પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 “ત્યાર પછી અધિકારીઓ લોકોને સંબોધીને કહે: ‘નવું ઘર બાંધ્યું હોય પણ તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો તે કદાચ યુધમાં માર્યો જાય અને બીજા માણસે તેના ઘરની પ્રતિષ્ઠા કરવી પડે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે અધિકારીઓએ લોકોને કહેવું કે, “શું એવો કોઈ માણસ છે કે જેણે નવું ઘર બાંધ્યું હોય અને તેની અર્પણવિધિ કરી ના હોય? તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજા કોઈ માણસે તેના ઘરનું અર્પણ કરવું પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “ત્યારબાદ સેનાના અધિકારીઓએ પણ સેનાને આ પ્રમાંણે સંબોધન કરવું; ‘શું અહીં તમાંરામાં કોઈ એવો છે કે જેણે નવું ઘર બંધાવ્યું હોય અને અર્પણવિધિ કરી ના હોય? જો તેવો કોઇ હોય તો તે પાછો ઘેર જાય, નહિ તો યુદ્ધમાં તે કદાચ માંર્યો જાય અને તેના ઘરનું અર્પણ બીજા કોઈએ કરવું પડે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:5
8 Iomraidhean Croise  

યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગાઓમાંથી શોધી કાઢ્યા કે, આભારસ્તુતિના ગાયનો કરતાં, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેઓને યરુશાલેમમાં લાવે.


હે યહોવા, હું તમને મોટા માનીશ; કેમ કે તમે મારો અભ્યુદય કર્યો છે, અને મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.


અને સૈન્યના અધિકારીઓ, એટલે હજારહજારના આગેવાનો, તથા સોસોના આગેવાનો, જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર મૂસાને રોષ ચઢ્યો.


અને સૈન્યના હજારોના ઉપરી અમલદારો, એટલે હજારહજારના આગેવાનો, તથા સોસોના આગેવાનો, મૂસાની પાસે આવ્યા.


તેથી તમારાં કુળોના મુખ્યો જેઓ બુદ્ધિમાન તથા નામીચા પુરુષો હતા તેઓને લઈને મેં તેઓને તમારા અધિકારીઓ ઠરાવ્યા, એટલે જેવાં તમારાં કુળો તે પ્રમાણે હજારહજાના આગેવાનો, તથા સોસોના આગેવાનો, તથા દશદશના આગેવાનો, તથા અમલદારપ [ઠરાવ્યા].


“જે સર્વ ગામો યહોવા તારા ઈશ્વર તને આપે તેમની અંદર તું તારે માટે તારાં કુળો પ્રમાણે ન્યાયાધીશો તથા અમલદારો ઠરાવ. અને તેઓ અદલ ન્યાયીપણાથી લોકોનો ન્યાય ચૂકવે.


અને જેણે દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ ખાધું ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તેને ઘેર પાછો જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજો તેનું ફળ ખાય.


વળી આ દશ પનીર તેઓના સહસ્રાધિપતિની પાસે લઈ જઈને તેને આપજે, ને તારા ભાઈઓ કેમ છે તે જોજે, ને તેમની પાસેથી કંઈ નિશાની લાવજે.”


Lean sinn:

Sanasan


Sanasan