Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ આ લોકોનાં જે નગરો યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેઓમાંના કોઈ પણ પ્રાણીને તારે જીવતું રહેવા દેવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 “પરંતુ જે દેશનાં નગરો પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેમને તમે સર કરો ત્યારે તેમાં કોઈને પણ જીવતું રહેવા દેવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ આ લોકોનાં જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે. તેઓમાંના કોઈ પણ પશુંને તારે જીવતું રહેવા દેવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “પરંતુ દેવ યહોવા જે ભૂમિ તમને તમાંરા કબજામાં આપે છે, તેમાં તમાંરા દ્વારા કોઇ પણ જીવતું છોડાઇ જવું ન જોઇએ. તમાંરે તમાંમ મનુષ્ય અને પ્રાણીઓનો નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:16
25 Iomraidhean Croise  

તેથી તેઓએ તેને તથ તેના દિકરાઓને તથા તેના સર્વ લોકોને એટલે સુધી માર્યા કે તેઓમાંનું કોઈ પણ બચ્યું નહિ; અને તેઓએ તેનો દેશ કબજે કરી લીધો.


તો હવે છોકરાંમાંથી પ્રત્યેક નરને મારી નાખો, અને જેટલી સ્‍ત્રીઓએ પુરુષની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો હોય તે સર્વને [પણ] મારી નાખો.


ત્યારે તમે પોતાની આગળથી દેશના સર્વ રહેવાસીઓને હાંકી કાઢો, ને તેઓના કોતરેલા સર્વ પથ્થરોનો ને તેઓની સર્વ ગાળેલી [ધાતુની] મૂર્તિઓનો નાશ કરો, ને તેઓનાં સર્વ દેવસ્થાનોને તોડી પાડો.


જે નગરો તારાથી ઘણાં વેગળા છે, જે આ દેશજાતિઓનાં નગરોમાંનાં નથી, તે સર્વને તું એમ જ કર.


પણ જેમ યહોવા તારા ઈશ્વરે તને આજ્ઞા આપી છે તેમ તારે તેઓનો, એટલે હિત્તીઓનો, અમોરીઓનો, કનાનીઓનો, તથા પરીઝીઓનો, હિવ્વીઓનો તથા યબૂસીઓનો પૂરો નાશ કરવો;


તો તેના પહેલા પતિએ તેને કાઢી મૂકી હતી તે તેને અશુદ્ધ થયા પછી ફરીથી પોતાની પત્ની કરી ન લે, કેમ કે યહોવાની દષ્ટિમાં તે અમંગળપણું છે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેના પર તું દોષ ન લાવ.


અને યહોવા તેઓને તમારા હાથમાં સોંપશે, અને જે સર્વ આજ્ઞાઓ મેં તમને ફરમાવી છે તે પ્રમાણે તમે તેઓને કરજો.


વળી યહોવા તમારે લીધે મારા પર કોપાયમાન થયા, ને તેમણે એવી પ્રતિજ્ઞા લીધી, કે તું યર્દનની પેલી બાજુ જવા પામશે નહિ ને યહોવા તારા ઈશ્વર જે ઉત્તમ દેશનો વારસો તને આપે છે, તેમાં તું પ્રવેશ કરશે નહિ.


અને જે સર્વ પ્રજાઓને યહોવા તારા ઈશ્વર તારે સ્વાધીન કરશે તેઓનો તારે સંહાર કરવો. તારી આંખ તેઓ ઉપર દયા ન લાવે. અને તારે તેઓનાં દેવદેવીઓની સેવા પણ ન કરવી. કેમ કે એ તને ફંદારૂપ થઈ પડશે.


અને તેઓનો વિનાશ થયો ત્યાં સુધી યહોશુઆ તથા ઇઝરાયલી લોકોએ ભારે કતલ કરીને તેઓનો સંહાર કર્યો, અને તેઓમાંના જેઓ બચ્યા તેઓ કોટવાળાં નગરોમાં ભરાઈ ગયા, ત્યારે એમ થયું કે,


અને તે દિવસે યહોશુઆએ માક્કેદા કબજે કર્યું, ને તેને તથા તેના રાજાને તરવારથી માર્યા. તેણે તેઓનો તથા તેમાંનાં સર્વ પ્રાણીઓનો પૂરો નાશ કર્યો, તેણે એકેને જીવતું રહેવા દીધું નહિ. અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું, તેમ તેણે માક્કેદાના રાજાને કર્યું.


એમ યહોશુઆએ આખા દેશને, એટલે પહાડી પ્રદેશને, તથા નેગેબને, તથા નીચાણના પ્રદેશને, તથા ઢોળાવને, તથા તેઓના સર્વ રાજાઓને માર્યા. તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ. પણ જેમ ઇઝરાયલના ઇશ્વર યહોવાએ આજ્ઞા આપી હતી, તેમ તેણે સર્વ શ્વાસોચ્છવાસ કરનારનો પૂરો નાશ કર્યો.


અને તે નગરોમાંની સર્વ માલમિલકત ને ઢોરઢાંક ઇઝરાયલીઓએ પોતાને માટે લૂટી લીધાં; પણ તેઓએ સર્વ માણસોનો નાશ થતાં સુધી તેઓએ સર્વ માણસોનો નાશ થતાં સુધી તેઓને તરવારથી માર્યા, અને તેઓએ કોઈ શ્વાસોચ્છશ્વાસ કરનારને જીવતું રહેવા દીધું નહિ.


અને તેઓએ નગરને તથા જે કંઈ તેમાં હતું તે સરવને અગ્નિમાં બાલી નાખ્યાં, ફક્ત રૂપું ને સોનું, ને પિત્તળનાં ને લોઢાંનાં પાત્રો તેઓએ યહોવાના ઘરના ભંડારમાં મૂક્યાં.


અને તે દિવસે પુરુષો તથા સ્‍ત્રીઓ મળીને બાર હજાર, એટલે આયનાં સર્વ માણસો પડ્યાં.


અને એમ થાય કે, નગર કબજે કર્યા પછી તમારે નગરને આગ લગાડવી. યહોવાના કહ્યા પ્રમાણે તમારે કરવું. જુઓ, મેં તમને આજ્ઞા આપી છે.”


અને તેઓએ યહોશુઆને ઉત્તર અપ્યો, “તમારે લીધે અમારા જીવને માટે અમને ઘણો ભય હતો તેથી અમે આ કામ કર્યું છે; કેમ કે આખો દેશ તમને આપવાની તથા તમારી આગળથી દેશના સર્વ રહેવાસીઓનો નાશ કરવાની જે આ તારા ઈશ્વર યહોવાએ તેમના સેવક મૂસાને આપી હતી, તે ખચીત તારા દાસોના સાંભળવામાં આવી છે.


અને તે દિવસે ઇઝરાયલી લોકોને માટે તથા જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાં, તેની વેદીને માટે યહોશુઆએ તેઓને લાકડાં ફાડનારા તથા પાણી ભરનારા ઠરાવ્યા. અને આજ સુધી [તેમ જ છે].


પણ ઇઝરાયલના માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારા [દેશ] માં રહેતા હો; તો અમે તમારી સાથે કોલકરાર શી રીતે કરીએ?”


તો હવે તું જઈને અમાલેકને માર, ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર, તેમના પર દયા લાવીશ નહિ; પણ પુરુષ તથા સ્‍ત્રી, ને બાળકો તેમ જ ઘાવણાં, બળદ તથા ઘેટાં, ઊંટ તથા ગધેડાં, એ સર્વને મારી નાખ.”


Lean sinn:

Sanasan


Sanasan