Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને એમ થશે કે, જો તે તને સલાહનો પ્રત્યુત્તર આપીને તારે માટે દરવાજા ખોલી દે, તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તને છૂટકાની રકમ આપીને તારા દાસ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 જો તેઓ તમારી સુલેહની શરતો સ્વીકારે અને નગરના દરવાજા ખોલી નાખીને શરણાગતિ સ્વીકારે તો એ નગરના લોકો વેઠિયા મજૂર તરીકે તમારી સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને એમ થશે કે જો તે તમને સલાહનો પ્રત્યુત્તર આપીને તમારે માટે દરવાજા ઉઘાડે, તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તમને ખંડણી આપીને તમારા દાસ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જો તે સંધિનો સ્વીકાર કરે અને તમાંરા માંટે નગરના દરવાજા ઉઘાડે, તો તે નગરના તમાંમ લોકો તમાંરા ગુલામ બની જાય.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:11
16 Iomraidhean Croise  

અને તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તેઓએ તેને તેના પિતા દાઉદને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો છે; કેમ કે હીરામ હંમેશા દાઉદ પર પ્રેમ રાખતો હતો.


તેણે ઉત્તર આપ્યો, “તમારે તેમને મારવા નહિ; જેમને તમે તમારી તરવારી તથા તમારા ધનુષ્યથી કબજે કર્યા છે, તેમને શું તમે મારશો? તેમની આગળ રોટલી ને પાણી મૂકો કે, તેઓ ખાઈપીને પોતાના ધણી પાસે પાછા જાય.”


હું શાંતિ ચાહું છું; પણ જ્યારે હું બોલું છું ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.


પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, ‘એ માણસ અમારા પર રાજ કરે એવું અમે ચાહતા નથી.’


જ્યારે તું કોઈ નગરની વિરુદ્ધ યુદ્ધ કરવાને તેની નજીદીક આવે, ત્યારે તેને સલાહનું કહેણ મોકલાવ.


અને જો તે [નગર] તારી સાથે સલાહ ન કરે, પણ તારી સામે યુદ્ધ કરે તો તું તેને ઘેરો ઘાલ.


અને ગેઝેરના રહેવાસી કનાનીઓને તેઓએ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ એફ્રાઈમપુત્રોના ગુલામ થઈ રહ્યા, ને તેઓ આજ સુધી તેઓની મધ્યે રહે છે.


અને તે દિવસે ઇઝરાયલી લોકોને માટે તથા જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાં, તેની વેદીને માટે યહોશુઆએ તેઓને લાકડાં ફાડનારા તથા પાણી ભરનારા ઠરાવ્યા. અને આજ સુધી [તેમ જ છે].


અને તેઓએ યહોશુઆને કહ્યું, “અમે તો તારા દાસ છીએ.” અને યહોશુઆએ તેઓને કહ્યું, “તમે કોણ છો? અને ક્યાંથી આવ્યા છો?”


અને તેઓએ તેને કહ્યું, “તારા ઈશ્વર યહોવાના નામની ખાતર અમે તારા દાસો ઘણા દૂર દેશથી આવ્યા છીએ. કેમ કે તેમની કીર્તિ, ને તેમણે મિસરમાં જે જે કર્યું તે સર્વ અમે સાંભળ્યું છે,


પણ ઇઝરાયલીઓ બળવાન થયા ત્યારે એમ થયું કે તેઓએ કનાનીઓ પર વેઠ નાખી, પણ તેઓને છેક કાઢી મૂક્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan