Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 13:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ તારે તેને જરૂર મારી નાખવો. તેને મારી નાખવા માટે પહેલો તારો હાથ તેના પર પડે, ને ત્યાર પછી [બીજા] બધા લોકનો હાથ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પરંતુ તમારે તેને જરૂર મારી નાખવો. બલ્કે એવી વ્યક્તિનો ઘાત કરવા વ્યક્તિગત રીતે પ્રથમ હાથ તમારે જ ઉપાડવો અને ત્યાર પછી બીજા બધા લોકો હાથ ઉપાડે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પરંતુ તેને નક્કી મારી નાખવો, તેને મારી નાખવા માટે તમારો હાથ પહેલો તેના પર પડે ત્યાર બાદ બીજા લોકો પણ તેમ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પરંતુ તેને માંરી નાખવો, તેની હત્યા કરવા માંટે તમાંરે પોતાનો હાથ સૌથી પહેલો ઉગામવો જોઈએ અને ત્યાર બાદ બીજા લોકો પણ તેમ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 13:9
10 Iomraidhean Croise  

“શાપ આપનારને છાવણી બહાર કાઢી લાવ, અને જેઓએ તેનું બોલવું સાંભળ્યું હોય, તે સર્વ પોતાના હાથ તેના માથા પર મૂકે, ને સમગ્ર પ્રજા તેને પથ્થરે મારે.


મારા કરતાં જે પિતા અથવા મા પર વત્તો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને દીકરા કે દીકરી પર જે મારાં કરતાં વત્તો પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી.


“જો કોઈ મારી પાસે આવે, અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.


તેઓએ તેમને પૂછયા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું, “તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે.”


તેઓએ તેને શહેર બહાર લઈ જઈને પથરા માર્યા! સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાનાં વસ્‍ત્ર મૂક્યાં હતાં.


અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખવો; કેમ કે યહોવા તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ને જેમણે બંદીખાનામાથી તને છોડાવ્યો, તેમની વિરુદ્ધ બંડખોર વાત તે બોલ્યો છે, એ માટે કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા ઈશ્વરે તને આ કરી છે તેમાંથી તે તને ભમાવી દે. એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.


તો તું તેનો હથ કાપી નાખ, તારી આંખ તેના પર દયા ન લાવે.


અને જે સર્વ પ્રજાઓને યહોવા તારા ઈશ્વર તારે સ્વાધીન કરશે તેઓનો તારે સંહાર કરવો. તારી આંખ તેઓ ઉપર દયા ન લાવે. અને તારે તેઓનાં દેવદેવીઓની સેવા પણ ન કરવી. કેમ કે એ તને ફંદારૂપ થઈ પડશે.


અને જ્યારે યહોવા તારા ઈશ્વર તેઓને તારે સ્વાધીન કરી દે, ને તું તેમનો પરાજય કરે, ત્યારે તારે તેઓનો પૂરો નાશ કરવો. તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહિ, ને તેમના પર દયા બતાવવી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan