Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 આખરને સમયે, દક્ષિણનો રાજા તેની સામે થશે; અને ઉત્તરનો રાજા રથો તથા સવારો તથા વહાણોનો કાફલો લઈને તેના પર વંટોળિયાની માફક [ઘસી] આવશે. તે તેના દેશોમાં પ્રવેશ કરશે, ને [રેલની જેમ સર્વત્ર] ફરી વળીને સામી બાજુએ નીકળી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 “અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા તેના ઉપર હુમલો કરશે. ઉત્તરનો રાજા રથો, ઘોડેસવારો તથા ઘણાં વહાણો લઈને તેના ઉપર વાવાઝોડાની જેમ ઘસી આવશે. તે ઘણા દેશો પર ચઢી આવશે પૂરની જેમ બધે ફરી વળીને પાર નીકળી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 “‘પછી તેના અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા ફરીથી તેની ઉપર હુમલો કરશે. અને ઉત્તરનો અરામનો રાજા રથો, ઘોડેસવારો અને અનેક વહાણો લઇને તેના ઉપર પ્રચંડ વંટોળની જેમ ઘસી આવશે અને તેના પ્રદેશમાં દાખલ થઇ, પૂરના પાણીની જેમ બધે ફરી વળી પાર નીકળી જશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:40
24 Iomraidhean Croise  

સમુદ્ર પાસેના અરણ્ય વિષે ઈશ્વરવાણી:“દક્ષિણમાં વાવંટોલિયાના સુસવાટાની જેમ [આપત્તિ] અરણ્યમાંથી, બિહામણા દેશમાંથી, આવે છે.


તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે, ને તેમનાં સર્વ ધનુષ્યો તાણેલાં છે. તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી, અને તેમનાં પૈડાં વંટોળિયાના જેવાં છે.


કેમ કે જુઓ, યહોવા અગ્નિદ્વારા આવશે, ને એમના રથો વંટોળિયા જેવા થશે! તે કોપથી પોતાના રોષને, તથા અગ્નિના ભડકાથી પોતાની ધમકીને પ્રગટ કરવા માટે આવશે.


જો, તે વાદળાંની જેમ ચઢશે, ને તેના રથો વંટોળિયા જેવા થશે; તેના ઘોડા ગરુડ કરતાં વેગવાન છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાયા છીએ.


હું તને પાછો ફેરવીશ, ને તારાં જડબાંમાં કડીઓ નાખીને તને બહાર ખેંચી કાઢીશ, ને તારું બધું સૈન્ય, ઘોડાઓ તથા ઘોડેસવારો, તેઓ સર્વ પૂરા શસ્ત્રસજ્જિત, ઢાલો તથા ઢાલડીઓ ધારણ કરેલાઓનો મોટો સમુદાય કે જેમાંના સર્વના હાથમાં તરવારો છે તેઓ,


તું તારા સર્વ સૈન્ય તથા ઘણી પ્રજાઓ પોતાની સાથે લઈને ચઢશે, તું તોફાનની જેમ આવશે, ને તું દેશને ઢાંકી દેનાર વાદળ જેવો થશે.


તેના દીકરાઓ યુદ્ધ કરશે, ને મોટાં સૈન્યો ભેગાં કરશે, ને તેમાંનો એક ઘસી આવશે, ને રેલની જેમ ફરી વળીને દેશને આ છેડેથી પેલે છેડે જશે. અને તે પાછો આવીને છેક ઼તેના કિલ્લા સુધી યુદ્ધ કરશે.


પછી દક્ષિણનો રાજા ક્રોધાયમાન થઈને ચઢી આવશે, ને તેની સાથે, એટલે ઉત્તરના રાજાની સાથે યુદ્ધ કરશે. તે એક મોટું લશ્કર ઊભું કરશે, ને તે લશ્કર તેના હાથમાં સોંપવામાં આવશે.


ત્યાર પછી ઉત્તરનો રાજા પાછો આવીને આગળના કરતાં મોટું લશ્કર ભેગું કરશે, અને કેટલાક કાલ પછી, એટલે કેટલાંક વર્ષો પછી, તે એક મોટું સૈન્ય તથા ઘણું દ્રવ્ય લઈને ઘસી આવશે.


તેની આગળથી લોકો રેલના [જેવા] બળથી ઘસડાઈ જશે, ને ખેદાનમેદાન થશે, હા, તેના કરારમાં દાખલ થયેલો સરદાર પણ [નાશ પામશે].


મોટી ફોજ લઈને દક્ષિણના રાજા ઉપર ચઢાઈ કરવાને તેનામાં બળ તથા હિમ્મત આવશે. દક્ષિણનો રાજા પણ અતિશય મોટું તથા પરાક્રમી સૈન્ય લઈને તેની સામે યુદ્ધ મચાવશે; પણ તે પણ ટકશે નહિ, કેમ કે તેઓ તેની સામે કાવતરાં કરશે.


સુજ્ઞોમાંના કેટલાક તેઓને પવિત્ર કરવા માટે તથા શુદ્ધ કરવા માટે તથા તેમને શ્વેત કરવા માટે, છેક અંતના સમય સુધી પ્રયત્ન કરતાં નાશ પામશે; કેમ કે ઠરાવેલો વખત હજુ આવનાર છે.


પારકા દેવની સહાયથી તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. જેઓ તેની આણ સ્વીકારશે તેઓને તે વધારે માનવંત હોદ્દે ચઢાવશે; અને તેઓને ઘણા લોકો ઉપર અધિકારી બનાવશે, અને મૂલ્યવાન લઈને જમીન વેચશે.


પણ તેની જડમાંથી નીકળેલા ફણગામાંથી તેની પદવીએ એક ઊભો થશે કે જે સૈન્યમાં આવશે, ને ઉત્તરના રાજાના કિલ્લામાં પેસીને તેની વિરુદ્ધ લડીને ફતેહ પામશે.


પણ, હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.”


તેણે કહ્યું, “હે દાનિયેલ, તું તારે રસ્તે ચાલ્યો જા; કેમ કે અંતના સમય સુધી એ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે.


તેથી જ્યાં હું ઊભો હતો ત્યાં તે નજીક આવ્યો. જ્યારે તે આવ્યો ત્યારે હું બીને ઊંધો પડ્યો; પણ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું સમજ; કેમ કે આ સંદર્શન અંતકાળ વિષેનું છે.”


તમે તેના પોતાના ભાલાઓથી તેના લડવૈયાઓનું શિર વીંધી નાખો છો; તેઓ મને વિખેરી નાખવા માટે વંટોળિયાની જેમ આવ્યા. તેઓ ગરીબોને ગુપ્ત રીતે ગળી જવામાં આનંદ માને છે.


યહોવા તેઓના ઉપર દેખાશે, અને તેમનું બાણ વીજળીની જેમ છૂટશે; પ્રભુ યહોવા રણશિંગડું વગાડશે, તે દક્ષિણના વંટોળિયાઓ સહિત કૂચ કરશે.


પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર, એટલે ફ્રાત પર રેડી દીધું. એટલે પૂર્વથી જે રાજાઓ આવનાર‌ છે તેઓને માટે રસ્તો તૈયાર થાય, માટે તેનું પાણી સૂકાઈ ગયું.


તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી; તેઓની સંખ્યા મેં સાંભળી.


Lean sinn:

Sanasan


Sanasan