Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે. તેથી તે નિરાશ થઈને પાછો જશે, ને પવિત્ર કરાર વિરુદ્ધ તેને ક્રોધ ચઢશે, ને તે [પોતાની મરજી પ્રમાણે] કરશે; હા, તે પાછો જશે ને પવિત્ર કરારનો ત્યાગ કરનારાઓ પર મહેરબાની રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 રોમનો વહાણોમાં બેસીને આવશે અને તેનો સામનો કરશે, એટલે તે ગભરાઈ જશે. “તે ક્રોધે ભરાઈને પાછો જશે અને ઈશ્વરના લોકોના ધર્મનો નાશ કરવાનો વિચાર કરશે. પવિત્ર કરાર મુજબના ધર્મનો ત્યાગ કરનારાઓની સલાહ તે માનશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે; તેથી તે નિરાશ થઈને પાછો જશે, પવિત્ર કરારને તજી દેનાર પર તે કૃપા રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 કારણકે પશ્ચિમમાંથી આવતાં રોમન યુદ્ધના વહાણો તેની વિરૂદ્ધ આવશે; તેથી તે ગભરાઇને પાછો જશે, ને પવિત્ર કરાર વિરૂદ્ધ તેને ક્રોધ ચઢશે, અને રોષે ભરાઇ પવિત્ર કરાર ઉપર દાઝ ઉતારશે. પાછા ફર્યા પછી તે પવિત્ર કરારને છોડીને જનાર પ્રત્યે દયા રાખશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:30
13 Iomraidhean Croise  

અને યાવાનના દિકરા : એલિશા તથા તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.


યાવાનના પુત્રો:એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા રોદાનીમ.


મેં ખ્યાલ કર્યો કે ઈશ્વરે તેને મોકલ્યો નહોતો. તેણે એ પ્રબોધ મારી વિરુદ્ધ કર્યો હતો; કેમકે ટોબિયાએ તથા સાન્બાલ્લાટે તેને લાંચ આપીને રાખ્યો હતો કે,


તૂર વિષે ઈશ્વરવાણી:હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તે પાયમાલ થયું છે, અને પ્રવેશ કરવાની ગોદી નથી; કિત્તીમ દેશથી આવતાં તેઓને એવી ખબર મળે છે.


તેમણે કહ્યું, “જેના પર બલાત્કાર થયો છે એવી સિદોનની કુંવારી દીકરી, તું હવે પછી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; હા, ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”


પેલી પાર કિત્તીમના દ્વીપોમાં જઈને જુઓ; અને કેદારમાં મોકલીને ઘણી ખંતથી શોધો; અને જુઓ કે એવું કંઈ થયું છે?


તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનવ્યાં છે; તેઓએ તારી તૂતક કિત્તિમ બેટોથી લાવવામાં આવેલા સરળ કાષ્ટની તથા હાથીદાંતજડિત બનાવી છે.


પછી તે પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; અને તેનું અંત:કરણ પવિત્ર કરારની વિરુદ્ધ રહેશે; અને તે પોતાની મરજી પ્રમાણે કરીને તેના પોતાના દેશમાં પાછો જશે.


ઠરાવેલે વખતે તે પાછો ફરીને દક્ષિણમાં આવશે; પણ અગાઉ જેમ થયું તેમ તે વખતે થશે નહિ.


તે પરાત્પરની વિરુદ્ધ [મોટી મોટી] વાતો બોલશે, ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે. અને તે [ધાર્મિક ઉત્સવોના] દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે.


પણ કિત્તીમના કિનારાથી વહાણો [આવશે] , અને તેઓ આશૂરને દુ:ખ દેશે, ને એબેરને દુ:ખ દેશે, અને તે પણ નાશ પામશે.”


અને તે સમયે ઘણા ઠોકર ખાશે, ને એકબીજાને પરસ્વાધીન કરાવશે, ને એકબીજા પર વૈર રાખશે.


એ માટે, ઓ આકાશો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan