Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 8:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓ તથા પલેથીઓનો [પરદેશી અંગરક્ષકોનો] ઉપરી હતો. અને દાઉદના દીકરા મુખ્ય કારભારી હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 કરેથીઓ અને પલેથીઓ દાવિદના અંગરક્ષકો હતા. યહોયાદાનો પુત્ર બનાયા તે અંગરક્ષકોનો ઉપરી હતો અને દાવિદના પુત્રો યજ્ઞકારો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો અને પલેથીઓનો ઉપરી હતો અને દાઉદના દીકરાઓ રાજાના મુખ્ય સલાહકાર હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓનો અને પલેથીઓનો અંગરક્ષક હતો. અને દાઉદના પુત્રો મુખ્ય કારભારી હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 8:18
18 Iomraidhean Croise  

તેના સઘળા સેવકો તેની પડખે ચાલતા હતા; અને સર્વ કરેથીઓ, સર્વ પલેથીઓ તથા સર્વ ગિત્તીઓ, એટલે ગાથથી તેની પાછળ આવેલા છસો માણસો, રાજાની આગળ ચાલતા હતા.


હવે યોઆબ ઇઝરાયલના સર્વ સૈન્યનો ઉપરી હતો; અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓનો તથા પલેથીઓનો ઉપરી હતો.


ઈરા યાઈરી પણ દાઉદનો મુખ્ય કારભારી હતો.


અને યોઆબના માણસો, કરેથીઓ ને પલેથીઓ તથા સર્વ યોદ્ધાઓ તેની પાછળ ગયા; તેઓ બિખ્રીના દિકરા શેબાની પાછળ પડવા યરુશાલેમથી બહાર નીકળ્યા.


એમ સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા, તથા કરેથીઓ ને પલેથીઓ, તેઓ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા.


અને રાજાએ તેની સાથે સાદોક યાજકને, નાથાન પ્રબોધકને, યહોયાદાના દીકરા બનાયાને, તથા કરેથીઓ ને પલેથીઓને મોકલ્યા છે, ને તેઓએ તેને રાજાના ખચ્ચર પર સવારી કરાવી છે.


પણ સાદોક યાજક, યહોયાદાનો દીકરો બનાયા, નાથાન પ્રબોધક, શિમઈ, રેઈ, તથા દાઉદના યોદ્ધાઓ અદોનિયાની મદદે ગયા નહિ.


પછી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને હુકમ આપીને મોકલ્યો. એણે અદોનિયા પર તૂટી પડીને તેનો પ્રાણ લીધો.


યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો; સાદોક તથા અબ્યાથાર યાજકો હતા;


નાથાનનો દીકરો અઝાર્યા કારભારીઓનો ઉપરી હતો; નાથાનનો દીકરો ઝાબૂદ પ્રધાન તથા રાજાનો મિત્ર હતો;


સાતમે વર્ષે યહોયાદાએ માણસો મોકલીને કારીઓના તથા રક્ષક ટુકડીના સિપાઈઓના શતાધિપતિઓને તેડાવીને તેમને યહોવાના મંદિરમાં પોતાની પાસે એકત્ર કર્યા. તેણે તેઓની સાથે કોલકરાર કર્યો, ને યહોવાના મંદિરમાં તેમને સોગન ખવડાવીને રાજાનો દીકરો તેમને દેખાડ્યો.


કાબ્સેલ [ગામ] ના પરાક્રમી કૃત્યો કરનાર એક શયૂરવીર પુરુષના પુત્ર યહોયાદાનો પુત્ર બનાયા હતો, એણે મોઆબી અરીએલના બે પુત્રોને મારી નાખ્યા. વળી એક વાર હિમ પડતું હતું તે વખતે તેણે એક ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો.


યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓ ને પલેથીઓનો ઉપરી હતો. અને દાઉદના દીકરાઓ રાજાની હજૂરમાં મુખ્ય [અમલદારો] હતા.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું પલિસ્તીઓ પર મારો હાથ લંબાવીને કરેથીઓને નષ્ટ કરીશ, ને સમુદ્રકિનારાના બચેલા ભાગનો વિનાશ કરીશ.


સમુદ્રકાંઠે રહેનારા કરેથીઓની પ્રજાને અફસોસ! હે પલિસ્તીઓના દેશ કનાન, યહોવાનું વચન તારી વિરુદ્ધ છે. “હું તારો એવો નાશ કરીશ કે એકે માણસ તારામાં વસશે નહિ.”


અમે કરેથીઓના દક્ષિણ ભાગ પર, યહૂદિયાના દેશ પર, તથા કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી, ને સિક્લાગને અમે આગથી બાળી નાખ્યું.”


Lean sinn:

Sanasan


Sanasan