Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 23:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેણે કહ્યું, “હે યહોવા એમ કરવું મારાથી દૂર રહો. જે માણસો પોતાના જીવ જોખમમાં નાખીને ગયા, તેઓનું રક્ત શું [હું પીઉં] ?” માટે તેણે તે પીધું નહિ. એ કૃત્યો એ ત્રણ શૂરવીરોએ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 “પ્રભુ, હું આ પાણી પી શકું નહિ. આ પાણી પીવું તે તો પોતાના જીવ જોખમમાં નાખનાર આ માણસોનું રક્ત પીવા સમાન છે.” તેથી તેણે તે પીવાનો ઇનકાર કર્યો. ત્રણ ખ્યાતનામ સૈનિકોનાં એ પરાક્રમ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી તેણે કહ્યું, હે ઈશ્વર, જે માણસોએ પોતાના જીવ જોખમમાં નાખ્યા તેઓનું લોહી શા માટે પીઉં?” માટે તેણે તે પીવાની ના પાડી. અને કહ્યું હે ઈશ્વર, આ પાણી પીવાથી મને દૂર રાખો. આ સાહસ એ ત્રણ શૂરવીરોએ કર્યા હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તે બોલ્યો, “ઓ યહોવા, આ હું કેવી રીતે પી શકું? એ તો માંરા માંટે પોતાના પ્રાણ સંકટમાં મૂકનાર આ ત્રણ શૂરવીરોનું લોહી પીધા બરાબર છે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 23:17
14 Iomraidhean Croise  

અને તેણે કહ્યું, “એવું કરવું મારાથી દૂર થાઓ! જે માણસની પાસેથી પ્યાલું મળ્યું તે મારો દાસ થશે; પણ તમે તો શાંતિએ તમારા પિતાની પાસે જાઓ.”


પણ માંસ તેના જીવ સુદ્ધાં, એટલે રક્ત સુદ્ધાં, ન ખાશો.


યોઆબે તેને ઉત્તર આપ્યો “હું ગળી જાઉં કે નાશ કરું, એ મારાથી દૂર હોજો, મારાથી દૂર હોજો.


અને નાબોથે આહાબને કહ્યું, “હું મારા પિતૃઓનું વતન તને આપું એવું યહોવા ન થવા દો.”


ને કહ્યું, “મારો ઈશ્વર મારી પાસે એવું ન કરાવે. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવને [જોખમે] તે લાવ્યા છે.” આથી તે પીવાને તે રાજી ન હતો. એ ત્રણ યોદ્ધાઓએ એ ત્રણ કાર્યો કર્યા.


જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેમની દષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે;


અને ઇઝરાયલના ઘરમાંનો અથવા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓમાંનો જે કોઈ માણસ હરકોઈ જાતનું રક્ત ખાય, તે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ, ને તેના લોકો મધ્યેથી તેને અલગ કરીશ.


કેમ કે [નવા] કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.


તેમણે તેઓને કહ્યું, “કરારનું આ મારું રક્ત છે કે, જે ઘણાને લીધે વહેવડાવવામાં આવ્યું છે.


અમે પણ શા માટે હરહંમેશ જોખમમાં પડીએ છીએ?


ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનમાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને જોખમમાં નાખ્યા.


આથી ઇઝરાયલનો ઇશ્વર યહોવા કહે છે, તારું કુળ તથા તારા પિતાનું કુળ મારી સમક્ષ સદા ચાલશે, એમ મેં કહેલું તે ખરું; પણ હવે યહોવા કહે છે કે, એ મારાથી દૂર રહો; કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે.


યહોવા એવું ન થવા દો કે હું મારો હાથ યહોવાના અભિષિક્ત પર ઉગામું. પણ હાલ તો કૃપા કરીને તેમના માથા પાસેનો ભાલો તથા પાણીનો ચંબુ લઈ લે, ને પછી આપણે ચાલ્યા જઈએ.”


Lean sinn:

Sanasan


Sanasan