Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:48 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે, અને લોકોને મારી સત્તા નીચે લાવી રાખે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

48 તે મને મારા શત્રુઓ પર પૂરો બદલો લેવા દે છે; અન્ય રાષ્ટ્રોને તે મારે તાબે કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, જે લોકોને મારી સત્તા નીચે લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

48 દેવે માંરા માંટે થઇને માંરા દુશ્મનો ઉપર વેર વાળ્યું, તેમણે દેશોને અંકુશમાં રાખવાની સત્તા મને આપી છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:48
11 Iomraidhean Croise  

સાદોકના દિકરા અહિમાઆસે કહ્યું, “મને દોડતા જઈને રાજાને ખબર આપવા દો કે, યહોવાએ તેનું વેર તેના શત્રુઓ પર વાળ્યું છે.”


પછી પેલો કૂશી આવ્યો, અને તેણે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, તમારે માટે સમાચાર કેમ કે જેઓ તમારી વિરુદ્ધ ઊઠ્યા હતા, તે સર્વ પર યહોવાએ તમારું વૈર વાળ્યું છે.”


તેઓએ ઈશ-બોશેથનું માથું હેબ્રોનમાં દાઉદ પાસે લાવીને રાજાને કહ્યું, “તારો શત્રુ શાઉલ જે તારો જીવ લેવા શોધતો હતો તેના પુત્ર ઈશ-બોશેથનું માથું જો [આ રહ્યું]. આજે યહોવાએ મારા મુરબ્બી રાજાનું વેર શાઉલ પર તથા તેના વંશ પર વાળ્યું છે.”


યહોવાએ મારા પ્રભુને કહ્યું, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”


તે મારા કૃપાનિધિ છે, તે મારો કિલ્લો છે; મારો ગઢ તથા મારા બચાવનાર છે; તે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તે જ છે; તે મારા લોકોને મારે તાબે કરે છે.


હે બદલો વાળનાર ઈશ્વર, યહોવા, હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રકાશવાન બતાવો.


કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ નીચે નહિ દાબે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.


તેઓનો પગ લપસી જશે તે કાળે, વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે; કેમ કે તેઓની વિપત્તિનો દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવશે.’


યહોવા મારી તથા તમારી વચ્ચે ન્યાય કરો, ને યહોવા મારી તથા તમારી વચ્ચે ન્યાય કરો, ને યહોવા મારું વેર તમારા પર વાળો. પણ મારો હાથ [તો] તમારા પર નહિ જ પડે.


આપને વિષે જે સર્વ હિતવચનો યહોવા બોલ્યા છે તે પ્રમાણે તેમણે મારા મુરબ્બીને માટે કર્યું હશે, ને ઇઝરાયલ પર આપને અધિકારી ઠરાવ્યા હશે ત્યારે એમ થશે કે,


નાબાલ મરણ પામ્યો છે એ દાઉદે સાંભળ્યું, ત્યારે તેણે કહ્યું, “યહોવા જેમણે નાબાલ પર મને મહેણાં મારવાનું વેર લીધું છે, ને જેમણે પોતાના સેવકને અન્યાય કરતાં અટકાવ્યો છે તેમને ધન્ય હોજો. યહોવાએ નાબાલનું દુષ્ટ કર્મ તેને પોતાને જ માથે પાછું વાળ્યું છે.”


Lean sinn:

Sanasan


Sanasan