Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવા જે સ્તુતિપાત્ર છે, તેમને હું હાંક મારીશ; એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પ્રભુ સ્તુતિપાત્ર છે; હું તેમને પોકારું છું, એટલે તે મને મારા શત્રુઓથી બચાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યહોવા જે સ્તુતિપાત્ર છે, તેને હું હાંક માંરીશ; એમ હું માંરા શત્રુઓથી બચી જઇશ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:4
20 Iomraidhean Croise  

તેઓએ ગાયનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો, એટલે યહોવાએ આમ્મોનીઓ, મોઆબીઓ તથા સેઇર પર્વતના લોકો, જેઓ યહૂદિયાની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા. અને તેઓએ માર ખાધો.


યેશૂઆ, કાહ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા, એ લેવીઓએ કહ્યું, “ઊભા થઈને આપણા ઈશ્વર યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો; અને એમ બોલો કે, તમારું બુલંદ નામ કે કે જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે, તેને ધન્ય હો!


યહોવાનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?


હું તારણનો પ્યાલો લઈને યહોવાના નામને વિનંતી કરીશ.


હું તમારી આગળ સ્તુત્યર્પણો ચઢાવીશ, હું યહોવાના નામને વિનંતી કરીશ.


તેમણે મારી તરફ પોતાનો કાન ધર્યો છે, માટે જિંદગી પર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.


ત્યારે મેં યહોવાના નામને વિનંતી કરી, “હે યહોવા, દયા કરીને મારા આત્માને બચાવો.”


યહોવા સ્તુતિપાત્ર છે, તેમને હું વિનંતી કરીશ. એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.


આ કંગાલ પુરુષે પોકાર કર્યો, અને યહોવાએ તેનું સાંભળીને તેનાં સર્વ સંકટમાંથી તેને બચાવ્યો.


આપણા ઈશ્વરના નગરમાં, તેમના પવિત્ર પર્વતમાં, યહોવા મોટા તથા ઘણા સ્તુત્ય છે.


સંકટને સમયે મને વિનંતી કર; હું તને છોડાવીશ, અને તું મારો મહિમા [પ્રગટ] કરશે.”


હું તો ઈશ્વરને પોકાર કરીશ, એટલે યહોવા મારું તારણ કરશે.


જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે.


તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; તેમના સ્તવનને મહિમાવાન કરો.


કેમ કે યહોવા મોટા અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.


કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે.


“ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો. કેમ કે તમે સર્વને ઉત્પન્‍ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”


તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, “જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા‍ સ્તુતિ પામવાને યોગ્ય છે.”


Lean sinn:

Sanasan


Sanasan