Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 22:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 મારા ન્યાયીપણા પ્રમાણે યહોવાએ મને પ્રતિફળ આપ્યું; મારા હાથની શુદ્ધતા પ્રમાણે તેમણે મને બદલો આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુ મને મારા સદાચરણનું પ્રતિફળ આપે છે, અને તે મને મારી નિર્દોષ વર્તણૂકનો બદલો આપે છે. હું નિર્દોષ હોવાથી તે મને આશિષ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 હું જે સાચું છે તે કરું છું અને કાંઇ ખોટું કર્યુ નથી. મને યહોવા પાસેથી હંમેશા માંરા કર્મ પ્રમાંણે બદલો મળે છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 22:21
13 Iomraidhean Croise  

એ માટે યહોવાએ મારા ન્યાયીપણા પ્રમાણે, તથા તેમની દષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.


સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, નેકીથી તથા તમારી સાથે પ્રામાણિક હ્રદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મહેરબાની પણ મોટી કરી. અને તમે તેમના પર આ મોટી મહેરબાની રાખી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.


તો તમે આકાશમાં સાંભળજો, ને [તે પ્રમાણે] કરજો, ને તમારા સેવકોનો ન્યાય કરીને દુષ્ટને દોષિત ઠરાવી તેનો માર્ગ તેને પોતાને માથે લાવજો. અને ન્યાયીને ન્યાયી ઠરાવી તેના ન્યાયપ્રમાણે તેને આપજો.


તોપણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે, અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે.


વળી તેઓથી તમારા સેવકને ચેતવણી મળે છે; તેઓને પાળવામાં મોટો લાભ છે.


જેના હાથ શુદ્ધ છે, ‍ જેનું હ્રદય નિર્મળ છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડયું નથી, અને જૂઠા સોગન ખાધા નથી તે જ [ચઢી શકશે].


યહોવા લોકોનો ન્યાય કરે છે. હે યહોવા, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.


નેકીવાનોને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ તથા પાપીને બદલો [મળશે] તે કેટલું બધું [ખાતરીભરેલું છે] !


એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યાં રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.


તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શદ્ધ કરો. અને ઓ બે મનવાળાઓ, તને તમારાં મન પવિત્ર કરો.


યહોવા પ્રત્યેક માણસને ન્યાયીપણાનું તથા તેના વિશ્વાસુપણાનું ફળ આપશે, કેમ કે યહોવાએ તમને આજે મારા હાથમાં સોંપી દીધા હતા, છતાં મેં યહોવાના અભિષિક્ત પર મારો હાથ ઉગામવાની ઇચ્છા કરી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan