Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 21:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને રાજાએ ગિબ્યોનીઓને બોલાવીને તેમને [તે] કહ્યું: (હવે ગિબ્યોનીઓ તો ઇઝરાયલી લોકોમાંના નહિ, પણ અમોરીઓના બાકી રહેલાઓમાંન હતા. અને ઇઝરાયલી લોકોએ તેઓની આગળ સમ ખાધા હતા; પણ શાઉલ ઇઝરાયલી લોકો તથા યહૂદિયા પ્રત્યેના પોતાના આવેશને લીધે તેઓને મારી નાખવાની પેરવીમાં રહેતો;)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 (ગિબ્યોનના લોકો ઇઝરાયલી નહોતા. તેઓ તો અમોરી પ્રજાના બાકી રહી ગયેલા લોક હતા. ઇઝરાયલીઓએ તેમને મારી નહિ નાખવાના સમ ખાધા હતા. પણ ઇઝરાયલ અને યહૂદિયાના લોકો પ્રત્યેના શાઉલના આવેશને લઈને તેણે તેમનો ઉચ્છેદ કરી નાખવાનો પ્રયાસ કર્યો હતો.)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હવે ગિબ્યોનીઓ તો ઇઝરાયલના નહિ પણ અમોરીઓમાં બાકી રહેલાઓમાંના હતા. ઇઝરાયલના લોકોએ તેમની સાથે સમ ખાધા હતા, પણ શાઉલ ઇઝરાયલના લોકો તથા યહૂદિયાના લોકો માટેના તેના આવેશને લીધે તેઓને મારી નાખવાના પ્રયત્નમાં રહેતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેથી રાજા દાઉદે ગિબયોનના લોકોને બોલાવ્યા, તેઓ ઇસ્રાએલીઓના પુત્રો નહોતાં પણ તેઓ ત્યાં રહેતા બીજા અમોરીઓના પુત્રો હતાં. ઇસ્રાએલપુત્રોએ તેઓનો નાશ નહિ કરવા માંટે પ્રતિજ્ઞા લીધી હતી, પણ શાઉલને ઇસ્રાએલ અને યહૂદા માંટે ઊંડી લાગણી હતી તેથી તેણે તેઓનો વિનાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 21:2
13 Iomraidhean Croise  

અને તેઓ ચોથી પેઢીમાં અહીં પાછા આવશે; કેમ કે અમોરીઓનાં પાપનો ઘડો હજી ભરાયો નથી.”


યહોવાનો કોપ ફરી ઇઝરાયલ પર સળગી ઊઠ્યો; અને તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, “જા, ઇઝરાયલ તથા યહૂદિયાની ગણતરી કર.”


યેહૂએ કહ્યું, “મારી સાથે ચાલ, ને યહોવા પ્રત્યેની મારી આસ્થા જો.” એમ તેઓએ તેને રથમાં બેસાડ્યો.


પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે પોતાના પૂરા હ્રદયથી ચાલવાની બિલકુલ કાળજી રાખી નહિ. યરોબામે પોતે જે પાપો કરીને ઇઝરાયલની પાસે પાપ કરાવ્યાં હતાં, તેવાં પાપ કરવાં તેણે ચાલુ રાખ્યાં.


યબૂસી, અમોરી, ગિર્ગાશી;


તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.


કેમ કે હું તેઓ વિષે સાક્ષી પૂરું છું કે, ઈશ્વર ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે‍ વગરની છે.


તેઓ તમારો વસીલો શોધે છે, પણ નેક દાનતથી નહિ, પણ તમે તેઓનો વસીલો શોધનારા થાઓ એ માટે તેઓ તમને જુદા પાડવા ચાહે છે.


અને જે સર્વ પ્રજાઓને યહોવા તારા ઈશ્વર તારે સ્વાધીન કરશે તેઓનો તારે સંહાર કરવો. તારી આંખ તેઓ ઉપર દયા ન લાવે. અને તારે તેઓનાં દેવદેવીઓની સેવા પણ ન કરવી. કેમ કે એ તને ફંદારૂપ થઈ પડશે.


શાઉલે કહ્યું, “ઈશ્વર એવું ને એથી પણ વધારે [મને] કરો, કેમ કે, યોનાથાન, તું નક્‍કી મરશે.”


Lean sinn:

Sanasan


Sanasan