Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 20:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પછી તે સ્‍ત્રી પોતાની ચતુરાઈથી સર્વ લોકો પાસે ગઈ. એટલે તેઓએ બિખ્રીના દિકરા શેબાનું માથું કાપીને યોઆબ પાસે નાખ્યું. અને તેણે રણશિંગડું વગાડ્યું, એટલે તેઓ નગર આગળથી વિખેરાઈને પોતપોતાના તંબુએ ગયા. પછી યોઆબ રાજા પાસે યરુશાલેમમાં પાછો આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પછી તે સ્ત્રીએ જઈને નગરજનોને ચતુરાઇથી સમજાવ્યા અને તેમણે શેબાનું માથું કાપીને કોટ ઉપરથી યોઆબ પાસે ફેંકયું. યોઆબે રણશિંગડું વગાડીને ઘેરો ઉઠાવી લીધો. પછી તેઓ ઘેર પાછા આવ્યા અને યોઆબ યરુશાલેમમાં રાજા પાસે આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પછી તે સ્ત્રી પોતાની હોશિયારી વાપરીને સર્વ લોકો પાસે ગઈ. લોકોએ બિખ્રીનો દીકરો શેબાનું માથું કાપી નાખ્યું એટલે કોટ પરથી યોઆબ તરફ ફેંકયું. પછી તેણે રણશિંગડું વગાડ્યું અને યોઆબના માણસો નગર છોડીને પોતપોતના તંબુએ ગયા. અને યોઆબ રાજા પાસે પાછો યરુશાલેમમાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પદ્ધી તે સ્ત્રી પોતાની ચતુરાઈથી સર્વ લોકો પાસે ગઈ અને તેમને સમજાવ્યાં. તેમણે શેબાનું માંથું કાપી નાખ્યું અને કોટ પરથી યોઆબ તરફ ફેંકયું. પદ્ધી તેણે રણશિંગડું ફૂંકાવ્યું અને આખા લશ્કરે ઘેરો ઉઠાવી લધો, અને સૌ પોતપોતાને ઘેર પાછા ગયા, પદ્ધી યોઆબ રાજા પાસે પાછો યરૂશાલેમ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 20:22
10 Iomraidhean Croise  

અને યોઆબે રણશિંગડું વગાડ્યું, એટલે લોકો ઇઝરાયલની પાછળ પડવાથી પાછા ફર્યા; કેમ એ યોઆબે લોકોને વાર્યા.


પછી તેઓએ આબ્‍શાલોમને લઈને તે જંગલના એક મોટા ખાડામાં તેને નાખ્યો, ને તેના પર પથ્થરનો એક બહુ મોટો ઢગલો કર્યો. અને સર્વ ઇઝરાયલ પોતપોતાના તંબુએ જતા રહ્યા.


પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, એટલે સર્વ લોકો ઊભા રહ્યા, અને ઇઝરાયલની પાછળ પડતાં અટક્યા, ને તેઓએ લડવું બંધ કર્યું.


બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”


ત્યારે એક શાણી સ્‍ત્રીએ નગરમાંથી બૂમ પાડી, “સાંભળો, સાંભળો; કૃપા કરીને યોઆબને કહો કે તે અહીં આવે, ને હું તેની સાથે વાત કરું.”


દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિમાન બનાવે છે.


દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી તે માટે મનુષ્યોનું અંત:કરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોંટેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan