Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 16:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, “તમારા પિતાએ ઘર સાચવવા માટે જે ઉપપત્નીઓ મૂકેલી છે તેઓની આબરૂ લો. અને સર્વ ઇઝરાયલ સાંભળશે કે તમારા પિતા તમને ધિક્કારે છે, ત્યારે જેઓ તમારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 અહિથોફેલે જવાબ આપ્યો, “તમારા પિતાએ મહેલની સંભાળ રાખવા અહીં રાખેલી ઉપપત્નીઓ સાથે તમે સમાગમ કરો. પછી ઇઝરાયલમાં સૌ જાણશે કે તમે તમારા પિતાના પાકા દુશ્મન બન્યા છો ત્યારે તમારા પક્ષના માણસોને ઘણું ઉત્તેજન મળશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અહિથોફેલે આબ્શાલોમને જવાબ આપ્યો, “તારા પિતાની ઉપપત્નીઓને તે મહેલની સંભાળ લેવા માટે મૂકી ગયા હતા, ત્યાં તું જા અને તેઓની આબરૂ લે અને સર્વ ઇઝરાયલીઓને ખબર પડશે કે, તારા પિતા તને ધિક્કારે છે. પછી જેઓ તારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.”

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 16:21
22 Iomraidhean Croise  

અને શિમયોનને તથા લેવીને યાકૂબે કહ્યું, “તમે દેશના રહેવાસીઓમાં એટલે કનાનીઓમાં તથા પરિઝીઓમાં મને ધિકકારપાત્ર કરાવ્યાથી કાયર કર્યો છે; અને મારા માણસ થોડા છે, માટે તેઓ મારી સામા એકઠા થઈને મને મારશે; અને મારો વિનાશ થશે, મારો તથા મારા ઘરનાંનો.”


અને એમ થયું કે ઇઝરાયલ તે દેશમાં રહેતો હતો, ત્યારે રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો; ને તે ઇઝરાયલના સાંભળવામાં આવ્યું.


અને માર્ગની બાજુએ વળીને તે તેની પાસે આવવા દે.” કેમ કે એ મારી પુત્રવધૂ છે એમ તે જાણતો નહોતો. અને તે બોલી, “મારી પાસે આવવા માટે તું મને શું આપીશ?”


તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા, ને ઈશ્વરના દિકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા, ને તેઓથી છોકરાં થયાં, જેઓ પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.


આમ્‍મોનપુત્રોએ જોયું કે અમે દાઉદની નજરમાં ધિક્કારપાત્ર થયા છીએ, ત્યારે આમ્નોનપુત્રોએ માણસો મોકલીને બેથ-રાહોબના અરામીઓ તથા સોબાના અરામીઓમાંથી વીસ હજાર પાયદળને, એક હજાર માણસો સહિત માકાના રાજાને, તથા ટોબના બાર હજાર માણસોને પગાર આપીને રાખ્યા.


યહોવા એમ કહે છે, ‘જો, હું તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી પત્નીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતાં તે તારી પત્નીઓની આબરૂ લેશે.


યોનાદાબે તેને કહ્યું, “તારા પલંગ પર સૂઈ જઈને માંદો હોવાનો ઢોંગ કર; અને તારા પિતા તને જોવા આવે ત્યારે તેમને કહેજે, ‘મારી બહેન તામાર મારી પાસે આવીને મને ખાવાને અન્‍ન આપે, ને મારા જોતાં રસોઈ બનાવે, કે હું તે જોઉં ને તેના હાથે ખાઉં એવી ગોઠવણ કૃપા કરીને કરો.’”


પછી રાજા તથા તેની પાછળ તેનું આખું કુટુંબ ચાલી નીકળ્યું, ઘર સંભાળવા માટે રાજાએ દશ ઉપપત્નીઓને જ રહેવા દીધી.


પછી આબ્શાલોમે અહિથોફેલને કહ્યું, “હવે આપણે શું કરવું તે વિષે તમારી સલાહ આપો.”


હુશાયે આબ્શઅલોમને કહ્યું, “આ વખતે અહિથોફેલે જે સલાહ આપી છે, તે સારી નથી.”


માટે, હવે તમારા હાથ બળવાન થાઓ, ને તમે શૂરવીર થાઓ; કેમ કે તમારા રાજા શાઉલ મરણ પામ્યા છે, ને વળી યહૂદાના કુળે પોતા પર રાજા તરીકે મને અભિષિક્ત કર્યો છે.”


અને દાઉદ યરુશાલેમમાં પોતાને ઘેર આવ્યો. અને રાજાએ જે દશ સ્‍ત્રીઓને, એટલે પોતાની ઉપપત્નીઓને, ઘર સંભાળવા માટે મૂકી હતી, તેમને પરહેજ કરી, તેઓના ભરણપોષણનો બંદોબસ્ત કર્યો, પણ તેઓની પાસે તે ગયો નહિ. એમ તેઓના મરણના દિવસ સુધી તેઓ કેદમાં વિધવાસ્થાનમાં રહી.


તે સુલેમાનના સર્વ દિવસોભર ઇઝરાયલનો શત્રુ રહ્યો, હદાદે જે નુકશાન [કર્યું] તે તો જુદું; તેને ઇઝરાયલ પર તિરસ્કાર હતો, ને તેણે અરામ ઉપર રાજ કર્યું.


અદોનિયાએ કહ્યું “કૃપા કરીને તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગને મારી સાથે પરણાવે (કેમ કે તે તમને ના નહિ પાડે).”


સુલેમાન રાજાએ પોતાની માને કહ્યું, “તમે અદોનિયા માટે શૂનામ્મી અબીશાગને જ કેમ માગો છો? તેને માટે રાજ્ય પણ માગો; કેમ કે તે મારો વડો ભાઈ છે. હા, તેને માટે, અબ્યાથાર યાજકને માટે, તથા સરુયાના દીકરા યોઆબને માટે પણ.


તારા પિતાની પત્નીની આબરૂ તું ન લે, તે તારા પિતાની આબરૂ છે.


અને જે પુરુષ પોતાના પિતાની સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરે, તેણે પોતાના પિતાની આબરૂ લીધી છે, તેઓ બન્‍ને નક્કી માર્યા જાય; તેમનું લોહી તેમને માથે.


અને, હે યહૂદાના વંશજો તથા ઈઝરાયલના વંશજો, જેટલે દરજ્જે તમે અન્ય પ્રજાઓમાં શાપરૂપ હતા, તેટલે દરજ્જે હું તમારો ઉદ્ધાર કરીશ, ને તમે આશીર્વાદરૂપ થશો. બીઓ નહિ, તમારા હાથ બળવાન થાઓ.


ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે.


અને શાઉલે પલિસ્તીઓના થાણાને માર્યું છે. વળી ઇઝરાયલ પણ પલિસ્તીઓની દષ્ટિમાં ધિક્કાર પાત્ર ગણાય છે એ સર્વ ઇઝરાયલીઓએ સાંભળ્યું; એટલે લોકો શાઉલ પાછળ ગિલ્ગાલમાં એકત્ર થયાં.


આખીશ દાઉદનું કહેવું માનતો, ને કહેતો, “તેણે સંપૂર્ણ રીતે પોતાના ઇઝરાયલ લોકનો ધિક્કાર સંપાદન કર્યો છે; માટે તે સદા મારો દાસ થઈ રહેશે.”


Lean sinn:

Sanasan


Sanasan