Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 15:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને આખો દેશ પોક મૂકીને રડ્યો, ને બધા લોક પેલી પાર ગયા. રાજા પંડે પણ કિદ્રોન નાળું ઊતર્યો, અને બધા લોકો રાનમાં માર્ગ તરફ પેલી પાર ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 દાવિદના પક્ષકારો ચાલ્યા જતા હતા ત્યારે સર્વ લોકો પોક મૂકીને રડયા. રાજા અને તેના માણસોએ કિદ્રોનનું નાળું ઓળંગ્યું અને તેઓ સૌ વેરાનપ્રદેશ તરફ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 આખો દેશ પોક મૂકીને રડ્યો સઘળા લોકોએ કિદ્રોનની ખીણ પસાર કરી, રાજા પણ કિદ્રોનની ખીણ પરથી પસાર થયો, સઘળા લોકોએ અરણ્યના માર્ગ તરફ સામે પાર ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આખા લશ્કરે આગળ કૂચ કરી ત્યારે બધા લોકો મોટેથી રડવા લાગ્યા. પછી રાજા કિદ્રોનના નાળાને વટાવી ગયો ત્યારે બધાં લોકો બહાર નિર્જન પ્રદેશ તરફ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 15:23
12 Iomraidhean Croise  

અને દાઉદ ઇત્તાયને કહ્યું, “તમે, પેલે પાર ઊતરી જાવ.” તેથી ઇત્તાય ગિત્તી, તેનાં બધાં માણસો, તથા તેની સાથેનાં બધાં બાળકો, પેલી પાર ઊતરી ગયાં.


તમારી તરફથી મને ખાતરીદાયક ખબર નહિ મળે ત્યાં સુધી હું રાન તરફના આરા આગળ થોભીશ.”


રાજાએ સીબાને પૂછ્યું, “આ બધાં વાનાં તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું, “ગધેડાં રાજાના કુટુંબના મણસોને સવારી કરવા માટે, રોટલી તથા ઉનાળાનાં ફળ જુવાનોને ખાવા, અને દ્રાક્ષારસ રાનમાં જે નિર્ગત થ ઈ જાય તેઓને પીવા માટે છે.”


તેણે પોતાની મા માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા [દેવી] ને માટે અમંગળ મૂર્તિ બનાવી હતી.આસાએ તેની મૂર્તિ કાપી નાખી, ને તેને કિદ્રોન નાળા પાસે બાળી નાખી.


કેમ કે તું ત્યાંથી નીકળીને કિદ્રોન નાળાની પેલી પાર જાય, તો જરૂર જાણજે કે તે દિવસે તું નક્કી માર્યો જશે. તારુ રકત તારે પોતાને માથે આવશે.”


યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા, ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા, અને લેવીઓ તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઈ ગયા.


મુડદાંઓની તથા રાખની આખી ખીણ, કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડાભાગળના ખૂણા સુધી, યહોવાને માટે પવિત્ર થશે; તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ, ને પાડી નાખવામાં આવશે નહિ.”


અને તે દિવસોમાં યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો, ને યહૂદિયાના રાનમાં ઉપદેશ કરવા લાગ્યો. તે એમ કહેતો,


કારણ, જેના વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, ‘રાનમાં પોકારનારની એવી વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો, તે એ જ છે.”


છોકરો મોટો થયો, અને આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના પ્રગટ થવાના દિવસ સુધી તે રાનમાં રહ્યો.


એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાને પેલે પાર ગયા. ત્યાં એક વાડી હતી, જેમાં પોતે તથા તેમના શિષ્યો ગયા.


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો


Lean sinn:

Sanasan


Sanasan