Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 12:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે માણસ પર દાઉદનો ક્રોધ બહુ સળગ્યો. અને તેણે નાથાનને કહ્યું, “જીવતા યહોવાના સમ, જે માણસે એ [કૃત્ય] કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પેલા શ્રીમંત પર દાવિદનો ક્રોધ તપી ઊઠયો. તેણે નાથાનને કહ્યું, “હું જીવંત પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે એવું કરનાર માણસ મૃત્યુદંડ પામવાને પાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 એ સાંભળીને દાઉદ પેલા ધનવાન માણસ પર ઘણો ગુસ્સે થયો. તેણે નાથાનને કહ્યું કે, “જીવતા ઈશ્વરના સમ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણદંડને યોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ સાંભળીને દાઉદ તે માંણસ પર એકદમ ગુસ્સે થયો અને બોલ્યો, “યહોવાના સમ, આવું કાર્ય કરનાર માંણસને મૃત્યુદંડ આપવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 12:5
10 Iomraidhean Croise  

અને એમ થયું કે, આસરે ત્રણ મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે; અને જો, વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે.” અને યહૂદાએ કહ્યું, “તેને બહાર લાવીને બાળી નાખો.”


તે શ્રીમંત માણસને ત્યાં એક મુસાફર આવ્યો. પોતાને ત્યાં આવેલા મુસાફરને માટે રાંધવા માટે તેણે પોતાનાં ઘેટાં તથા ઢોરમાંથી કંઈ લીધું નહિ, પણ પેલા દરુદ્રી માણસની ઘેટી લઈ લીધી, ને પોતાને ત્યાં આવેલા માણસને માટે તે રાંધી.”


રાજાએ તે સ્‍ત્રીને કહ્યું, “તું તારે ઘેર જા, ને તારા વિષે હું હુકમ કરીશ.”


પણ તેમણે પાછા ફરીને તેઓને ધમકાવ્યા.


એ માટે, હે [બીજાઓનો] ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકશે નહિ. કેમ કે જે બાબત વિષે તું બીજાનો ન્યાય કરે છે, તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામો કરે છે.


કેમ કે ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર યહોવાના સોગન ખાઈને [હું કહું છું કે] તે મારો દીકરો યોનાથાન હશે તોપણ તે ખચીત માર્યો જશે.” પણ સર્વ લોકોમાંથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહિ.


કેમ કે જ્યાં સુધી યિશાઈનો દીકરો ધરતી પર જીવે છે ત્યાં સુધી યિશાઈનો દીકરો ધરતી પર જીવે છે ત્યાં સુધી તું તથા તારું રાજ્ય સ્થાપિત થનાર નથી. માટે હવે માણસને મોકલીને તેને મારી પાસે તેડી મંગાવ, કેમ કે તેને મરવાનું તો છે જ.”


આ જે તેં કર્યું છે તે ઠીક નથી. જીવતા યહોવાના સમ, તમે મરવા યોગ્ય છો, કેમ કે તમે તમારા મુરબ્બીનો એટલે યહોવાના અભિષિક્તનો જાપતો રાખ્યો નથી. હવે રાજાનો ભાલો તથા તેમના માથા પાસેનો પાણીનો ચંબુ ક્યાં છે તે જુઓ.”


Lean sinn:

Sanasan


Sanasan