Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ શમુએલ 11:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 શોક પૂરો થયા પછી દાઉદે માણસ મોકલીને તેને પોતાને ઘેર તેડાવી. અને તે તેની પત્ની થઈ, ને તેને તેના પેટનો પુત્ર થયો. પણ દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દષ્ટિમાં ખોટું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાવિદે તેને મહેલમાં બોલાવી લીધી, તે તેની પત્ની થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. દાવિદના એ કાર્યથી પ્રભુ અત્યંત નારાજ થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે દાઉદે માણસ મોકલીને તેને તેના ઘરેથી મહેલમાં તેડાવી લીધી. અને તે તેની પત્ની થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો. પણ દાઉદે જે કર્યું હતું તે ઈશ્વરની દ્રષ્ટિમાં દુષ્ટ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 અને જયારે તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાઉદે તેને પોતાના મહેલ પર બોલાવી લીધી. પછી તે તેની પત્ની થઈને રહી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. પરંતુ દાઉદે જે કૃત્ય કર્યુ તેનાથી યહોવા ખુશ ન હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ શમુએલ 11:27
16 Iomraidhean Croise  

અને તેણે જે કર્યું તે યહોવાની દષ્ટિમાં ભૂંડુમ હતું, તેથી યહોવાએ તેને પણ મારી નાખ્યો.


તેં શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેમની દષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને તેં તરવારથી મરાવ્યો છે, ને તેને આમ્‍મોનપુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તેં તારી પત્ની કરી લીધી છે.


પણ જો તે એમ કહે, ‘હું તારા પર રાજી નથી, ’ તો જો હું આ રહ્યો, જેમ ઈશ્વરને સારું લાગે તેમ તે મને કરે.”


આહાબે સાંભળ્યું કે નાબોથ મારણ પામ્યો છે, ત્યારે એમ થયું કે આહાબ, યિઝ્એલી નાબોથની દ્ક્ષાવાડીનો કબજો લેવા માટે ત્યાં જવા ઊઠ્યો.


અને આહાબે એલિયાને કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો છે?” એલિયાએ ઉત્તર આપ્યો, “હા, મેં તને શોધી કાઢ્યો છે. કારણ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું છે તે કરવા માટે તેં પોતાને વેચ્યો છે.


આ કામથી ઈશ્વર અપ્રસન્‍ન થયા માટે તે ઇઝરાયલ પર આફત લાવ્યા.


જૂઠું બોલનારાઓનો નાશ તમે કરશો; ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે.


જે કોઈ પોતાના પડોશીની પત્ની પાસે જાય છે તેને એમ જ [થાય છે] ; જે કોઈ તેને અડકે છે તે શિક્ષા પામ્યા વગર નહિ રહે


જેઓ યહોવાથી પોતાની યોજના સંતાડવાને ઊંડો વિચાર કરે છે, ને જેઓ અંધારામાં પોતાનું કામ કરે છે ને જેઓ કહે છે, “અમને કોણ જુએ છે? અમારા વિષે કોણ જાણે છે?” તેઓને અફસોસ!


કોઈનો દાવો બગાડવો, એ પ્રભુને યોગ્ય લાગતું નથી.


અને યિશાઈનો દીકરો તે દાઉદ રાજા. અગાઉ ઉરિયાની જે પત્ની હતી તેનાથી થયેલો દાઉદનો દીકરો તે સુલેમાન,


તો તે કન્યાની સાથે વ્યભિચાર કરનાર માણસ તે કન્યાના પિતાને પચાસ [શેકેલ] રૂપું આપે, ને તે તેની પત્ની થાય. કેમ કે તેણે તેની આબરૂ લીધી છે. તેની આખી જિંદગીભર તેનાથી તેના છૂટાછેડા કરી શકાય નહિ.


સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.


Lean sinn:

Sanasan


Sanasan