Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 9:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 આથી એક ઘોડેસવાર યેહૂની સામે ગયો, ને તેણે કહ્યું, “રાજા એમ પૂછાવે છે કે, શું સલાહશાંતિ છે?” યેહૂએ કહ્યું, “તારે સલાહશાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.” પછી પહેરેગીરે ખબર આપી, “સંદેશિયો તેમની પાસે પહોંચ્યો તો ખરો, પણ તે પાછો આવતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 ઘોડેસ્વારે યેહૂ પાસે જઈને તેને પૂછયું, “રાજા પૂછાવે છે કે તમે સુલેહશાંતિથી આવો છો?” યેહૂએ જવાબ આપ્યો, “તારે સુલેહશાંતિનું શું કામ છે? તું મારી પાછળ જોડાઈ જા.” ચોકીના બુરજ પરના સંરક્ષકે જણાવ્યું કે સંદેશક ટુકડી પાસે પહોંચી ગયો છે. પણ પાછો ફરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેથી ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા એમ પૂછે છે કે: ‘શું તમને સલાહશાંતિ છે?’” માટે યેહૂએ કહ્યું, “તારે શાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.” ત્યારે ચોકીદારે રાજાને કહ્યું કે, “સંદેશાવાહક તેઓને મળવા ગયો તો ખરો, પણ તે પાછો આવ્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા પૂછે છે કે, ‘તમે શાંતિ માટે આવ્યા છો કે નહિ?’” યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે?” આવો, મને અનુસરો ચોકીદારે રાજાને ખબર આપી કે, “આપણો માણસ ત્યાં જઈને તેમને મળ્યો છે, પણ તે પાછો ફર્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 9:18
8 Iomraidhean Croise  

હવે એક પહેરેગીર યિઝ્‍એલના બુરજ પર ઊભો હતો, ને તેણે યેહૂની ટોળીને આવતી જોઈને કહ્યું, “મારા જોવામાં તો એક ટોળી આવે છે.” યોરામે કહ્યું, “એક સવાર લઈને તેમની સામે મોકલ, તને તે એવું પૂછે છે કે શું સલાહશાંતિ છે?”


પછી તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો; એણે પણ તેમની પાસે પહોંચીને કહ્યું, “રાજા એમ પૂછાવે છે કે, શું સલાહશાંતિ છે?”યેહૂએ ઉત્તર આપ્યો, “તારે સલાહશાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.”


યોરામે યેહૂને જોયો ત્યારે એમ થયું કે તેણે કહ્યું, યેહૂ શું સલાહશાંતિ છે?” તેણે ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તમારી મા ઇઝબેલ વ્યભિચાર તથા જાદુકર્મ કર્યા કરતાં હોય, ત્યાં સુધી શી શાંતિ હોય?”


એહૂ દરવાજામાં પ્રવેશ્યો ત્યારે ઇઝબેલે પૂછયું, “હે પોતાના ધણીનું ખૂન કરનાર, ઝિમ્રી, શું શાંતિ છે?”


યહોવાએ કહ્યું છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”


તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી, અને તેમનાં પગલાંમાં કંઈ ઇનસાફ નથી; તેઓએ પોતાનો માર્ગ વાંકોચૂકો કર્યો છે, જે કોઈ તે માર્ગે ચાલે છે, તેને શાંતિ મળતી નથી.


યહોવા કહે છે કે, શોક [કરનાર] ના ઘરમાં પેસતો ના, ને રડારોળ કરવા માટે જતો ના, ને તેઓને લીધે વિલાપ કરતો ના; કેમ કે મેં આ લોકો પરથી મારી શાંતિ, એટલે કરુણા તથા દયા લઈ લીધી છે.


તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી.


Lean sinn:

Sanasan


Sanasan