Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 4:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 તેથી તેઓએ તે માણસોને ખાવા માટે પીરસ્યું. અને તે શાક તેઓએ ખાવા માંડ્યું, ત્યારે એમ થયું કે તેઓએ બૂમ પાડી, “રે ઈશ્વરભક્ત, તપેલામાં તો મોત છે.” અને તેઓ તે ખાઇ ન શક્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 માણસોને જમવા માટે સેરવો પીરસ્યો, પણ ચાખતાંની સાથે જ તેમણે એલિશાને કહ્યું, “ઈશ્વરભક્ત, એમાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પછી તેઓએ તે માણસોને ખાવા માટે શાક પીરસ્યું. પછી, જેવું તેઓએ તે ખાધું તે સાથે જ તેઓએ બૂમ પાડીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, આ તપેલામાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શકયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પછી તેમણે માંણસોને આવીને ખાવા માંટે બોલાવ્યા જેવી તેમણે માંસની વાનગી ચાખી, તેઓ બોલી ઊઠયાં, “દેવના માંણસ, આ તપેલામાં તો મોંત ભર્યું છે!” અને તેઓ તે ખાઈ શકયાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 4:40
11 Iomraidhean Croise  

હવે યાકૂબે શાક રાંધ્યું હતું; એવામાં એસાવ ખેતરમાંથી આવ્યો, ને તે થાકેલો હતો,


તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, તમારે મારી વિરુદ્ધ શું છે? શું તમે મારા અપરાધનું સ્મરણ કરાવવા, તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યા છો?”


અહાઝ્યાએ ફરીથી બીજા પચાસ [સિપાઈઓ] ના જમાદારને તેના પચાસ [સિપાઈઓ] સાથે એલિયાની પાસે મોકલ્યો.જમાદારે એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, રાજાએ એમ કહાવ્યું છે, ’ઝટપટ નીચે ઊતર.’”


ફરીથી અહાઝ્યાએ ત્રીજા પચાસ [સિપાઈઓ] ના જમાદારને તેના પચાસ [સિપાઈઓ] સાથે મોકલ્યો. એ ત્રીજો પચાસ [સિપાઈઓ] નો જમાદાર ઉપર ચઢ્યો, ને જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેના કાલાવાલા કરીને તેને કહ્યું, “હે ઈશ્વરભક્ત, કૃપા કરીને મારો જીવ તથા તમારા આ પચાસ દાસોના જીવ તમારી ર્દષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.


પછી [રાજાએ] પચાસના જમાદારને તેના પચાસ [સિપાઇઓ] સાથે એલિયાની પાસે મોકલ્યો. તે એની પાસે ગયો. અને જુઓ, તે પહાડના શિખર પર બેઠેલો હતો. જમાદારે એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહ્યું, ‘તું નીચે ઊતર.’”


એક જણ શાકપાંદડું વીણવા માટે સીમમાં ગયો. તેણે એક જંગલી વેલો જોયો, ને તે પરથી તેણે ખોળો ભરીને જંગલી ઈંદ્રવરણાં વીણ્યાં. પછી તેણે આવીને તે શાકના તપેલામાં મોળી નાખ્યાં; કેમ કે તેઓ તે ઓળખતા ન હતા.


અને સ્ત્રીએ પોતાના પતિને કહ્યું, “હવે મને લાગે છે કે આ જે હંમેશા આપણી પાસે થઈને જાય છે, તે એક પવિત્ર ઈશ્વરભક્ત છે.


એ માટે ફક્ત આટલો જ વખત મારા અપરાધની ક્ષમા કરીને તમારા ઈશ્વર યહોવાની વિનંતી કરો કે તે માત્ર આ મરો મારાથી દૂર કરે.”


અને તેઓ મારાહમાં આવ્યા ત્યારે મારાહનાં પાણી પી ન શક્યા, કેમ કે તે કડવાં હતાં; માટે તેનું નામ મારાહ પડયું.


સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ, તો તેઓને કંઈ પણ ઈજા થશે નહિ. તેઓ માંદાઓ પર હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”


અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇઝરાયલી લોકોને જે આશીર્વાદ આપ્યો તે આ છે.


Lean sinn:

Sanasan


Sanasan